AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Political Crisis: બાળાસાહેબ ઠાકરેની શિવસેના દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ ધરાવતા લોકોને કેવી રીતે સમર્થન આપી શકે?, એકનાથ શિંદેનો સણસણતો સવાલ

શિંદેએ પોતાના બીજા ટ્વીટમાં લખ્યું છે કે હિંદુ હ્રદય સમ્રાટ વંદનીય બાળાસાહેબ ઠાકરેના (Balasaheb Thackeray) હિંદુત્વ વિચારો અને બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે અમારે મરવું પડે તો પણ સ્વીકાર્ય છે. જો આવું થશે, તો અમે તેને અમારું ભાગ્ય સમજીશું.

Maharashtra Political Crisis: બાળાસાહેબ ઠાકરેની શિવસેના દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ ધરાવતા લોકોને કેવી રીતે સમર્થન આપી શકે?, એકનાથ શિંદેનો સણસણતો સવાલ
Eknath Shinde (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 6:59 AM
Share

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) સાથે સંબંધ ધરાવનારાઓ સાથે બાળાસાહેબ ઠાકરેની શિવસેના (Shiv Sena) કેવી રીતે સંબંધ રાખી શકે? મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કરનારાઓને શિવસેના કેવી રીતે સમર્થન આપી શકે? આ સવાલો શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ (Eknath Shinde) ઉઠાવ્યા છે. એકનાથ શિંદેએ રવિવારે રાત્રે ટ્વિટ કરીને આ સવાલ પૂછ્યો હતો. શિવસેનાના સાંસદ સંજય રાઉતે એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ આકરા નિવેદન આપ્યું છે. આ જ નિવેદનના જવાબમાં એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું છે. એકનાથ શિંદેએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે જો બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે મરી જવું પડે તો પણ સ્વીકાર્ય છે.

એકનાથ શિંદેએ પોતાના ટ્વીટમાં લખ્યું, મુંબઈમાં બોમ્બ વિસ્ફોટો કરાવીને નિર્દોષ મુંબઈકરોની હત્યા કરનાર દાઉદ સાથે સબંધ રાખનારાઓનું હિન્દુ હ્રદય સમ્રાટ વંદનીય બાળાસાહેબ ઠાકરેની શિવસેના સમર્થન કેવી રીતે કરી શકે છે ? તેનો વિરોધ કરવા માટે જ આ પગલું ભરવામાં આવ્યું. એકનાથ શિંદેએ આગળ લખ્યું છે કે તેના માટે મરવું પડે તો પણ સ્વીકાર્ય છે. જો આવું થશે, તો અમે તેને અમારૂં ભાગ્ય ગણીશું. શિંદેએ આ ટ્વિટ કરીને સંજય રાઉતને પણ ટેગ કર્યા છે. આ ટ્વીટ સાથે તેણે ‘મી શીવસૈનિક’ (#MiShivsainik)નું હેશટેગ પણ ઉમેર્યું છે.

શિંદેના રાત્રિના ટ્વીટથી શિવસેનાને કિક

સંજય રાઉતે આપ્યું આ વિવાદાસ્પદ નિવેદન, પશુ સાથે કરી તુલના

સંજય રાઉતે રવિવારે મુંબઈમાં દહિસર રેલીમાં કહ્યું હતું કે, ’40 ધારાસભ્યોની જીવતી લાશો ગુવાહાટીથી આવશે. તેમને પોસ્ટમોર્ટમ માટે સીધા શબઘરમાં મોકલવામાં આવશે. ગુવાહાટીમાં એક મંદિર છે. આ મંદિરમાં ભેંસોની બલિ ચઢાવવામાં આવે છે. અમે અહીંથી 40 ભેંસ મોકલી છે.’ સંજય રાઉતના આ વિવાદાસ્પદ નિવેદનના જવાબમાં એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું છે.

શિંદેએ એક પછી એક એમ બે ટ્વિટ કર્યા છે. પોતાના બીજા ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, હિંદુ હ્રદય સમ્રાટ વંદનીય બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વ વિચારો અને બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે અમારે મરવું પડે તો પણ સ્વીકાર્ય છે. જો આવું થશે, તો અમે તેને અમારું ભાગ્ય સમજીશું.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">