દહીંહાંડી ઉજવણી: મુંબઈમાં 111 ગોવિંદા ઘાયલ, માનવ પિરામિડ બનાવતી વખતે થયો અકસ્માત
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ(Eknath Shinde) વિધાનસભામાં જાહેરાત કરી હતી કે તેમની સરકારે લોકપ્રિય તહેવાર દહી હાંડીને (Dahi Handi) સાહસિક રમતનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.

મુંબઈ(Mumbai)માં શુક્રવારે કૃષ્ણ જન્માષ્ટમી પર દહી હાંડી ઉજવણી (Dahi handi Celebration) દરમિયાન 111 ગોવિંદા ઘાયલ થયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના ઘાયલોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. તે જ સમયે, મહારાષ્ટ્ર સરકારે ગોવિંદા મંડળીના ઘાયલ સભ્યોને મફત સારવાર આપવા માટે સરકારી હોસ્પિટલોને સૂચનાઓ જારી કરી છે. આપને જણાવી દઈએ કે ઘાયલોમાંથી 33ની કેઈએમ હોસ્પિટલમાં, 12ની જીટી હોસ્પિટલમાં, 10ની રાજાવાડી હોસ્પિટલમાં અને 11ની નાયર હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી છે.
જન્માષ્ટમી નિમિત્તે રમતગમતનું આયોજન
વાસ્તવમાં, આ તહેવાર દરમિયાન, દહીંથી ભરેલા માટલાને ઊંચાઈ પર લટકાવવામાં આવે છે અને ગોવિંદા તેને માનવ પિરામિડ બનાવીને તોડે છે. જન્માષ્ટમીના અવસર પર આખા મહારાષ્ટ્રમાં આ રમતનું આયોજન કરવામાં આવે છે. રમતગમત દરમિયાન સ્પર્ધકોના પડી જવાના અને ઘાયલ થવાના બનાવો સામાન્ય છે.
ગોવિંદા વર્તુળોને રાજકીય સમર્થન
મુંબઈ અને થાણે જેવા શહેરોમાં, દહીં હાંડી કાર્યક્રમો અને ગોવિંદા મંડળોને નોંધપાત્ર રાજકીય સમર્થન મળે છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે તેમની સરકારે લોકપ્રિય તહેવાર દહી હાંડીને સાહસિક રમતનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. દહીં હાંડીને (Dahi Handi ) મહારાષ્ટ્ર સરકાર દ્વારા કબડ્ડી અને ખો-ખો જેવી રમતનો(Sports ) દરજ્જો આપવામાં આવ્યો છે. દહીં હાંડી હવે રાજ્યમાં એડવેન્ચર (Adventure )સ્પોર્ટ્સના સ્વરૂપ તરીકે ઓળખાશે. દહીંહાંડીમાં જોડાનાર ગોવિંદાઓને પણ સરકારી યોજનાઓનો લાભ મળશે. ગોવિંદા પણ હવેથી સરકારી નોકરીઓમાં 5 ટકા અનામતનો લાભ મેળવવા માટે હકદાર બનશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી
ગોવિંદાઓને માત્ર આરક્ષણ જ નહીં, લાખોની વીમા સુરક્ષા પણ મળશે
દહીંહાંડીમાં ભાગ લેનારા ગોવિંદાઓને હવેથી સરકારી નોકરીઓમાં માત્ર 5 ટકા અનામતનો લાભ મળશે જ, પરંતુ તેમને વીમા સુરક્ષા પણ મળશે. રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો દહીંહાંડી રમતી વખતે કોઈ અકસ્માત થાય અને આવી સ્થિતિમાં કોઈ ગોવિંદાનું મૃત્યુ થાય તો સંબંધિત ગોવિંદાના પરિવારજનોને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.
ગંભીર ઈજાના કિસ્સામાં 7 લાખ 50 હજાર રૂપિયાની રકમ મદદ તરીકે આપવામાં આવશે. એટલે કે આવા અકસ્માતમાં જો કોઈ ગોવિંદા બંને આંખ કે બંને પગ કે બંને હાથ કે શરીરના કોઈ બે મહત્વપૂર્ણ અંગ ગુમાવે તો તેને સાડા સાત લાખ રૂપિયા રાજ્ય તરફથી મદદ તરીકે આપવામાં આવશે. સરકાર આવી દુર્ઘટનામાં જો કોઈ ગોવિંદનો હાથ, પગ કે શરીરનો કોઈ ભાગ ગુમાવે છે તો આવી સ્થિતિમાં તેને મદદ તરીકે 5 લાખ રૂપિયા આપવામાં આવશે.