AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Results 2022: પંજાબ-યુપી અને ગોવાને લઈને શરદ પવારે આપ્યુ નિવેદન, ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગોવા પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે અમે તમામ વિપક્ષી દળો આગામી સંસદ સત્ર દરમિયાન સાથે બેસીને વિચારીશું કે ભવિષ્યમાં અમે શું કરી શકીએ. આજે  કોંગ્રેસના કોઈ નેતા સાથે મારી વાત થઈ નથી.

Assembly Election Results 2022: પંજાબ-યુપી અને ગોવાને લઈને શરદ પવારે આપ્યુ નિવેદન, ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ
Sharad Pawar
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 5:21 PM
Share

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી  (Counting of Votes)  ચાલી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ સત્તાધારી કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. તે જ સમયે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપને ફાયદો થયો છે. આ દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગોવા વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે અમે તમામ વિપક્ષી દળો આગામી સંસદ સત્ર દરમિયાન સાથે બેસીને વિચારીશું કે ભવિષ્યમાં શું કરી શકીએ. આજે મેં કોંગ્રેસના કોઈ નેતા સાથે વાત કરી નથી. સાથે જ કોંગ્રેસના ચરણજીત ચન્ની અંગે તેમણે કહ્યું કે આ તેમની પાર્ટીનો નિર્ણય છે. તેમને કોઈપણ નિર્ણય લેવાનો અધિકાર છે.

પવારે કોંગ્રેસ વિશે કહ્યું

શરદ પવારે કહ્યું કે ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ છે. 70ના દાયકામાં લગભગ તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. પરંતુ હવે જોવાનું રહેશે કે તેની પાછળ શું રાજકીય કારણો છે. કોંગ્રેસની નેતાગીરી અને કાર્યકરો સંગઠનને મજબૂત કરીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે રસ્તા પર ઉતરવાની તૈયારી બતાવશે તો લોકો તમને ફરીથી સ્વીકારશે. આજનો ચુકાદો ભાજપની તરફેણમાં છે, આપણે તેને સ્વીકારવો જોઈએ.

પંજાબમાં કોંગ્રેસનો નિર્ણય, તેનો વિશેષાધિકાર

શરદ પવારે કહ્યું કે કોંગ્રેસ શા માટે પરાજિત થઈ તે અંગે વાત કરવી મારા માટે યોગ્ય નથી. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કોંગ્રેસે જે પણ નિર્ણય લીધો છે તે તેમનો વિશેષાધિકાર છે. મેં આ અંગે કોંગ્રેસના કોઈ નેતા સાથે વાત કરી નથી. પરિણામો આવ્યા પછી કોઈ ઉતાવળિયા તારણો કાઢવા યોગ્ય રહેશે નહીં. આ તમામ બાબતો પર આવતા મહિને વિચાર કરવામાં આવશે.

ગોવા પર પવારની પ્રતિક્રિયા

પવારે કહ્યું કે કોંગ્રેસ પાસે ગત વખતે સંખ્યા હતી, પરંતુ ભાજપે કેટલીક યુક્તિઓ કરી અને સરકાર બનાવી. પરંતુ હજુ પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે, જોઈએ આગળ શું થાય છે.

આ પણ વાંચો : Maharashtra : કચરાના ઢગમાંથી મળી આવ્યા પાંચ ભ્રૃણ, આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">