AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news :મંદિરમાં તોડફોડ, પોલીસ પર હુમલો, જલગાંવમાં હિંસા બાદ કલમ 144 લાગુ

Jalgaon Violence:પોલીસે કહ્યું છે કે જો કોઈ શહેરની સુરક્ષામાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરશે તો તેને બક્ષવામાં આવશે નહીં. પોલીસ હિંસામાં સામેલ બદમાશોની ઓળખ કરવામાં વ્યસ્ત છે.

Breaking news :મંદિરમાં તોડફોડ, પોલીસ પર હુમલો, જલગાંવમાં હિંસા બાદ કલમ 144 લાગુ
Jalgaon Violence
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 12:29 PM
Share

Jalgaon Violence: મહારાષ્ટ્રના જલગાંવના અમલનેરા (Jalgaon Violence)માં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. મારામારી અને પથ્થરમારાની ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી, પરંતુ સ્થિતી વધુ ઉગ્ર બની હતી. ટોળાએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો.આ પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ વિસ્તારમાં કલમ 144 લાગુ છે. પોલીસની અનેક ટીમો શહેરના માર્ગો પર પેટ્રોલિંગ કરી રહી છે. ADG સૂત્રોના જણાવ્યા અનુસાર હિંસામાં 4 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.

આ પણ વાંચો :Amit Shah in Maharashtra: મહારાષ્ટ્ર પ્રવાસ પર અમિત શાહ, નાંદેડમાં ભાજપની રેલીને સંબોધશે, વાંચો કયો રહેશે સામાન્ય લોકો માટે વૈકલ્પિક રૂટ

કહેવામાં આવી રહ્યું છે કે હિંસા નજીવી તકરારમાં શરૂ થઈ હતી. અમલનેરામાં એક સમુદાયના કેટલાક બાળકો દિવાલ પર પેશાબ કરી રહ્યા હતા, જેનો બીજી બાજુના લોકોએ વિરોધ કર્યો હતો. શરૂઆતમાં નાની મોટી બોલાચાલી થઈ હતી, પરંતુ આ જોઈને બંને પક્ષના લોકો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.આ મારામારીની ઘટના શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી મુજબ, પોલીસે અમલનેરા શહેરમાંથી 34 લોકોની અટકાયત કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરમાં આગામી બે દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હવે શહેરમાં કોઈ અપ્રિય ઘટનાના સમાચાર નથી.

પોલીસે શાંતિ જાળવવા અપીલ કરી હતી

મળતી માહિતી મુજબ, શહેરના જિંજર ગલી અને સરાફ બજારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ ભ્રામક સમાચાર પર ધ્યાન ન આપે. જો કોઈ વ્યક્તિ અફવા ફેલાવવાનો પ્રયાસ કરે તો તરત જ પોલીસને જાણ કરો. આવા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

દોષિતોને છોડવામાં આવશે નહીં

પોલીસે કહ્યું છે કે જો કોઈ શહેરની સુરક્ષામાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરશે તો તેને બક્ષવામાં આવશે નહીં. પોલીસ હિંસામાં સામેલ બદમાશોની ઓળખ કરવામાં વ્યસ્ત છે. પોલીસ અધિકારીએ કહ્યું છે કે બંને પક્ષો સાથે વાત કરવામાં આવી છે અને તેમને સમજાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હિંસામાં સામેલ લોકોએ મંદિર અને દુકાનોમાં તોડફોડ કરી હતી. મંદિરમાં તોડફોડની ઘટનાને લઈને સામા પક્ષે વધુ રોષે ભરાયા હતા અને તેઓએ પથ્થરમારો કર્યો હતો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">