AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! બાપ્પા આવશે પણ ભક્તોને નહીં મળી શકે, જાણો કેવી રીતે થશે ગણપતિના દર્શન?

આ વખતે ગણેશ ભક્તોને ગણપતિ બાપ્પાના પ્રત્યક્ષ દર્શન કરવાની તક નહીં મળે. વધતા કોરોના સંક્રમણ અને કોરાનાની ત્રીજી લહેરના પડકારોને જોતા રાજ્ય સરકારે ફરી એકવાર આ નિર્ણય લીધો છે.

Ganesh Chaturthi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! બાપ્પા આવશે પણ ભક્તોને નહીં મળી શકે, જાણો કેવી રીતે થશે ગણપતિના દર્શન?
ગણપતી ઉત્સવને લઈને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 10:04 PM
Share

ગણેશોત્સવને (Ganeshotsav) લઈને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. આ વખતે ગણેશ ભક્તોને ગણપતિ બાપ્પાના સીધા દર્શન કરવાની તક નહીં મળે. એટલે કે ભક્તો ગણેશ મંડળ કે પંડાલમાં જઈને બાપ્પાના દર્શન કરી શકશે નહીં. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) નેતૃત્વ વાળી મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારે (Maha Vikas Aghadi) સીધા દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે.

રાજ્ય સરકારે ગણેશ ભક્તોને આ વખતે ઓનલાઈન બાપ્પાના દર્શન કરવાની સલાહ આપી છે. ફરી વધતા જતા કોરોના સંક્રમણને લઈને (Corona) અને કોરોનાની ત્રીજી લહેરના (Third Wave of Corona) પડકારોને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે તમામ ગણેશ મંડળોને ઓનલાઈન દર્શનની સુવિધા આપવા નિર્દેશ આપ્યો છે. એટલે કે સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે ગણેશ ભક્તો ગણેશ મંડળો કે પંડાલોમાં જઈને બાપ્પાના દર્શન કરી શકશે નહીં. આજે બપોરે (8 સપ્ટેમ્બર, બુધવાર) આ સંદર્ભે રાજ્ય મંત્રીમંડળની મહત્વની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચારને લઈને મુંબઈમાં ગણેશ ભક્તોમાં નિરાશા ફેલાઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવાતો તહેવાર ગણેશોત્સવ છે. પરંતુ કોરોનાના કહેરને જોતા રાજ્ય સરકારે આ કડક નિર્ણય લીધો છે. ગણેશ ભક્તોમાં નિરાશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

‘લાલબાગ કા રાજા’ આપશે ઘરે બેઠા દર્શન, ઓનલાઈન દર્શન જ એકમાત્ર વિકલ્પ

ગયા વર્ષે પણ ગણેશ ભક્તોએ ઘરમાં રહીને જ બાપ્પાની પૂજા કરી હતી. ગયા વર્ષે કોરોના (Lockdown in Maharashtra)ના કડક પ્રતિબંધોને કારણે લોકોએ પોતપોતાના ઘરમાં રહીને પૂજા કરી. આ વખતે પણ તેમને લાલબાગ રાજાની મુલાકાત લેવાનો મોકો નહીં મળે. ગણેશ મંડળો ઓનલાઈન દર્શનની સુવિધા આપશે.

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે (7 સપ્ટેમ્બર, મંગળવારે) એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘મારે આરોગ્ય કેન્દ્ર ખોલવું જોઈએ કે ધાર્મિક સ્થળ ખોલવું જોઈએ? શું મારે કોરોનાના દરવાજા બંધ કરવા જોઈએ કે મંદિરના દરવાજા ખોલવા જોઈએ? આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે મંદિર ખોલવા કરતાં જનતાનો જીવ બચાવવો વધુ મહત્વનો છે. જો જીવ બચશે તો તહેવારો આવતા રહેશે.

આ પણ વાંચો :  Mansukh Hiren Case: સચિન વાજેએ પ્રદિપ શર્મા દ્વારા કરાવી મનસુખ હિરેનની હત્યા, NIAની ચાર્જશીટમાં છુપાયેલા છે આ કેસ સાથે જોડાયેલા ઘણા તથ્યો

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">