AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Drug Case: આર્યન ખાન આવશે જેલની બહાર ? જામીન અરજી પર સુનાવણી કરશે બોમ્બે હાઇકોર્ટ

આર્યન ખાન છેલ્લા 14 દિવસથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. એનસીબીએ તેના પર ડ્રગ્સ લેવાનો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાડ્યો છે. આર્યન ખાનની જામીન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

Aryan Khan Drug Case: આર્યન ખાન આવશે જેલની બહાર ? જામીન અરજી પર સુનાવણી કરશે બોમ્બે હાઇકોર્ટ
Aryan Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 7:08 AM
Share

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ અભિનેતા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનની (Aryan Khan) જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટ આજે સુનાવણી કરશે. મુંબઈની NDPS કોર્ટે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન અરજી ફગાવી (Aryan Khan bail rejected) દીધા બાદ હવે તેના વકીલોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

21 ઓક્ટોબરે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ શુક્રવારે સુનાવણીની માંગ કરી હતી. પરંતુ NCB તરફથી હાજર રહેલા વકીલ એએસજીએ કોર્ટમાં કોપી ન મળવાની વાત કરી હતી જેથી તેઓ સંપૂર્ણ તૈયારી કરી શકે. આ માટે તેમણે કોર્ટ પાસે વધુ સમયની માંગણી કરી હતી, જેને હાઈકોર્ટે સ્વીકારી હતી. કોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણીની તારીખ મંગળવારે એટલે કે આજે નક્કી કરી છે.

NCB આર્યન સહિત તમામ આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરશે

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આર્યન ખાન અને અન્ય તમામ આરોપીઓના જામીનનો હાઈકોર્ટમાં વિરોધ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર NCB કોર્ટમાં સંપૂર્ણ વ્યૂહરચના સાથે પોતાનો પક્ષ રજૂ કરશે. આર્યન ખાન અને અન્ય આરોપીઓને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન ન મળે તે માટે એનસીબી પૂરો પ્રયાસ કરશે. એનસીબીએ આ અંગે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આર્યન ખાનની જામીન અરજી બોમ્બે હાઈકોર્ટમાં 57માં નંબર પર છે. જ્યારે અરબાઝ મર્ચન્ટની જામીન અરજી 64માં નંબર પર છે.

આર્યન ખાન છેલ્લા 14 દિવસથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. એનસીબીએ તેના પર ડ્રગ્સ લેવાનો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે. આર્યન ખાનની જામીન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હવે તેના વકીલોએ મુંબઈ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

2 ઓક્ટોબરે NCBએ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સાથે અન્ય સાત લોકોની ધરપકડ કરી હતી. આ પછી 12 કલાકની પૂછપરછ બાદ 3 ઓક્ટોબરે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને કિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને NCB કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. NCB કસ્ટડી પૂરી થયા બાદ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. તે 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં છે.

આ પણ વાંચો : Raveena Tandon Birthday special: રવિના ટંડન અને કરિશ્મા કપૂર વચ્ચે ઝપાઝપી થતા ઘણા વર્ષ સુધી રહ્યા હતા અબોલા, જાણો જાણી-અજાણી વાત

આ પણ વાંચો : Aryan khan drug case : દિલ્લી પહોંચ્યા બાદ સમીર વાનખેડે કહ્યું, મને કોઈ સમન્સ મોકલવામાં નથી આવ્યું, મારા વિરુદ્ધ લાગેલા આરોપમાં કોઈ દમ નથી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">