સમાચાર મુજબ ગરદન અને કરોડરજ્જુમાં દુખાવાના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ઘણા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. પરેશાનીના કારણે તે લોકો સાથેની મુલાકાત પણ ઓછી કરી રહ્યા હતા. દિવાળીના દિવસે તેઓ ભાગ્યે જ તેમના વર્ષા બંગલામાં મુલાકાતીઓને મળતા હતા. જ્યારે સીએમ ઠાકરેને દુખાવો વધી ગયો, ત્યારબાદ તેમણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ ઠાકરેના કરોડરજ્જુમાં લોહીના ગઠ્ઠાને કારણે ડોકટરોએ ફરી એકવાર સર્જરી કરવી પડી હતી, જેથી લોહીના ગઠ્ઠાને દૂર કરી શકાય. સીએમ ઉદ્ધવ ઠાકરેની બીજી સર્જરી ગુરુવારે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના 18માં માળે આવેલા સ્પેશિયલ ઑપરેટિંગ થિયેટરમાં કરવામાં આવી હતી.
તેમની નવી સર્જરી શિવસેના પ્રમુખના સ્પાઈન સર્જન ડૉ. શેખર ભોજરાજ અને હૃદયરોગના નિષ્ણાત ડૉ. અજિત દેસાઈના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. મહત્વનું છે કે સીએમ ઉદ્ધવ ઠાકરે ઘણા દિવસોથી ગરદન અને પીઠના દુખાવાથી ઝઝૂમી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેની પહેલી સર્જરી 12 નવેમ્બરે મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવી હતી. કરોડરજ્જુની સમસ્યાને કારણે તેમને 10 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ દુખાવો વધી જતા ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરોએ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. ઈમરજન્સી સર્જરી થઈ ગઈ છે ત્યારે હવે એક મેડિકલ ટીમ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.
આ પણ વાંચો : India Post Recruitment 2021: રમતવીરો માટે સરકારી નોકરીની ઉત્તમ તક, 257 જગ્યાઓની વેકેન્સી માટે આ રીતે કરો અરજી
આ પણ વાંચો : BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સમાં સિનિયર એન્જિનિયર અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી