AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: નેતા વિપક્ષની સરકારમાં સીધી એન્ટ્રી, અજિત પવારને સાથે લઈને ભાજપે કર્યું ઈતિહાસનું પુનરાવર્તન

વિપક્ષના નેતા અજિત પવારે (Ajit Pawar) રવિવારે 8 ધારાસભ્યો સાથે શપથ લીધા હતા. પવારને મહારાષ્ટ્ર સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. હવે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ હશે.

Maharashtra: નેતા વિપક્ષની સરકારમાં સીધી એન્ટ્રી, અજિત પવારને સાથે લઈને ભાજપે કર્યું ઈતિહાસનું પુનરાવર્તન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 4:45 PM
Share

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ થઈ છે. રાજ્યના વિપક્ષના નેતા અજિત પવારે (Ajit Pawar) રવિવારે 8 ધારાસભ્યો સાથે શપથ લીધા હતા. પવારને મહારાષ્ટ્ર સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. હવે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ હશે. અજિતની સાથે આવેલા ધારાસભ્યોમાં છગન ભુજબળ, દિલીપ વાલસે પાટીલ, ધનંજય મુંડે સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. વિપક્ષના નેતા અજિત પવાર નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા બાદ સીધા સરકારમાં સામેલ થનારા બીજા વિપક્ષી નેતા બન્યા છે.

લોકસભા ચૂંટણી બાદથી મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ

2019ની લોકસભા ચૂંટણી પૂરી થયા બાદથી મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. તે સમયે વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજય વિખે પાટીલ કોંગ્રેસમાં જોડાયા હતા. આ પછી રાધાકૃષ્ણ વિખે પાટીલે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા હતા. રાધાકૃષ્ણ વિખે પાટીલના પિતા સાંસદ બાલાસાહેબ વિખે પાટીલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને શિવસેનામાં જોડાયા જ્યારે રાજ્યમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર હતી. આ કારણે રાધાકૃષ્ણ વિખે પાટીલે પણ શિવસેનામાં જોડાવું પડ્યું.

વિપક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી

આ પછી રાધાકૃષ્ણ વિખે પાટીલ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ અશોક ચવ્હાણની કેબિનેટમાં મંત્રી હતા. આ પછી તેમને વિપક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, રાધાકૃષ્ણ વિખે પાટીલે સંજય વિખે પાટિલ માટે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા હતા.

રાધાકૃષ્ણ વિખે પાટીલે સીધો પ્રવેશ કર્યો

રાધાકૃષ્ણ વિખે પાટીલના રૂપમાં બીજેપીએ પહેલીવાર સીધા વિપક્ષી નેતાને પોતાના પક્ષમાં ખેંચ્યા હતા. ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીપી નેતા અને વિપક્ષના નેતા અજિત પવાર સીધા સત્તામાં આવ્યા પછી ઇતિહાસનું પુનરાવર્તન થયું. તેને બીજેપી માટે ટ્રમ્પ કાર્ડ કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Maharashtra Political Crisis: ત્રણ ‘ગુપ્ત બેઠક’ અને સમગ્ર મહારાષ્ટ્રનું રાજકીય સમીકરણ બદલાયું

એવું નથી કે અજિત પવારે પહેલીવાર પાર્ટી લાઇનથી દૂર જઇને નિર્ણય લીધો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેમણે સીએમ પદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચેના સંઘર્ષ પછી ફડણવીસ સાથે સરકાર બનાવી અને ફડણવીસ સીએમ બન્યા અને પોતે ડેપ્યુટી સીએમ બન્યા. જો કે, તેઓ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા અને સરકાર પડી ગઈ હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">