Maharashtra : ભારત જોડો યાત્રા માટે રાહુલના સ્વાગત માટે જનારા ઉદ્ધવ ઠાકરે પર બીજેપીએ કરી આ વાત

"ઉદ્ધવ ઠાકરે ક્યારેય તેમની પાર્ટીના હિત માટે પણ ઘરની બહાર નીકળ્યા નથી, પરંતુ હવે તેમણે રાહુલ ગાંધીનું સ્વાગત કરવાનો નિર્ણય લીધો છે."

Maharashtra : ભારત જોડો યાત્રા માટે રાહુલના સ્વાગત માટે જનારા ઉદ્ધવ ઠાકરે પર બીજેપીએ કરી આ વાત
Rahul Gandhi and Udhhav Thackrey (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 7:14 AM

કર્ણાટક (Karnataka )બાદ રાહુલ ગાંધી તેમની ‘ભારત જોડો યાત્રા’ સાથે હવે મહારાષ્ટ્રના (Maharashtra ) મરાઠવાડા ક્ષેત્રના નાંદેડ અને વિદર્ભના અકોલા સહિત ઘણા વિસ્તારોમાંથી પસાર થવાના છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ બુધવારે આરોપ લગાવ્યો છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની રાજનીતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભગવાન રામનું સ્થાન લીધું છે. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સ્વાગત કરવા માટે કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલ આમંત્રણને ઉદ્ધવે સ્વીકાર્યા બાદ ભાજપની ટિપ્પણીએ તેના ભૂતપૂર્વ સાથી પર હાંસી ઉડાવી હતી.

ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે મુંબઈમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, “ઉદ્ધવ ઠાકરે ક્યારેય તેમની પાર્ટીના હિત માટે પણ ઘરની બહાર નીકળ્યા નથી, પરંતુ હવે તેમણે રાહુલ ગાંધીનું સ્વાગત કરવાનો નિર્ણય લીધો છે.”

‘લોકો માતોશ્રીમાં મળવા આવતા હતા, હવે ઉદ્ધવ માતોશ્રીથી બહાર નીકળીને રાહુલને મળવા જાય છે’

તેમણે કહ્યું કે ઉદ્ધવના પિતા, શિવસેનાના સ્થાપક દિવંગત બાળાસાહેબ ઠાકરે એ સુનિશ્ચિત કરતા હતા કે મહત્વપૂર્ણ વ્યક્તિઓ તેમના નિવાસસ્થાને આવે, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે અને ઉદ્ધવ ઠાકરેને રાહુલનું સ્વાગત કરવા નાંદેડ જવું પડશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

‘રામ માટે ક્યારેય રસ્તા પર નથી ઉતર્યા, રાહુલ માટે માતોશ્રી છોડવા તૈયાર’

બીજેપી પ્રવક્તાએ કહ્યું કે, ઉદ્ધવ માટે મોંઢામાં રામ,બગલમાં રાહુલ જેવું છે. ઉદ્ધવ ક્યારેય હિંદુત્વ માટે રસ્તા પર ઉતર્યા નથી અને ભાજપના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી દ્વારા આયોજિત રામ મંદિરના નિર્માણ માટેની રથયાત્રામાં પણ ભાગ લીધો નથી. પોતાની સભાઓમાં પોકળ નારા લગાવીને હિંદુત્વની વાત કરનારા ઉદ્ધવ ઠાકરે જ્યારે બાબરીનું માળખું તોડી પાડવામાં આવી રહ્યું હતું ત્યારે ઘરે બેસી ટીવી જોઈ રહ્યા હતા.

કેશવ ઉપાધ્યાયે એમ પણ પૂછ્યું કે રામની નહીં પણ રાહુલની આરતી કરનાર ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીની પદયાત્રામાં હાજરી આપવા માટે હજ કરતી વખતે સોનિયા ગાંધી પ્રત્યે કોંગ્રેસની વફાદારી દર્શાવશે? નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં લગભગ ત્રણ દાયકાથી સાથી રહેલા ભાજપ અને શિવસેના 2019માં મુખ્યમંત્રી પદ પર વિવાદ બાદ અલગ થઈ ગયા હતા.

Latest News Updates

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">