AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી, BKC પોલીસે હાથ ધરી તપાસ

સૂત્રોના જણાવ્યું અનુસાર મંગળવારે સાંજે 4.30 વાગ્યે એક વ્યક્તિએ સ્કૂલના લેન્ડલાઈન ફોન પર ફોન કર્યો હતો અને કહ્યું કે મેં તમારી સ્કૂલમાં ટાઈમ બોમ્બ લગાવ્યો છે. આટલું કહી ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો.

Maharashtra : ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી, BKC પોલીસે હાથ ધરી તપાસ
BKC police investigates Dhirubhai Ambani International School after bomb threatImage Credit source: FILE PHOTO
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 2:12 PM
Share

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઘણી વાર ધમકી ભર્યા ફોન આવતા હોય છે. મહારાષ્ટ્રના મુંબઈમા BKCમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. સૂત્રોના જણાવ્યું અનુસાર મંગળવારે સાંજે 4.30 વાગ્યે એક વ્યક્તિએ સ્કૂલના લેન્ડલાઈન ફોન નંબર પર ફોન કર્યો હતો અને કહ્યું કે મેં તમારી સ્કૂલમાં ટાઈમ બોમ્બ લગાવ્યો છે. આટલું કહી ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. અંબાણી પરિવારને વારંવાર ધમકીઓ મળતી રહે છે. તેને ધ્યાનમાં રાખીને આ ફોન અંગેની માહિતી સ્કૂલે સૌથી પહેલા BKC પોલીસને જાણ કરી હતી. આ અંગે BKC પોલીસને જાણ કરી હતી. શાળાની ફરિયાદના આધારે, BKC પોલીસે અજાણ્યા કોલર વિરુદ્ધ IPCની કલમ 505(1)(B) અને 506 હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર નામ મેળવવાની ચાહ

ધમકી ભર્યો ફોન કરનારે કહ્યું કે જો ‘હું આવું કરીશ તો પોલીસ મને પકડી લેશે, જેલમાં ધકેલી દેશે, જેના કારણે તેનું નામ સોશિયલ મીડિયા પર વાયરલ થશે જેના કારણે તેને મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ પૂછશે’. ધમકી ભર્યો ફોન કરનારે દાવો કર્યો છે કે તે ગુજરાતમાં છે. મળતી માહિતી અનુસાર BKC પોલીસની તપાસમાં ધમકી ભર્યો ફોન કરનાર આરોપીની ઓળખાણ થઈ ગઈ છે. પોલીસે તેને ધરપકડ  કરવાની કડક કાર્યવાહી હાથ ધરશે.

અગાઉ પણ મળી હતી અંબાણી પરિવારને ધમકી

આ અગાઉ પણ મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અંગેના ઓછામાં ઓછા ચારથી પાંચ કોલ આવ્યા હોવાનું જાણવા મળે છે. મુંબઈ પોલીસ તપાસ કરશે તેમ જાણવા મળે છે. આ મામલે અંબાણી પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવશે તેવા અહેવાલ છે. તેઓ ડી. બી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે તેવું જાણવા મળે છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઈન પરથી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. પ્રાથમિક અનુમાન છે કે ધમકીભર્યો ફોન કોલ કરનાર વ્યક્તિ માનસિક રીતે બિમાર હોઈ શકે છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">