કેબિનેટમાં ફેરબદલઃ સીએમ શિંદેની સેનાના કેન્દ્રમાં 2 મંત્રી હોઈ શકે છે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ

મહારાષ્ટ્રમાં સત્તામાં આવ્યા બાદ એકનાથ શિંદે સતત તેમની પાર્ટીનું કદ વધારવામાં વ્યસ્ત છે. આ જ કારણ છે કે તેઓ કેન્દ્રીય કેબિનેટમાં 3 મંત્રી પદ ઈચ્છે છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે.

કેબિનેટમાં ફેરબદલઃ સીએમ શિંદેની સેનાના કેન્દ્રમાં 2 મંત્રી હોઈ શકે છે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ
Eknath Shinde, Chief Minister, Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 11:38 PM

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર આ મહિને કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહી છે. દરમિયાન, મહારાષ્ટ્ર રાજ્યથી કેન્દ્ર સુધી પાર્ટીનું કદ વધારવાની અટકળોએ જોર પકડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદેની શિવસેનાને કેન્દ્રીય કેબિનેટમાં બે મંત્રી પદ મળી શકે છે. સીએમ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી છે. આ બેઠક બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, એકનાથ શિંદે જૂથને મોદી સરકારની કેબિનેટમાં પણ સ્થાન મળી શકે છે.

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. શિંદેએ, શીવસેનાના તેમના જૂથના ધારાસભ્યોને તોડીને ભાજપ સાથે ગઠબંધન માટે હાથ મિલાવ્યા, ત્યારબાદ તેઓ મુખ્ય પ્રધાન બન્યા અને ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા. ઉદ્ધવ ઠાકરેને ખ્યાલ નહોતો કે શિવસેના એક સાથે તૂટી જશે અને તેઓ મુખ્યમંત્રી પદ ગુમાવશે. ઠાકરે અને શિંદેએ એકબીજાને દેશદ્રોહી ગણાવ્યા હતા, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરમાં જણાવ્યું હતું કે તેમણે ઠાકરે પર તેમના વિશ્વાસઘાતનો બદલો લીધો હતો.

વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ અને શિવસેના સરકાર બનાવવાની સ્થિતિમાં હતા. બંનેએ ગઠબંધન કરીને ચૂંટણીમાં જીતનો ઝંડો ફરકાવ્યો હતો. જોકે, સીએમ પદને લઈને વિવાદ વધ્યો, ત્યારબાદ દાયકાઓ જૂની મિત્રતાનો અંત આવ્યો. તે સમયે ઠાકરેએ સીએમ બનવા માટે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને સીએમ બન્યા, પરંતુ શિંદેએ તેમની સત્તા પલટી નાખી.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

મહારાષ્ટ્રમાં ઘણા મંત્રીઓ પડતા મુકાઈ શકે છે

મહારાષ્ટ્રમાં સત્તામાં આવ્યા બાદ શિંદે સતત પોતાની પાર્ટીનું કદ વધારવામાં વ્યસ્ત છે. આ જ કારણ છે કે તેઓ કેન્દ્રીય કેબિનેટમાં 3 મંત્રી પદ ઈચ્છે છે. અહીં, 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર કેબિનેટના ફેરબદલમાં ઘણા મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે અને સંગઠનાત્મક ભૂમિકાઓ સોંપવામાં આવી શકે છે. ફડણવીસે કેબિનેટ વિસ્તરણની પુષ્ટિ કરી છે. હાલમાં, શિંદે-ફડણવીસ સરકારમાં 20 મંત્રીઓ છે, જેનું છેલ્લું વિસ્તરણ ઓગસ્ટમાં થયું હતું. હવે એવી અટકળો ચાલી રહી છે કે રાજ્યમાં મંત્રીઓની સંખ્યા સંભવિતપણે વધીને 43 થઈ શકે છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">