AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra News: પુના જિલ્લાની ભીમા નદીમાંથી 7 દિવસમાં એક જ પરિવારના 7 મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ

મૃતદેહો ભીમા નદીના કિનારા પર એકબીજાથી લગભગ 200 થી 300 મીટરના અંતરે મળી આવ્યા હતા. જે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, હજી સુધી મોતનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Maharashtra News: પુના જિલ્લાની ભીમા નદીમાંથી 7 દિવસમાં એક જ પરિવારના 7 મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ
Bhima river soaked in blood 7 dead bodies of the same family were found in 7 days an atmosphere of flutter among the locals
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 10:31 AM
Share

મહારાષ્ટ્રના પુના જિલ્લામાં ભીમા નદીના કિનારે ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે. પોલીસના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, સાત સભ્યોના મૃતદેહ પૂણે શહેરથી લગભગ 45 કિમી દૂર દાઉદ (Daund) તાલુકાના યાવત ગામની સીમમાં ભીમા નદીના પુલ પાસે મૃતદેહ મળી આવ્યા હતા. તેમાંથી ચાર 18-21 જાન્યુઆરી અને ત્રણ મંગળવારે મળી હતી. સાતેય મૃતકો એક જ પરિવારના હતા, જેમાં એક વૃદ્ધ દંપતી, તેમની પુત્રી, જમાઈ અને ત્રણ પૌત્રોની લાશ મળી હતી.

આ પણ વાંચો : Mumbai News: મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની ભવ્ય રથયાત્રા આ માર્ગે નગર પ્રદક્ષિણા કરશે

મૃતદેહો ભીમા નદીના કિનારા પર એકબીજાથી લગભગ 200 થી 300 મીટરના અંતરે મળી આવ્યા હતા. જે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, હજી સુધી મોતનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે પોલીસ આત્મહત્યા સહિત તમામ એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે. બીજી તરફ ભીમા નદીમાંથી મૃતદેહો બહાર આવવાના સમાચારથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

માછીમારોની જાળમાં ફસાઈ લાશ, 7 દિવસમાં 7 મૃતદેહ મળી આવ્યા

મીડિયા રિપોર્ટસ અનુસાર, ભીમા નદીમાંથી મૃતદેહો શોધવાની પ્રક્રિયા સતત 7 દિવસથી ચાલી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે 18 જાન્યુઆરીના રોજ કેટલાક સ્થાનિક માછીમારો ભીમા નદીમાં જાળ નાખીને માછીમારી કરી રહ્યા હતા. ત્યારે જ મહિલાના મૃતદેહને સ્પર્શ થયો હતો. માછીમારોએ તેની જાણ પોલીસને કરતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતાં અને NDRFની ટીમ બોલાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી. જે બાદ 20 જાન્યુઆરીએ એક પુરુષની, 21 જાન્યુઆરીએ ફરી એક મહિલા અને 22 જાન્યુઆરીએ ફરી એક પુરુષની લાશ બહાર કાઢવામાં આવી હતી. પાંચ દિવસ વીતી ગયા પછી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો કે 24 જાન્યુઆરીએ ફરી એકવાર એકસાથે ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. ચોકાવનારી ઘટના એ છે કે સાતેય મૃતકો એક જ પરિવારના હતા.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">