Maharashtra News: પુના જિલ્લાની ભીમા નદીમાંથી 7 દિવસમાં એક જ પરિવારના 7 મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ

મૃતદેહો ભીમા નદીના કિનારા પર એકબીજાથી લગભગ 200 થી 300 મીટરના અંતરે મળી આવ્યા હતા. જે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, હજી સુધી મોતનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Maharashtra News: પુના જિલ્લાની ભીમા નદીમાંથી 7 દિવસમાં એક જ પરિવારના 7 મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ
Bhima river soaked in blood 7 dead bodies of the same family were found in 7 days an atmosphere of flutter among the locals
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 10:31 AM

મહારાષ્ટ્રના પુના જિલ્લામાં ભીમા નદીના કિનારે ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે. પોલીસના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, સાત સભ્યોના મૃતદેહ પૂણે શહેરથી લગભગ 45 કિમી દૂર દાઉદ (Daund) તાલુકાના યાવત ગામની સીમમાં ભીમા નદીના પુલ પાસે મૃતદેહ મળી આવ્યા હતા. તેમાંથી ચાર 18-21 જાન્યુઆરી અને ત્રણ મંગળવારે મળી હતી. સાતેય મૃતકો એક જ પરિવારના હતા, જેમાં એક વૃદ્ધ દંપતી, તેમની પુત્રી, જમાઈ અને ત્રણ પૌત્રોની લાશ મળી હતી.

આ પણ વાંચો : Mumbai News: મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની ભવ્ય રથયાત્રા આ માર્ગે નગર પ્રદક્ષિણા કરશે

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મૃતદેહો ભીમા નદીના કિનારા પર એકબીજાથી લગભગ 200 થી 300 મીટરના અંતરે મળી આવ્યા હતા. જે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, હજી સુધી મોતનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે પોલીસ આત્મહત્યા સહિત તમામ એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે. બીજી તરફ ભીમા નદીમાંથી મૃતદેહો બહાર આવવાના સમાચારથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

માછીમારોની જાળમાં ફસાઈ લાશ, 7 દિવસમાં 7 મૃતદેહ મળી આવ્યા

મીડિયા રિપોર્ટસ અનુસાર, ભીમા નદીમાંથી મૃતદેહો શોધવાની પ્રક્રિયા સતત 7 દિવસથી ચાલી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે 18 જાન્યુઆરીના રોજ કેટલાક સ્થાનિક માછીમારો ભીમા નદીમાં જાળ નાખીને માછીમારી કરી રહ્યા હતા. ત્યારે જ મહિલાના મૃતદેહને સ્પર્શ થયો હતો. માછીમારોએ તેની જાણ પોલીસને કરતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતાં અને NDRFની ટીમ બોલાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી. જે બાદ 20 જાન્યુઆરીએ એક પુરુષની, 21 જાન્યુઆરીએ ફરી એક મહિલા અને 22 જાન્યુઆરીએ ફરી એક પુરુષની લાશ બહાર કાઢવામાં આવી હતી. પાંચ દિવસ વીતી ગયા પછી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો કે 24 જાન્યુઆરીએ ફરી એકવાર એકસાથે ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. ચોકાવનારી ઘટના એ છે કે સાતેય મૃતકો એક જ પરિવારના હતા.

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">