IPS રશ્મિ શુક્લાને રાહત, 25 માર્ચ સુધી ટળી કાર્યવાહી, ફોન ટેપિંગ મામલે બોમ્બે હાઈકોર્ટે આપ્યો નિર્દેશ

કોર્ટે શુક્લાના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીની દલીલની નોંધ લીધી કે ગેરકાયદેસર ફોન ટેપિંગની કથિત ઘટના ત્રણ વર્ષ પહેલા બની હતી, પરંતુ પુણે પોલીસની એફઆઈઆર શુક્લા વિરુદ્ધ આ વર્ષે 25 ફેબ્રુઆરીએ જ નોંધવામાં આવી હતી.

IPS રશ્મિ શુક્લાને રાહત, 25 માર્ચ સુધી ટળી કાર્યવાહી, ફોન ટેપિંગ મામલે બોમ્બે હાઈકોર્ટે આપ્યો નિર્દેશ
Rashmi Shukla (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 8:00 PM

Maharashtra: રાજકીય નેતાઓના ફોન ટેપ કરવા બદલ IPS અધિકારી રશ્મિ શુક્લા (Rashmi Shukla) સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ફોન ટેપિંગ કેસની (phone tapping case) તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલી સમિતિ દ્વારા સુપરત કરવામાં આવેલા રિપોર્ટમાં રશ્મિ શુક્લાને દોષી ઠેરવ્યા બાદ પુણેના બંડાગાર્ડન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધાતાની સાથે જ રશ્મિ શુક્લાએ મુંબઈ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે બોમ્બે હાઈકોર્ટે રશ્મિ શુક્લાને રાહત આપી છે. હાઈકોર્ટે રશ્મિ શુક્લા સામે 25 માર્ચ સુધી કડક કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો છે. કોંગ્રેસના નેતાઓ નાના પટોલે, સંજય કાકડે, આશિષ દેશમુખ અને બચ્ચુ કડુના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ મળ્યા બાદ રશ્મિ શુક્લા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટે શુક્લાના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીની દલીલની નોંધ લીધી કે ગેરકાયદેસર ફોન ટેપિંગની કથિત ઘટના ત્રણ વર્ષ પહેલા બની હતી, પરંતુ પુણે પોલીસની એફઆઈઆર શુક્લા વિરુદ્ધ આ વર્ષે 25 ફેબ્રુઆરીએ જ નોંધવામાં આવી હતી. જેઠમલાણીએ કહ્યું કે એક તરફ મહારાષ્ટ્ર પોલીસના કેટલાક અન્ય અધિકારીઓ અમુક ફોન નંબરોને દેખરેખ હેઠળ રાખવાની પરવાનગી મેળવવામાં સામેલ હતા, બીજી તરફ FIR માત્ર શુક્લા વિરુદ્ધ જ નોંધવામાં આવી.

વચગાળાનો આદેશ પસાર ન કરવા વિનંતી કરી

મહારાષ્ટ્ર સરકારના વકીલ વાય. પી. યાજ્ઞિકે શુક્લાની ધરપકડથી વચગાળાના રક્ષણની વિનંતીનો વિરોધ કર્યો હતો. તેમણે તેમની અરજી પર જવાબ દાખલ કરવા માટે થોડો સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે અરજીની નકલ તેમને ગુરુવારે જ આપવામાં આવી હતી. યાજ્ઞિકે હાઈકોર્ટને વિનંતી કરી કે અરજી પર કોઈ વચગાળાનો આદેશ ન આપે. જો કે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે પોલીસને શુક્લા સામે 25 માર્ચ સુધી કોઈ દંડનીય કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

શુક્લા હાલ હૈદરાબાદમાં ફરજ પર છે

શુક્લા માર્ચ 2016 થી 2018 સુધી પુણેમાં પોલીસ કમિશનર તરીકે નિયુક્ત હતા. હાલમાં હૈદરાબાદમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સેન્ટ્રલ પ્રોબેશન પર પોસ્ટેડ છે. તેઓ પુણે પોલીસ કમિશનર હતા ત્યારે 2015 અને 2019 વચ્ચે રાજકીય નેતાઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવા બદલ ભારતીય ટેલિગ્રાફ એક્ટની સંબંધિત કલમો હેઠળ તેમની સામે FIR નોંધવામાં આવી હતી. શુક્લાએ એફઆઈઆરને રદ કરવાની માંગણી કરતી તેમની અરજીમાં કહ્યું છે કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી છે અને તે રાજકીય વેરનો શિકાર બની છે.

આ પણ વાંચો :  Maharashtra: FIR રદ કરાવવા મહિલાનો મંત્રાલયની બહાર આત્મહત્યાનો પ્રયાસ, જાણો સમગ્ર વિગત

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">