Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Maharashtra Bus Fire: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, બસમાં લાગી ભીષણ આગ, 25 લોકોના મોત

Maharashtra Bus Fire: જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં આગ લાગવાથી 20થી વધુ લોકોના મોત થયા છે. બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. આ બસ વિદર્ભ ટ્રાવેલ્સની હતી.

Breaking News Maharashtra Bus Fire: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, બસમાં લાગી ભીષણ આગ, 25 લોકોના મોત
Mumbai bus fire
Follow Us:
| Updated on: Jul 01, 2023 | 8:46 AM

Buldhana News: મહારાષ્ટ્રના (Maharashtra) બુલઢાણામાં (Buldhana) શુક્રવારે મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. નાગપુરથી પૂણે જઈ રહેલી બસને બુલઢાના સિંદખેડમાં અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં આગ લાગવાથી 20થી વધુ લોકોના મોત થયા છે. બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. 6થી 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસ વિદર્ભ ટ્રાવેલ્સની હતી. જો કે પોલીસ-પ્રશાસન દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગેલી છે.

(Credit- ANI) 

સિંદખેડમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર બની ઘટના

આ વિદર્ભ ટ્રાવેલ્સની ખાનગી બસ હતી, જે નાગપુરથી પૂણે જઈ રહી હતી. સિંદખેડમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પરથી પસાર થતી વખતે બસ લપસી ગઈ અને પછી પલટી ગઈ. બસમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માત સમયે બસમાં સવાર તમામ મુસાફરો સૂઈ ગયા હતા.

આ પણ વાંચો: કેબિનેટમાં ફેરબદલઃ સીએમ શિંદેની સેનાના કેન્દ્રમાં 2 મંત્રી હોઈ શકે છે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ

ફાયર વિભાગના જવાનોએ 8 લોકોને બચાવી લીધા

મુસાફરોની બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકોએ આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ડ્રાઈવર, કંડક્ટર સહિત આઠ મુસાફરોને સલામત રીતે બચાવી લીધા હતા.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સોલામાં હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ
સોલામાં હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ
હાજીપુરમાં એક જ પરિવારની 4 દીકરીની એક સાથે પોલીસમાં થઈ ભરતી
હાજીપુરમાં એક જ પરિવારની 4 દીકરીની એક સાથે પોલીસમાં થઈ ભરતી
અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું કરાયું લોકાર્પણ
અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું કરાયું લોકાર્પણ
Mehsana : બેફામ ડમ્પરની અડફેટે રાહદારી વૃદ્ધાનું મોત
Mehsana : બેફામ ડમ્પરની અડફેટે રાહદારી વૃદ્ધાનું મોત
વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અપાર ! PMને જોતા જ યુવક ચોધાર આંસુએ રડ્યો
વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અપાર ! PMને જોતા જ યુવક ચોધાર આંસુએ રડ્યો
નકલી ઘોડાનું મુવીમાં આ રીતે થાય છે શૂટિંગ-જુઓ વીડિયો
નકલી ઘોડાનું મુવીમાં આ રીતે થાય છે શૂટિંગ-જુઓ વીડિયો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા 7 કરોડના હીરા, આરોપીની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા 7 કરોડના હીરા, આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત મળશે
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા જિલ્લાનું હવામાન
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા જિલ્લાનું હવામાન
વીરપુર આવીને સ્વામી જ્ઞાનપ્રકાશે આખરે માંગી માફી, જુઓ વીડિયો
વીરપુર આવીને સ્વામી જ્ઞાનપ્રકાશે આખરે માંગી માફી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">