‘બબલી મોટી નથી થઈ, અણસમજુ રહી’, BMCના ભ્રષ્ટાચારની લંકા સળગાવવાના નવનીત રાણાના નિવેદન પર પૂર્વ મેયરે આપી પ્રતિક્રિયા

આજે મીડિયા સાથે વાત કરતાં નવનીત રાણાએ (MP Navneet Rana) કહ્યું, 'હું પૂરી તાકાત સાથે મુંબઈ મહાનગર પાલિકાના (BMC) ચૂંટણી પ્રચાર માટે ઉતરીશ અને નગરપાલિકામાં શિવસેનાના ભ્રષ્ટાચારની લંકા નષ્ટ કરીશ.

'બબલી મોટી નથી થઈ, અણસમજુ રહી', BMCના ભ્રષ્ટાચારની લંકા સળગાવવાના નવનીત રાણાના નિવેદન પર પૂર્વ મેયરે આપી પ્રતિક્રિયા
MP Navneet Rana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 7:17 PM

મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણાને (Navneet Rana) આજે ​​(8 મે, રવિવાર) મુંબઈની જે.જે. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી રજા મળતાં જ તેમણે ફરી એકવાર શિવસેનાને પડકાર ફેંક્યો કે તેઓ સીએમ ઉદ્ધવ ઠાકરે સામે ચૂંટણી લડશે. તેમણે એવું કહીને આગામી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીનું વાતાવરણ ગરમ કર્યું કે, તેઓ મુંબઈના પુત્રી છે અને આ કારણે દીકરી હોવાની ફરજ નિભાવતા બીએમસીમાં શિવસેનાના ભ્રષ્ટાચારની લંકા સળગાવીને જ રહેશે. જવાબમાં બીએમસીના પૂર્વ મેયર અને શિવસેનાના નેતા કિશોરી પેડનેકરે કહ્યું કે બબલી હજુ મોટી થઈ નથી. હજુ પણ અણસમજુ છે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે માત્ર સીએમ ઠાકરે વિરુદ્ધ જ શા માટે નવનીત રાણા પીએમ મોદી સામે પણ ચૂંટણી લડી શકે છે. આજે મીડિયા સાથે વાત કરતાં નવનીત રાણાએ કહ્યું, ‘હું પૂરી તાકાત સાથે મુંબઈ મહાનગર પાલિકાના ચૂંટણી પ્રચાર માટે ઉતરીશ અને નગરપાલિકામાં શિવસેનાના ભ્રષ્ટાચારની લંકા નષ્ટ કરીશ. બે પેઢીઓથી મુંબઈ મહાનગરપાલિકાની સત્તા તેમના હાથમાં છે. આવનારા સમયમાં મુંબઈના લોકો અને રામ ભક્તો તેમને તેમનું સ્થાન બતાવશે.

હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ મને 14 દિવસ જેલમાં રાખવામાં આવી. આગળ, ભગવાનનું નામ લેવા માટે 14 વર્ષ સુધી જેલમાં રહેવાની મારી તૈયારી છે. સીએમ ઉદ્ધવ ઠાકરેને મારી ચેલેન્જ છે. તેઓ મહારાષ્ટ્રના કોઈપણ જિલ્લામાંથી લડે. હું તેમની સામે ચૂંટણી લડીશ અને જીતીશ. તેમને પણ એ ખબર પડશે કે જનતાની શક્તિ શું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

BMCના પૂર્વ મેયરે TV9 સાથે વાતચીત કરી

નવનીત રાણાના આ હુમલાના જવાબમાં, કિશોરી પેડનેકરે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતાં કહ્યું, ‘તેમના ચોંગા-ભોંગાના એમ્પ્લીફાયરનો અવાજ હજુ પણ અલગ રીતે આવી રહ્યો છે. તેમની ખુજલી હજી પૂરી થઈ નથી. તેમની હેસિયત નથી કે, કે તેઓ મુખ્યમંત્રી સામે ચૂંટણી લડે. અમને લાગ્યું કે બબલી મોટી થઈ ગઈ છે. પણ બબલી હજી મોટી નથી થઈ, હજુ અણસમજું છે. મોટા નેતાઓ (દેવેન્દ્ર ફડણવીસ, આશિષ શેલાર) તેમને હોસ્પિટલમાં મળવા જઈ રહ્યા છે, તેમની હિંમત વધારી રહ્યા છે. તેમને ચૂંટણી પ્રચાર માટે ઉતરવા દો. શિવસૈનિકો પાસે તેમની બીમારીનો ઈલાજ છે.

સીએમ ઠાકરે જ શા માટે, રાણા પીએમ મોદી વિરૂદ્ધ પણ ચુંટણી લડી શકે – સંજય રાઉત

સંજય રાઉતે નવનીત રાણાના પડકારનો જવાબ આપતા કહ્યું કે નવનીત રાણા માત્ર સીએમ ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ જ કેમ પીએમ મોદી સામે પણ ચૂંટણી લડી શકે છે. લોકશાહીમાં દરેક ભારતીય નાગરિકને આ અધિકાર છે. શિવસેનાના નેતા દીપાલી સૈયદે કહ્યું કે નકલી સર્ટિફિકેટ દ્વારા લોટરી માત્ર એક જ વાર લાગી છે, ફરીથી નહીં લાગે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">