મહારાષ્ટ્ર પ્રવાસ રદ્દ કરીને સીએમ શિંદે પહોંચ્યા દિલ્હી, એરપોર્ટ પર અમિત શાહ સાથે થઈ મુલાકાત ?
દિલ્હી એરપોર્ટ પર સીએમ શિંદે (CM Shinde) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah ) વચ્ચે મુલાકાતના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે પિસ્તાલીસ મિનિટ ચર્ચા થઈ હતી.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ (CM Eknath Shinde) રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોની તેમની મુલાકાત અધવચ્ચે રદ કરી અને દિલ્હી જવા રવાના થઈ ગયા. સીએમ શિંદે શનિવારે (30 જુલાઈ) સાંજે ઔરંગાબાદથી દિલ્હી જવા રવાના થયા હતા. એક મહિનામાં સીએમ શિંદેની આ છઠ્ઠીવારની દિલ્હી મુલાકાત છે. દિલ્હી એરપોર્ટ પર તેમની અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાતના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે તેઓ કેબિનેટ વિસ્તરણની (cabinet expansion) સંપૂર્ણ યોજના અને તારીખ નક્કી કર્યા પછી જ મહારાષ્ટ્ર પરત ફરશે. દિલ્હી જતા પહેલા સીએમ શિંદે મહારાષ્ટ્ર પ્રવાસના સંદર્ભમાં ઔરંગાબાદમાં હતા.
પરંતુ તેને અધવચ્ચે જ છોડીને સીએમ શિંદે અચાનક દિલ્હી પહોંચી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ શિંદે સાંજે 7 થી 7.30 દરમિયાન દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન પંજાબની મુલાકાતે આવેલા અમિત શાહ પણ રાત્રે 9.30 થી 9.30 વચ્ચે દિલ્હી પહોંચ્યા હતા. અહીં ટર્મિનલ 4માં સીએમ શિંદે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે મુલાકાતના અહેવાલો સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે પિસ્તાળીસ મિનિટ સુધી વાતચીત ચાલી હતી અને કેબિનેટ વિસ્તરણને લઈને વસ્તુઓ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. શિંદે જૂથના ધારાસભ્ય સંદિપન ભુમરેએ અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠીને જણાવ્યું કે આવતીકાલે સીએમ શિંદે આવીને સારા સમાચાર સંભળાવી શકે છે.
શિંદે અને શાહ વચ્ચે પીસ્તાળીસ મિનિટની વાતચીત – સૂત્રો
અગાઉ એવું માનવામાં આવતું હતું કે સીએમ શિંદે દિલ્હી પહોંચશે અને અમિત શાહને તેમના ઘરે મળશે. પરંતુ સૂત્રોના હવાલાથી આ બેઠક દિલ્હી એરપોર્ટના VIP ઝોનમાં થઈ હતી. શનિવારે સવારે જ સીએમ શિંદેએ કહ્યું હતું કે કેબિનેટનું વિસ્તરણ ટૂંક સમયમાં થશે. શિંદે જૂથના શિવસેના નેતા અબ્દુલ સત્તારે પણ કહ્યું હતું કે 3 ઓગસ્ટ પહેલા કેબિનેટ વિસ્તરણની શક્યતાઓ છે. આ દરમિયાન, આપણે એ પણ જણાવી દઈએ કે મંગળવારે સુપ્રીમ કોર્ટ શિંદે જૂથના 16 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના મામલાની સુનાવણી થવાની છે. ત્રણ સભ્યોની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. શિંદે-ફડણવીસ સરકારનું ભવિષ્ય આ મામલે આવનારા નિર્ણય પર નિર્ભર છે.
29 જૂને સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા હતા. બંનેને શપથ લીધાને એક મહિનો વીતી ગયો છે. પરંતુ હજુ સુધી મંત્રીમંડળનું વિસ્તરણ થયું નથી. આ મામલે વિપક્ષ સતત આક્રમક બની રહ્યો છે. તેથી સીએમ શિંદે દિલ્હી જવા રવાના થાય તે પહેલા રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ વખતે તેઓ મંત્રીમંડળના વિસ્તરણની તમામ યોજનાઓ અને તારીખો નક્કી કર્યા બાદ જ મહારાષ્ટ્ર પરત ફરશે અને આગામી બે દિવસમાં મહારાષ્ટ્રમાં મંત્રીઓના શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાશે.