AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Results 2022: પંજાબ-યુપી અને ગોવાને લઈને શરદ પવારે આપ્યુ નિવેદન, ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગોવા પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે અમે તમામ વિપક્ષી દળો આગામી સંસદ સત્ર દરમિયાન સાથે બેસીને વિચારીશું કે ભવિષ્યમાં અમે શું કરી શકીએ. આજે  કોંગ્રેસના કોઈ નેતા સાથે મારી વાત થઈ નથી.

Assembly Election Results 2022: પંજાબ-યુપી અને ગોવાને લઈને શરદ પવારે આપ્યુ નિવેદન, ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ
Sharad Pawar
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 5:21 PM
Share

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી  (Counting of Votes)  ચાલી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ સત્તાધારી કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. તે જ સમયે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપને ફાયદો થયો છે. આ દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગોવા વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે અમે તમામ વિપક્ષી દળો આગામી સંસદ સત્ર દરમિયાન સાથે બેસીને વિચારીશું કે ભવિષ્યમાં શું કરી શકીએ. આજે મેં કોંગ્રેસના કોઈ નેતા સાથે વાત કરી નથી. સાથે જ કોંગ્રેસના ચરણજીત ચન્ની અંગે તેમણે કહ્યું કે આ તેમની પાર્ટીનો નિર્ણય છે. તેમને કોઈપણ નિર્ણય લેવાનો અધિકાર છે.

પવારે કોંગ્રેસ વિશે કહ્યું

શરદ પવારે કહ્યું કે ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ છે. 70ના દાયકામાં લગભગ તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. પરંતુ હવે જોવાનું રહેશે કે તેની પાછળ શું રાજકીય કારણો છે. કોંગ્રેસની નેતાગીરી અને કાર્યકરો સંગઠનને મજબૂત કરીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે રસ્તા પર ઉતરવાની તૈયારી બતાવશે તો લોકો તમને ફરીથી સ્વીકારશે. આજનો ચુકાદો ભાજપની તરફેણમાં છે, આપણે તેને સ્વીકારવો જોઈએ.

પંજાબમાં કોંગ્રેસનો નિર્ણય, તેનો વિશેષાધિકાર

શરદ પવારે કહ્યું કે કોંગ્રેસ શા માટે પરાજિત થઈ તે અંગે વાત કરવી મારા માટે યોગ્ય નથી. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કોંગ્રેસે જે પણ નિર્ણય લીધો છે તે તેમનો વિશેષાધિકાર છે. મેં આ અંગે કોંગ્રેસના કોઈ નેતા સાથે વાત કરી નથી. પરિણામો આવ્યા પછી કોઈ ઉતાવળિયા તારણો કાઢવા યોગ્ય રહેશે નહીં. આ તમામ બાબતો પર આવતા મહિને વિચાર કરવામાં આવશે.

ગોવા પર પવારની પ્રતિક્રિયા

પવારે કહ્યું કે કોંગ્રેસ પાસે ગત વખતે સંખ્યા હતી, પરંતુ ભાજપે કેટલીક યુક્તિઓ કરી અને સરકાર બનાવી. પરંતુ હજુ પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે, જોઈએ આગળ શું થાય છે.

આ પણ વાંચો : Maharashtra : કચરાના ઢગમાંથી મળી આવ્યા પાંચ ભ્રૃણ, આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો

સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ફરી વળ્યું બુલડોઝર
અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ફરી વળ્યું બુલડોઝર
Breaking News: હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત
Breaking News: હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત
નકલી પનીર ,ધી નહી પરંતુ નોટ છાપવાનું રેકેટ ઝડપાયું
નકલી પનીર ,ધી નહી પરંતુ નોટ છાપવાનું રેકેટ ઝડપાયું
આરોપીઓની કોલ ડીટેલના આધારે તપાસ શરૂ
આરોપીઓની કોલ ડીટેલના આધારે તપાસ શરૂ
બહાર ભોજન કરતાં પહેલા સાવધાન! થાળીમાં નકલી પનીર પીરસી આરોગ્ય સાથે ખેલ
બહાર ભોજન કરતાં પહેલા સાવધાન! થાળીમાં નકલી પનીર પીરસી આરોગ્ય સાથે ખેલ
g clip-path="url(#clip0_868_265)">