Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Results 2022: પંજાબ-યુપી અને ગોવાને લઈને શરદ પવારે આપ્યુ નિવેદન, ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગોવા પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે અમે તમામ વિપક્ષી દળો આગામી સંસદ સત્ર દરમિયાન સાથે બેસીને વિચારીશું કે ભવિષ્યમાં અમે શું કરી શકીએ. આજે  કોંગ્રેસના કોઈ નેતા સાથે મારી વાત થઈ નથી.

Assembly Election Results 2022: પંજાબ-યુપી અને ગોવાને લઈને શરદ પવારે આપ્યુ નિવેદન, ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ
Sharad Pawar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 5:21 PM

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી  (Counting of Votes)  ચાલી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ સત્તાધારી કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. તે જ સમયે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપને ફાયદો થયો છે. આ દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગોવા વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે અમે તમામ વિપક્ષી દળો આગામી સંસદ સત્ર દરમિયાન સાથે બેસીને વિચારીશું કે ભવિષ્યમાં શું કરી શકીએ. આજે મેં કોંગ્રેસના કોઈ નેતા સાથે વાત કરી નથી. સાથે જ કોંગ્રેસના ચરણજીત ચન્ની અંગે તેમણે કહ્યું કે આ તેમની પાર્ટીનો નિર્ણય છે. તેમને કોઈપણ નિર્ણય લેવાનો અધિકાર છે.

પવારે કોંગ્રેસ વિશે કહ્યું

શરદ પવારે કહ્યું કે ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ છે. 70ના દાયકામાં લગભગ તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. પરંતુ હવે જોવાનું રહેશે કે તેની પાછળ શું રાજકીય કારણો છે. કોંગ્રેસની નેતાગીરી અને કાર્યકરો સંગઠનને મજબૂત કરીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે રસ્તા પર ઉતરવાની તૈયારી બતાવશે તો લોકો તમને ફરીથી સ્વીકારશે. આજનો ચુકાદો ભાજપની તરફેણમાં છે, આપણે તેને સ્વીકારવો જોઈએ.

પંજાબમાં કોંગ્રેસનો નિર્ણય, તેનો વિશેષાધિકાર

શરદ પવારે કહ્યું કે કોંગ્રેસ શા માટે પરાજિત થઈ તે અંગે વાત કરવી મારા માટે યોગ્ય નથી. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કોંગ્રેસે જે પણ નિર્ણય લીધો છે તે તેમનો વિશેષાધિકાર છે. મેં આ અંગે કોંગ્રેસના કોઈ નેતા સાથે વાત કરી નથી. પરિણામો આવ્યા પછી કોઈ ઉતાવળિયા તારણો કાઢવા યોગ્ય રહેશે નહીં. આ તમામ બાબતો પર આવતા મહિને વિચાર કરવામાં આવશે.

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?

ગોવા પર પવારની પ્રતિક્રિયા

પવારે કહ્યું કે કોંગ્રેસ પાસે ગત વખતે સંખ્યા હતી, પરંતુ ભાજપે કેટલીક યુક્તિઓ કરી અને સરકાર બનાવી. પરંતુ હજુ પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે, જોઈએ આગળ શું થાય છે.

આ પણ વાંચો : Maharashtra : કચરાના ઢગમાંથી મળી આવ્યા પાંચ ભ્રૃણ, આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">