
ગઈકાલે, 15 જાન્યુઆરીએ, મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ મહાનગરપાલિકા સહીત કુલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન યોજાયું હતું. ત્યારબાદ, આજે સવારે 10 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ. દેશના સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો પર બધાનું ધ્યાન છે. ચૂંટણી પરિણામના, અત્યાર સુધીમાં સામે આવેલ રુઝાન અનુસાર મુંબઈ મહાનગરપાલિકાની 227 બેઠકોમાંથી, ભાજપ અને શિવસેના 130 બેઠકો પર આગળ છે. ભાજપ લગભગ 99 બેઠકો પર આગળ છે. આ પરિણામો જોયા પછી, ભાજપના નેતા પ્રવિણ દરેકરે આપેલી પ્રતિક્રિયાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
ભાજપના નેતા પ્રવીણ દરેકરે તાજેતરમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓના પરિણામ પર મીડિયા સાથે વાતચીત કરતી વખતે પ્રતિક્રિયા આપી હતી. ‘મરાઠી ભાષાને કોણે ભદ્ર ભાષાનો દરજ્જો આપ્યો ? નરેન્દ્ર મોદી સાહેબ. દેવભાઉ ( મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ) એ તેનું સમર્થન કર્યું. મરાઠી લોકો મુંબઈ છોડી ગયા. તેઓ કોના રાજ્યમાં ગયા ? શું તેઓ તમારા રાજ્યમાં ગયા ? બીડીડીમાં તેમને કોણે ઘર આપ્યા ? દેવભાઉએ ( મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ) તેમને આપ્યા, એકનાથ રાવ શિંદેએ તેમને આપ્યા,’ પ્રવીણ દરેકરે કહ્યું.
વધુમાં, પ્રવીણ દરેકરે કહ્યું કે બીડીડી હોય, અભિદ્ય નગર હોય, આજે ત્યાં એક આદર્શ નગર છે, અમે ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે મુંબઈના મરાઠી લોકો મુંબઈમાં રહે. જેમણે જીવનભર ત્યાં મરાઠી લોકોના નામે રાજકારણની દુકાનો શરૂ કરી હતી. બાળા સાહેબ ઠાકરેનો હિન્દુત્વનો વિચાર, વિકાસની ભૂમિકા એકનાથ શિંદે સાથે આવી. હવે ઠાકરેના રાજકારણની દુકાન બંધ થઈ ગઈ છે.
આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધીમાં જાહેર થયેલ ચૂંટણી પરિણામના રૂઝાન અનુસાર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથ 130 બેઠકો પર આગળ છે. આમાંથી, ભાજપ 99 બેઠકો પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 31 બેઠકો પર આગળ છે. આ સ્પષ્ટપણે મુંબઈમાં સ્થાનિક રાજકારણમાં મહાગઠબંધનની તાકાત દર્શાવે છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના શિવસેના (ઠાકરે બંધુ જૂથ) 62 બેઠકો પર આગળ છે, જે મહાગઠબંધનથી પાછળ છે. મનસે 9 બેઠકો પર આગળ છે, કોંગ્રેસ 13 બેઠકો પર આગળ છે. બીજી તરફ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ) 2 બેઠકો પર આગળ છે.
પ્રવિણ દરેકરના ભાઈએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી છે. પ્રકાશ દરેકરે મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 થી ચૂંટણી લડી રહ્યા હતા. તેમણે જીત મેળવી હોવાનું બહાર આવ્યું છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહીત કુલ 29 મહાનાગરપાલિકાની યોજાયેલ ચૂંટણીના પરિણામ આજે 16 જાન્યુઆરી 2026ના રોજ જાહેર થઈ રહ્યાં છે. આ અંગેના તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.