AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Bail: જામીન મળી ગયા હોવા છતા આજની રાત જેલમાં જ વિતાવવી પડશે ! અધિકારીએ આપ્યું આ કારણ

આર્યન ખાને આજની રાત આર્થર રોડ જેલમાં વિતાવવી પડશે. જેલ અધિકારીના જણાવ્યા મુજબ આવતીકાલે જ તેને છોડવામાં આવશે.

Aryan Khan Bail: જામીન મળી ગયા હોવા છતા આજની રાત જેલમાં જ વિતાવવી પડશે ! અધિકારીએ આપ્યું આ કારણ
Aryan Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 7:14 PM
Share

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી (Bombay High Court) જામીન મળ્યા બાદ આર્યન ખાન આજે પણ જેલમાંથી મુક્ત થઈ શકશે નહીં. જેલ અધિકારીના જણાવ્યા અનુસાર, રીલીઝ ઓર્ડરની કોપી સમયસર આર્થર રેડ જેલમાં (Arthur Road Jail) પહોંચી શકી નથી. આથી તેને કાલે જ છોડી શકાશે. કેટલાક જેલ અધિકારીઓનું કહેવું છે કે આર્યન ખાન આજના બદલે કાલે જ મુક્ત થશે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આર્થર રોડ સ્થિત જેલમાં સાંજે 5.35 વાગ્યા સુધીમાં જામીનના તમામ કાગળો જમા કરાવવામાં આવ્યા હોત તો તેને સાંજે 7 વાગ્યા સુધીમાં છોડી શકાયો હોત. પરંતુ રીલીઝ ઓર્ડરની કોપી સમયસર જેલમાં પહોંચી શકી ન હતી.

આર્થર રોડ જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આર્યન ખાનની જામીન મુક્તિ આજે શક્ય નથી. આવતીકાલે સવારે જ તેને જેલમાંથી મુક્ત કરી શકાશે. તમને જણાવી દઈએ કે ક્રુઝ ડ્રગ્સ કેસમાં તેને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. પરંતુ કાયદાકીય પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. એવી અટકળો ચાલી રહી હતી કે આર્યનને આજે ઘરે મોકલી શકાય છે. પરંતુ રીલીઝ ઓર્ડરની કોપી સમયસર જેલમાં ન પહોંચતા આજે પણ તેની મુક્તિ શક્ય બની શકી નથી. જેલ અધિકારીઓનું કહેવું છે કે હવે આર્યન ખાન આવતીકાલે સવારે જ તેના ઘરે જઈ શકશે.

આર્યન ખાન આજે રાત્રે જેલમાં રહેશે

‘રીલીઝ ઓર્ડર સમયસર જેલમાં ન પહોંચ્યો’

તમને જણાવી દઈએ કે સેશન્સ કોર્ટમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં ઘણો સમય લાગ્યો હતો. આ કારણોસર આજે જેલમાં રીલીઝ ઓર્ડર સમયસર પહોંચ્યો ન હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર જેલની જામીન પેટી પણ બંધ કરી દેવામાં આવી છે. તે હવે આવતીકાલે સવારે ખોલવામાં આવશે. તેથી જ આજે તે જેલમાંથી મુક્ત થઈ શકશે નહીં. જેલ પ્રશાસનનું કહેવું છે કે નિયમો બધા માટે સરખા છે. તે નિયમો અનુસાર આગળ વધી શકે છે. NDPS કોર્ટે રિલીઝ ઓર્ડર જાહેર કરી દીધા છે.

આર્યન ખાનને શરતી જામીન મળ્યા છે

જોકે આર્યનને જામીન મળી ગયા છે, પરંતુ ડ્રગ્સના કેસમાંથી હજુ સુધી કોઈ રાહત મળી નથી. તમને જણાવી દઈએ કે બોમ્બે હાઈકોર્ટે આર્યન સહિત ત્રણ આરોપીઓને જામીન આપવાની સાથે કેટલીક શરતો પણ મૂકી છે. જે મુજબ આરોપીઓએ દર શુક્રવારે NCB ઓફિસમાં જવાનું રહેશે. ત્રણેય કોઈ નિવેદન આપી શકશે નહીં. તે સોશિયલ મીડિયા પર પણ ટિપ્પણી કરી શકશે નહીં. ત્રણેય આરોપીઓ દેશ કે શહેર છોડીને જઈ શકશે નહી.

આ પણ વાંચો :  સમીર વાનખેડેની ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ, NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">