AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે આર્યન ખાનની પૂછપરછ SIT ટીમ કરશે, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યુ

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની હવે SIT ટીમ પૂછપરછ કરશે. સુત્રો અનુસાર આ કેસમાં નવાબ મલિકના જમાઈ સમીર ખાનને પણ સમન્સ પાઠવવામાં આવ્યુ છે.

હવે આર્યન ખાનની પૂછપરછ SIT ટીમ કરશે, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યુ
Aryan Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 6:17 PM
Share

Cruise Drugs Case: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ હવે SIT દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ ડ્રગ્સ કેસમાં અન્ય આરોપીઓ સાથે આર્યન ખાનની પણ SIT ટીમ પુછપરછ કરશે. આ માટે આર્યન ખાનને NCB દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યુ છે.

SITએ ડ્રગ્સ કેસની તપાસ તેજ કરી

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને (Sameer Wankhede) આ કેસથી હટાવવામાં આવ્યા છે. હવે તેની તપાસ SITની ટીમ દ્વારા કરવામાં આવશે. સંજય સિંહ નામના અધિકારી આ તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી અને આર્યન ખાનને પણ અરબાઝ મર્ચન્ટ, અચિત કુમાર સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

નવાબ મલિકના જમાઈ સમીર ખાનને પણ સમન્સ મોકલવામાં આવ્યુ

ઉપરાંત સમીર વાનખેડેના કાર્યો પર સવાલ ઉઠાવનાર નવાબ મલિકના જમાઈ સમીર ખાનને (Sameer Khan) પણ સમન્સ મોકલવામાં આવ્યુ છે. તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે આર્યન ખાનને રિકવરી માટે ફસાવવામાં આવ્યો છે. NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ પોતાની ખાનગી સેના બનાવી છે.

આ સેનામાં કિરણ ગોસાવી, સેમ ડિસૂઝા, મનીષ ભાનુશાલી જેવા લોકો છે. આ લોકો અમીર પરિવારના પરિવાર સાથે સંબંધિત લોકોને અને સેલિબ્રિટીઓને ડ્રગ્સના કેસમાં(Drugs case)  ફસાવે છે અને પછી રિકવર થાય છે. બદલામાં સમીર વાનખેડેએ નવાબ મલિક પર આરોપ મૂક્યો હતો કે તેણે તેના જમાઈ સમીર ખાનનો બદલો લઈ રહ્યા છે.

આર્યન ખાનને 30 ઓક્ટોબરે શરતી જામીન પર છોડવામાં આવ્યો હતો

આર્યન ખાન 30 ઓક્ટોબરે આર્થર રોડ જેલમાંથી મુક્ત થયો હતો. તેમની સમક્ષ જામીન માટેની કેટલીક શરતો મૂકવામાં આવી હતી. જેમાં તપાસ અધિકારીઓને જાણ કર્યા વિના મુંબઈ અને દેશની બહાર નહીં જઈ શકે. તેઓ આ કેસ સાથે જોડાયેલા આરોપીઓના સંપર્કમાં રહેશે નહીં. તેણે દર શુક્રવારે એનસીબીની મુંબઈ ઓફિસમાં (NCB Mumbai) હાજર થઈને પૂછપરછમાં સહકાર આપવાનો રહેશે. આ સિવાય આર્યન ખાને સ્પેશિયલ NDPS કોર્ટમાં પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવો પડ્યો.

આ પણ વાંચો: લલિત હોટલના CCTV ફૂટેજની તપાસ થવી જોઈએ, નવાબ મલિકના આરોપ પર મોહિત કંબોજનો પલટવાર

આ પણ વાંચો: આર્યનને લઈને શાહરૂખ ખાનને ડરાવવામાં આવી રહ્યો છે ! ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">