ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત, નવા 204 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1086 થયા, ઓમિક્રોનના નવા 24 કેસ

Gujarat Corona Update : આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 204 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 98 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત, નવા 204 કેસ સાથે એક્ટીવ કેસ વધીને  1086 થયા, ઓમિક્રોનના નવા 24 કેસ
Gujarat Corona Update 27 December 2021, new 204 cases reported in gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 8:10 PM

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. છેલ્લા બે દિવસથી 200 નજીક આવેલા નવા કેસ આજે 200ને પાર થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 204 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 98 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 1000ને પાર થઇને 1086 પર પહોચ્યો છે.

સૌથી વધુ અમદાવાદ શહેરમાં 98 નવા કેસ નોંધાયા, તો રાજકોટ શહેરમાં 33, સુરત શહેરમાં 22 કેસ, વડોદરા શહેરમાં 16, ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. જામનગરમાં કોરોના સંક્રમિત એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,114 થયો છે.

રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે 25 ડિસેમ્બરે સીધા બમણા જેટલા એટલે કે 179 કેસો નોંધાયા હતા, તો ગઈકાલે 26 ડિસેમ્બરે 177 કેસ નોંધાયા હતા અને આજે 200ને પાર 204 નવા કેસ નીધાયા છે. નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 948 હતા, જે આજે વધીને 1086 થયા છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 65 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 363 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં આજે ઓમિક્રોનના 24 નવા કેસ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા કેસોમાં પણ વિસ્ફોટ થયો છે. આજે રાજ્યમાં ઓમિક્રોનના 24 નવા કેસો નોંધાયા છે. જેની વિગત આ મૂજબ છે :

1) અમદાવાદ શહેરમાં 8 પુરુષ અને 8 સ્ત્રી, કુલ 13 ઓમિક્રોન સંક્રમિત. આમથી 9 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વાળા છે.

2) અમરેલીમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

3) આણંદમાં વિદેશથી આવેલી એક મહિલા સંક્રમિત થઇ છે.

4) ભરૂચમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

5) ગાંધીનગરમાં ઓમિક્રોનના 4 નવા કેસ આવ્યાં છે, જેમાં 1 પુરુષ અને 3 મહિલા છે. આ તમામ વિદેશથી આવ્યાં છે.

6)રાજકોટ શહેરમાં 3 પુરુષો ઓમિક્રોન સંક્રમિત થયા છે, આ ત્રણેય પુરુષો ટ્રાવેલ હિસ્ટ્રી વગરના છે.

7) વડોદરામાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 73 કેસ નોંધાયા છે, જેમાંથી 17 કેસ રિકવર થયા છે.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, ગુજરાત આવીને જ શ્રીકૃષ્ણ ‘દ્વારિકાધીશ’ બન્યા

આ પણ વાંચો : સુન્ની વક્ફ બોર્ડે કહ્યું, “બેટ દ્વારકાના બે ટાપુ અમારા”, હાઈકોર્ટે અરજી ફગાવી લગાવી ફટકાર

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">