AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરમબીરસિંહની વાપસી : મુંબઈના ફરાર ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પહોંચ્યા મુંબઈ,ખંડણી કેસના છે મુખ્ય આરોપી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને તાજેતરમાં ખંડણીના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ધરપકડથી રક્ષણ આપવામાં આવ્યું હતું.

પરમબીરસિંહની વાપસી : મુંબઈના ફરાર ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પહોંચ્યા મુંબઈ,ખંડણી કેસના છે મુખ્ય આરોપી
Parambir Singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 1:37 PM
Share

Mumbai : મહિનાઓથી ગુમ થયેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Parambir Singh) આખરે મુંબઈ પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, પરમબીર સિંહને કોર્ટે ફરાર જાહેર કર્યો છે. આ પહેલા બુધવારે લાંબા સમય બાદ મૌન તોડતા તેણે કહ્યું હતું કે તે ચંદીગઢમાં (Chandigarh)છે. ઉપરાંત તેણે કહ્યું કે ટૂંક સમયમાં તે મુંબઈમાં તેની સામેના કેસોની તપાસમાં જોડાશે. જે બાદ આજે તે મુંબઈ પહોંચી ગયા છે.

ખંડણી કેસમાં ફસાયા પરમબીર સિંહ

ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર(Former Police Commissioner) પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે. ખંડણી કેસમાં પરમવીર સિંહ સહિત કુલ છ લોકો આ કેસમાં સામેલ છે. તેમાં સચિન વાઝેનો (Sachin Vaze) પણ સમાવેશ થાય છે. આ કેસમાં સચિન વાઝેની ધરપકડ થઈ ચૂકી છે, જેને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટમાં મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ખંડણીના કેસમાં કોર્ટે પરમવીર સિંહને ફરાર જાહેર કર્યો હતો.

જુઓ વીડિયો

સુપ્રીમ કોર્ટે ધરપકડથી રક્ષણ આપ્યું 

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે(Supreme Court)  સોમવારે ખંડણીના કેસમાં પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપ્યું છે. આ સાથે કોર્ટે પરમબીર સિંહને તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કહ્યું હતું કે તેઓ દેશમાં છે અને તે ફરાર થવા માંગતા નથી,પરંતુ તેનો જીવ જોખમમાં છે.જેથી તેઓ બહાર આવી રહ્યા નથી.

30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું

આ પહેલા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચની અરજીને માન્ય રાખીને કોર્ટે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યો હતો. સાથે પરમબીર સિંહને 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતુ. આવી સ્થિતિમાં જો તે સમયસર હાજર નહીં થાય તો તેની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવુ પણ કહેવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: શક્તિ મિલ્સ ગેંગરેપ 2013 કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા

આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિકનો નવો ખુલાસો! સમીરની માતા પાસે બે મૃત્યુ પ્રમાણપત્ર, એક હિંદુ અને બીજું મુસ્લિમ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">