AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, અહમદનગર નવોદય વિદ્યાલયમાં ફરી સામે આવ્યા 20 કેસ, નાંદેડ અને નાગપુરમાં મળ્યા ઓમિક્રોનના દર્દી

અહમદનગરની આ નવોદય વિદ્યાલયમાં 400થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કોરોના પોઝિટીવ મળેલા વિદ્યાર્થીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, અહમદનગર નવોદય વિદ્યાલયમાં ફરી સામે આવ્યા 20 કેસ, નાંદેડ અને નાગપુરમાં મળ્યા ઓમિક્રોનના દર્દી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 8:03 PM
Share

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના અને કોરોનાના નવા વેરિએન્ટનું સંક્રમણ વિસ્ફોટક રૂપ લઈ રહ્યું છે. અહમદનગરના નવોદય વિદ્યાલયમાં સોમવારે ફરી 20 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ (Corona Positive) આવ્યા છે. રવિવારે 31 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ મળ્યા હતા. આ પ્રકારે અહીં કોરોના પોઝિટીવ વિદ્યાર્થીઓની સંખ્યા 70 સુધી પહોંચી ગઈ છે. આ આંકડો હાલમાં વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિદ્યાલય અહમદનગરના પારનેરના ટાકલી ઢોકેશ્વર વિસ્તારમાં સ્થિત છે. આ તમામ કોરોના પોઝિટીવ વિદ્યાર્થીઓને પારનેરની ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અહમદનગરની આ નવોદય વિદ્યાલયમાં 400થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કોરોના પોઝિટીવ મળેલા વિદ્યાર્થીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. આના પરથી જાણી શકાશે કે આ વિદ્યાર્થીઓમાંથી કોઈને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે કે નહીં? જણાવી દઈએ કે સોમવારે પૂણેના એમઆઈટી વર્લ્ડ પીસ યૂનિવર્સિટી શિક્ષણ સંસ્થાનમાં પણ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષના 13 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ મળ્યા, પરંતુ આમાંથી કોઈ પણ ઓમિક્રોન સંક્રમિત જણાયું ન હતું. આ કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.

નાંદેડમાં મળ્યા ઓમિક્રોનના 2 કેસ, નાગપુરમાં પણ મળ્યો ઓમિક્રોનનો ત્રીજો કેસ

ઓમિક્રોનની વાત કરીએ તો તે હવે મોટા શહેરો અને ગામડાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મરાઠાવાડાના ઔરંગાબાદ, ઉસ્માનાબાદ, લાતૂર બાદ હવે નાંદેડ જિલ્લામાં ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં નાંદેડ આવેલા 302 લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાંથી દક્ષિણ આફ્રિકાથી નાંદેડના હિમાયત નગરમાં આવેલા 3 મુસાફરો કોરોના પોઝિટીવ આવ્યા. જિલ્લા તંત્રએ તેમના સેમ્પલ પૂણે સ્થિત લેબમાં મોકલ્યા હતા. આ ત્રણેયના રિપોર્ટ સોમવારે આવ્યા. જેમાંથી બે લોકો ઓમિક્રોન પોઝિટીવ મળ્યા અને બંનેની સારવાર ચાલી રહી છે.

આ પ્રકારે નાગપુરમાં પણ ઓમિક્રોનનો ત્રીજો કેસ સામે આવ્યો છે. દુબઈથી આવેલી 29 વર્ષની મહિલા ઓમિક્રોન સંક્રમિત મળી, અત્યાર સુધી નાગપુરમાંથી ઓમિક્રોનના ત્રણ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી એક દર્દી સાજો થઈ ચૂક્યો છે અને બેની સારવાર ચાલી રહી છે. નાગપુરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પણ 13 કેસ સામે આવી ચૂક્યા છે.

આ પણ વાંચો: Ahmedabad : લવજેહાદનો વધુ એક કેસ સામે આવ્યો, વસ્ત્રાપુર પોલીસે એક આરોપીને ઝડપી લીધો

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત, નવા 204 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1086 થયા, ઓમિક્રોનના નવા 24 કેસ

Follow Us
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
g clip-path="url(#clip0_868_265)">