સંજય રાઉતને EDએ ફરી મોકલી નોટિસ, 18 નવેમ્બરે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું

આજે (16 નવેમ્બર, બુધવાર) બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલ સુધારેલી અરજીમાં EDએ સંજય રાઉતના જામીન રદ કરવાની માંગ કરી છે. એટલે કે સંજય રાઉતની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી. 100 દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન આપ્યા હતા.

સંજય રાઉતને EDએ ફરી મોકલી નોટિસ, 18 નવેમ્બરે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું
Sanjay Raut Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2022 | 9:32 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતને ફરીથી નોટિસ મોકલી છે. રાઉતને 18 નવેમ્બરે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં સંજય રાઉતને પત્રાચોલ કૌભાંડ કેસમાં જામીન મળી ગયા છે. તેને 15,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જામીન સાથે કેટલીક શરતો પણ સામેલ છે. આ શરતોમાં એક શરત એ પણ છે કે જ્યારે પણ તેમને તપાસ કે પૂછપરછ માટે બોલાવવામાં આવશે ત્યારે તેમણે સંબંધિત તપાસ એજન્સીને સહકાર આપવો પડશે. EDએ બોમ્બે હાઈકોર્ટમાં સુધારેલી અરજી પણ દાખલ કરી હતી.

આજે (16 નવેમ્બર, બુધવાર) બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલ સુધારેલી અરજીમાં EDએ સંજય રાઉતના જામીન રદ કરવાની માંગ કરી છે. એટલે કે સંજય રાઉતની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી. 100 દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન આપ્યા હતા. તે પછી પણ EDએ તેને પડકાર ફેંકીને બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે જામીનના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે EDને કહ્યું હતું કે મુંબઈ સેશન્સ કોર્ટને સુનાવણીમાં એક મહિનાથી વધુ સમય લાગ્યો હોય તેવા મામલામાં તે એક દિવસમાં ચુકાદો કેવી રીતે આપી શકે.

રાઉતના જામીન સામે EDની અરજી પર 25 નવેમ્બરે સુનાવણી

હવે EDએ બોમ્બે હાઈકોર્ટમાં સુધારેલી અરજી દાખલ કરીને સંજય રાઉતના જામીન રદ કરવાની માંગ કરી છે. આ અંગે 25 નવેમ્બરે સુનાવણી થશે. EDએ છેલ્લે જસ્ટિસ ભારતી ડાંગરેની ડિવિઝન બેંચ સમક્ષ અરજી દાખલ કરી હતી. કોર્ટે EDની કેટલીક ભૂલો ગણાવી હતી અને તરત જ સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સુધારેલી અરજી દાખલ કરી ચૂક્યુ છે ED, માંગ હજુ પણ જામીન રદ કરવાની

કોર્ટે સંજય રાઉતની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી અને સવાલ કર્યો હતો કે કેટલાક સાક્ષીઓના નિવેદનો રાકેશ વાધવાન અને સારંગ વાધવન મુખ્ય આરોપી હોવા તરફ ઈશારો કરે છે. પરંતુ EDએ પોતાની સ્વતંત્ર મરજીથી પસંદ કરેલ રીતે રાઉતને મુખ્ય આરોપી બનાવ્યો. આ રીતે, કોર્ટે અન્ય કેટલીક ભૂલો તરફ ધ્યાન દોર્યું હતું. તે ભૂલોને સુધારીને EDએ સુધારેલી અરજી દાખલ કરી છે. હવે તમામની નજર 25 નવેમ્બરે થનારી સુનાવણી પર ટકેલી છે.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">