AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રની બહાર શિવસેનાની પહેલી જીત ! પેટાચૂંટણીમાં લોકસભાની આ બેઠક પરથી જીત મળતા શિવસેનામાં ખુશીની લહેર

દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર જીત મેળવ્યા બાદ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે," રાષ્ટ્રીય રાજનીતિ તરફ આ અમારું પ્રથમ પગલું છે."

મહારાષ્ટ્રની બહાર શિવસેનાની પહેલી જીત ! પેટાચૂંટણીમાં લોકસભાની આ બેઠક પરથી જીત મળતા શિવસેનામાં ખુશીની લહેર
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 10:40 AM
Share

Dadra And Nagar Haveli Bypoll : દાદરા અને નગર હવેલી લોકસભા સીટની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. શિવસેનાએ આ સીટ પર જીત મેળવી છે. મહારાષ્ટ્રની બહાર શિવસેનાએ (Shiv Sena) જીતેલી આ પહેલી સીટ છે,જેથી આ જીત શિવસેના માટે ખાસ છે. આ જીત બાદ શિવસેનામાં ખુશીનો માહોલ છે.

રાષ્ટ્રીય રાજનીતિ તરફ આ અમારું પ્રથમ પગલું : સંજય રાઉત

જીત બાદ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતનું (Sanjay Raut) નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય રાજનીતિ તરફ આ અમારું પ્રથમ પગલું છે. રાઉતે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રની બહાર પહેલીવાર શિવસેનાએ જીત હાંસલ કરી છે. વર્ષ 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે સ્થિતિ આવી નહીં હોય, અમે સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવીશું.

આ અન્યાય અને સરમુખત્યારશાહી સામે જનતાની જીત છે : આદિત્ય ઠાકરે

આ જીત પર ટ્વીટ કરતા આદિત્ય ઠાકરેએ (Aaditya Thackeray )કહ્યું કે, દાદર અને નગર હવેલીમાં ભગવો લહેરાયો છે. કલાબેનની આ જીત દર્શાવે છે કે વિકાસનો નવો યુગ શરૂ થયો છે. આ અન્યાય અને સરમુખત્યારશાહી સામે જનતાની જીત છે. લોકોને વિશ્વાસ છે કે શિવસેના લોકહિતનો અવાજ ઉઠાવવામાં સફળ રહેશે.

આ માત્ર એક શરૂઆત

આ જીત બાદ શિવસેનામાં (Shiv Sena) ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.રાઉતે કહ્યું કે, દાદર નગર હવેલીમાં જે પરિણામો આવ્યા છે તે માત્ર શરૂઆત છે. હવે આગામી સમયમાં દમણ અને દક્ષિણ ગુજરાતમાં પણ શિવસેના મેદાનમાં ઉતરશે. સંજય રાઉતે વર્ષ 2022માં યોજાનારી યુપી ચૂંટણી માટે પોતાની રણનીતિ પણ જણાવી છે. રાઉતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, પાર્ટી યુપી ચૂંટણીમાં પણ જીત મેળવશે.

પતિના મૃત્યુ બાદ ડેલકરને ટિકિટ મળી હતી

શિવસેનાએ દાદર અને નગર હવેલી લોકસભા સીટ પરથી કલાબેન ડેલકરને મેદાનમાં ઉતાર્યા છે.ઉલ્લેખનીય છે કે, તેમના પતિ મોહન ડેલકરનું મુંબઈની એક હોટલમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. જેમાં ભાજપના નેતા અને દાદર નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ કથિત રીતે તેને હેરાન કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આથી પતિના મૃત્યુ બાદ ડેલકરને દાદર અને નગર હવેલી લોકસભા સીટની ટિકિટ મળી હતી.

આ પણ વાંચો: Maharashtra: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ITની કાર્યવાહી પર કરી સ્પષ્ટતા, ‘ન મારી કોઈ સંપતિ સીઝ થઈ છે અને નથી મને કોઈ નોટિસ મળી છે’

આ પણ વાંચો: Vaccination in Maharashtra : PM મોદીની સાથેની બેઠક પહેલા CM ઉદ્ધવ ઠાકરેની ટકોર, ‘મહારાષ્ટ્રમાં 30 નવેમ્બર સુધી 100 ટકા વેક્સિનેશન કરો કંપ્લીટ

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">