Aryan Khan Drug Case: શું આર્યન ખાનને આજે મળશે જામીન ? દલીલો બાદ અઢી વાગે હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

NCBએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે તે માત્ર માદક દ્રવ્યો જ લેતો નથી, પરંતુ તે ગેરકાયદે દાણચોરીમાં પણ સામેલ હતો.

Aryan Khan Drug Case: શું આર્યન ખાનને આજે મળશે જામીન ? દલીલો બાદ અઢી વાગે હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી
Aryan Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 7:09 AM

Aryan Khan Drug Case: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ (Mumbai Cruise Drugs Case) માં આર્યન ખાનની જામીન અરજી પર આજે મુંબઈ હાઈકોર્ટ (Mumbai High Court)માં સુનાવણી થશે. આજે બપોરે 2.30 કલાકે સુનાવણી હાથ ધરવામાં આવશે. આર્યન અને અરબાઝના જામીન પરની ચર્ચા ગઈ કાલે પૂરી થઈ ગઈ છે. આ પછી, જામીન અરજી પર આજે બપોરે 2.30 કલાકે સુનાવણી થશે.

સ્પેશિયલ કોર્ટે જામીન ફગાવી દીધા બાદ આર્યન ખાને તરત જ હાઈકોર્ટમાં સુનાવણી માટે અરજી કરી હતી. ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી આર્યન ખાનની જામીન અરજીને મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવાયા બાદ તેની તરફથી હાજર થયા હતા. તેણે આર્યન ખાનની ધરપકડને ગેરકાનૂની ગણાવી અને આ કાર્યવાહી પર NCBને ભીંસમાં મૂક્યું.

બે આરોપીઓને જામીન મળ્યા હતા દરમિયાન ક્રુઝ ડ્રગ્સ કેસમાં બે આરોપીઓને જામીન મળી ગયા છે. વિશેષ NDPS કોર્ટે આ જામીન અરજીને મંજૂરી આપી છે. અવિન સાહુ અને મનીષ રાજગરિયાને જામીન મળી ગયા છે. વી.વી.પાટીલની ડિવિઝન બેન્ચે તેમની જામીન અરજી સ્વીકારી છે. આ બંનેની એનસીબીએ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

NCBએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે તે માત્ર માદક દ્રવ્યો જ લેતો નથી, પરંતુ તેની ગેરકાયદે દાણચોરીમાં પણ સામેલ હતો. એજન્સીએ એવો પણ દાવો કર્યો હતો કે આર્યન ખાન અને શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની તપાસને પ્રભાવિત કરવા માટે પુરાવા સાથે ચેડા કરી રહ્યા હતા અને સાક્ષીઓને પ્રભાવિત કરી રહ્યા હતા.

NCB એ સોગંધનામું દાખલ કર્યું તે જ સમયે, આર્યન ખાનના વકીલોએ હાઈકોર્ટમાં વધારાની નોંધ દાખલ કરતી વખતે કહ્યું હતું કે એનસીબીના પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે (Sameer Wankhede) અને કેટલાક રાજકીય વ્યક્તિઓ દ્વારા એકબીજા પર લગાવવામાં આવેલા આરોપો અને પ્રતિ આક્ષેપો સાથે તેમને કોઈ લેવાદેવા નથી. NCBએ મંગળવારે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી આર્યન ખાનની જામીન અરજીના જવાબમાં એફિડેવિટ દાખલ કરી હતી.

આ મામલો જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેની સિંગલ બેંચ સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ છે. એજન્સીએ એફિડેવિટમાં કહ્યું છે કે કેસની તપાસને પાટા પરથી ઉતારવાના ખોટા ઈરાદાથી તેને પ્રભાવિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે પ્રભાકર સેલના સોગંદનામાથી સ્પષ્ટ છે, એજન્સીએ જણાવ્યું હતું. કેસમાં પ્રભાકર સેલે એજન્સીના કેટલાક અધિકારીઓ પર રિકવરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. એફિડેવિટમાં પૂજા દદલાનીનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું હતું કે આ મહિલાએ તપાસ દરમિયાન સાક્ષીઓને પ્રભાવિત કર્યા હોવાનું જણાય છે.

આ પણ વાંચો: Lakhimpur kheri violence: સુપ્રીમ કોર્ટે સાક્ષીઓની સુરક્ષા માટે આપ્યો નિર્દેશ, સરકારને પૂછ્યું હજારો ખેડૂતોની રેલીમાં માત્ર 23 સાક્ષીઓ જ કેમ?

આ પણ વાંચો: લાંચિયા સરકારી બાબુઓની ખેર નથી, દિવાળીમાં ભેટની લાંચ લેતા બાબુઓને પકડવા ACB એ ગોઠવી દીધી છે જાળ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">