AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરમબીરસિંહની વાપસી : મુંબઈના ફરાર ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પહોંચ્યા મુંબઈ,ખંડણી કેસના છે મુખ્ય આરોપી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને તાજેતરમાં ખંડણીના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ધરપકડથી રક્ષણ આપવામાં આવ્યું હતું.

પરમબીરસિંહની વાપસી : મુંબઈના ફરાર ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પહોંચ્યા મુંબઈ,ખંડણી કેસના છે મુખ્ય આરોપી
Parambir Singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 1:37 PM
Share

Mumbai : મહિનાઓથી ગુમ થયેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Parambir Singh) આખરે મુંબઈ પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, પરમબીર સિંહને કોર્ટે ફરાર જાહેર કર્યો છે. આ પહેલા બુધવારે લાંબા સમય બાદ મૌન તોડતા તેણે કહ્યું હતું કે તે ચંદીગઢમાં (Chandigarh)છે. ઉપરાંત તેણે કહ્યું કે ટૂંક સમયમાં તે મુંબઈમાં તેની સામેના કેસોની તપાસમાં જોડાશે. જે બાદ આજે તે મુંબઈ પહોંચી ગયા છે.

ખંડણી કેસમાં ફસાયા પરમબીર સિંહ

ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર(Former Police Commissioner) પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે. ખંડણી કેસમાં પરમવીર સિંહ સહિત કુલ છ લોકો આ કેસમાં સામેલ છે. તેમાં સચિન વાઝેનો (Sachin Vaze) પણ સમાવેશ થાય છે. આ કેસમાં સચિન વાઝેની ધરપકડ થઈ ચૂકી છે, જેને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટમાં મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ખંડણીના કેસમાં કોર્ટે પરમવીર સિંહને ફરાર જાહેર કર્યો હતો.

જુઓ વીડિયો

સુપ્રીમ કોર્ટે ધરપકડથી રક્ષણ આપ્યું 

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે(Supreme Court)  સોમવારે ખંડણીના કેસમાં પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપ્યું છે. આ સાથે કોર્ટે પરમબીર સિંહને તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કહ્યું હતું કે તેઓ દેશમાં છે અને તે ફરાર થવા માંગતા નથી,પરંતુ તેનો જીવ જોખમમાં છે.જેથી તેઓ બહાર આવી રહ્યા નથી.

30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું

આ પહેલા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચની અરજીને માન્ય રાખીને કોર્ટે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યો હતો. સાથે પરમબીર સિંહને 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતુ. આવી સ્થિતિમાં જો તે સમયસર હાજર નહીં થાય તો તેની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવુ પણ કહેવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: શક્તિ મિલ્સ ગેંગરેપ 2013 કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા

આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિકનો નવો ખુલાસો! સમીરની માતા પાસે બે મૃત્યુ પ્રમાણપત્ર, એક હિંદુ અને બીજું મુસ્લિમ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">