મરાઠા અનામતથી OBC ક્વોટા પર શું પડશે અસર ? વાંચો ઈનસાઈડ સ્ટોરી

મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ એટલે OBCને 19 ટકા રિઝર્વેશન મળી રહ્યુ છે. આ અનામત 374 જાતિઓને મળી રહી છે. મહારાષ્ટ્રમાં ઓબીસીની વસ્તી 38 ટકા છે. મરાઠા સમુદાય 33 ટકા છે. આ સ્થિતિમાં જો મરાઠા સમુદાય ઓબીસીમાં આવે છે તો અનામતનો એક મોટો હિસ્સો મરાઠા સમુદાયને મળશે. ઓબીસીના ભાગની અનામતમાં ઘટાડો થશે.

મરાઠા અનામતથી OBC ક્વોટા પર શું પડશે અસર ? વાંચો ઈનસાઈડ સ્ટોરી
Follow Us:
| Updated on: Feb 16, 2024 | 11:44 PM

મરાઠા અનામતની માગ પર મરાઠા નેતા મનોજ જરાંગે પાટિલ ભૂખ હડતાળ કરી રહ્યા છે. જરાંગે મરાઠા સમુદાયને ઓબીસી ક્વોટાથી અનામત દેવાની માગ કરી રહ્યા છે. ઓબીસી નેતા ખાસ કરીને છગન ભૂજબળે મરાઠા અનામત કોટાથી અનામત આપવાનો વિરોધ કરી રહ્યા છે. વિરોધને લઈને છગન ભૂજબળ મરાઠા અનામતની માગ કરનારાના નિશાને પર છે. આ વિવાદને લઈને તેમણે મંત્રીપદથી પણ રાજીનામુ આપી દીધુ હતુ. જો કે હજુ સુધી તેને સ્વીકારવામાં નથી આવ્યુ. હવે સવાલ એ છે કે ઓબીસી અને મરાઠા વચ્ચેનો વિવાદ ઉકેલાશે? જો મરાઠા સમુદાયને ઓબીસી કોટાથી અનામત અપાય છે તો ઓબીસીની અનામતને અસર થશે. આવો જાણીએ કઈ રીતે.

મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસીને 19 ટકા અનામત મળે છે. 374 જાતિઓને આ અનામત મળી રહી છે. મહારાષ્ટ્રમાં ઓબીસીની વસ્તી 38 ટકા છે. મરાઠા સમુદાય 33 ટકા છે. તેવામાં જો મરાઠા સમુદાય ઓબીસીમાં આવે છે તો અનામતનો મોટો હિસ્સો મરાઠા સમુદાયને આપવામાં આવશે અને ઓબીસીના હિસ્સાની અનામતમાં ઘટાડો થશે. એકવાર ઓબીસી અને મરાઠા બંને સમુદાયો ઓબીસી અનામત હેઠળ આવી જશે તો પછી અનામત બંને સમુદાયો વચ્ચે વિભાજીત થઈ જશે. પરંતુ અનામતની ટકાવારી જે 19 ટકા છે તે હંમેશા રહેશે.

2 કરોડ મરાઠા સમાજને મળશે અનામત

ઓબીસીમાં કુણબી સમાજ સામેલ છે. કુણબી સમુદાય મરાઠા છે. આથી જરાંગે કહે છે કે તમામ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર મળવું જોઈએ. તેમનું કહેવું છે કે મરાઠા સમુદાયના લોકોના સંબંધીઓને પણ કુણબી પ્રમાણપત્ર મળવું જોઈએ. આ અંતર્ગત સરકારે મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્ર આપ્યું છે. કુલ 54 લાખ રેકોર્ડ મળી આવ્યા છે અને તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. મનોજ જરાંગેએ દાવો કર્યો છે કે બે કરોડ મરાઠા અનામતના દાયરામાં આવ્યા છે. એટલે કે હવે બે કરોડ મરાઠા સમુદાયને ઓબીસીમાંથી અનામત મળશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

મરાઠાઓને ઓબીસી ક્વોટા હેઠળ અનામત આપવાનો વિરોધ

જો મરાઠા સમુદાય ઓબીસી અનામત હેઠળ આવે છે તો ઓબીસી નેતાઓને લાગે છે કે રોજગાર અને શિક્ષણની ટકાવારી ઘટશે. આ જ કારણોસર છગન ભુજબળથી લઈને પંકજા મુંડે સહિતના ઓબીસી અનામતને કોઈની સાથે વહેંચવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે તેઓ મરાઠાઓને અનામત આપવાની વિરુદ્ધ નથી. તેમને અલગથી અનામત આપવી જોઈએ. તેમનું કહેવુ છે કે તેમને કોઈપણ ટકાવારીની સ્વતંત્ર અનામત આપો. પરંતુ ઓબીસી અનામતમાં કોઈને હિસ્સો મળવો જોઈએ નહીં.

મરાઠાઓના હાથમાં સત્તા અને સંપત્તિ

રાજ્યની મોટાભાગની સત્તા અને સંપત્તિ મરાઠા સમુદાયના હાથમાં છે. ઓબીસી નેતાઓનું કહેવું છે કે મરાઠા સમાજ પહેલાથી જ સમૃદ્ધ છે. શૈક્ષણિક સંસ્થાઓ, સુગર ફેક્ટરીઓ મરાઠા સમુદાયની માલિકીની છે. રાજ્યમાં 60 ટકાથી વધુ ધારાસભ્યો મરાઠા સમુદાયના છે. અત્યાર સુધી રાજ્યમાં મોટાભાગના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ મરાઠા સમુદાયમાંથી જ આવ્યા છે. મહારાષ્ટ્ર 1960 પછી અસ્તિત્વમાં આવ્યું. ત્યારથી રાજ્યમાં 20 મુખ્યમંત્રીઓ થયા. આ 20 મુખ્યમંત્રીઓમાંથી 12 મરાઠા સમુદાયના હતા. અત્યારે વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ મરાઠા છે.

આ પણ વાંચો: છેલ્લા એક વર્ષમાં માત્ર ભારત જ નહીં દુનિયાના 65 દેશોમાં ખેડૂતો કરી ચુક્યા છે વિરોધ પ્રદર્શન- જાણો કારણ

20-21 ફેબ્રુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર

મનોજ જરાંગે માંગ કરી છે કે સરકાર મરાઠાઓને અનામત આપવા માટે બહાર પાડવામાં આવેલ વટહુકમનો અમલ કરે અને આ માટે વિશેષ સત્ર બોલાવે. મનોજ જરાંગેની માગ મુજબ સરકારે 20 અને 21મીએ વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર બોલાવતી વખતે મુખ્યમંત્રીએ મધ્યમ માર્ગ પણ શોધી કાઢ્યો છે. સરકારનું કહેવું છે કે જે મરાઠાઓને કુણબી સર્ટિફિકેટ આપીને રેકોર્ડ મળશે તેમને સરકાર ઓબીસીમાંથી અનામત આપશે, પરંતુ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે અમે મરાઠા સમુદાયને અલગથી અનામત આપીશું, જેમના રેકોર્ડ નથી મળ્યા. OBC અને મરાઠા અનામત વિવાદને કાબૂમાં લેવા માટે મુખ્યમંત્રીએ આ ઉપાય સૂચવ્યો છે. જો કે જોવાનું એ રહે છે કે મરાઠા સમુદાય તરફથી શું પ્રતિસાદ મળે છે?

મહારાષ્ટ્ર ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">