AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur kheri violence: સુપ્રીમ કોર્ટે સાક્ષીઓની સુરક્ષા માટે આપ્યો નિર્દેશ, સરકારને પૂછ્યું હજારો ખેડૂતોની રેલીમાં માત્ર 23 સાક્ષીઓ જ કેમ?

ખંડપીઠે ઉત્તર પ્રદેશ સરકારને ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 164 હેઠળ કેસમાં અન્ય સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

Lakhimpur kheri violence: સુપ્રીમ કોર્ટે સાક્ષીઓની સુરક્ષા માટે આપ્યો નિર્દેશ, સરકારને પૂછ્યું હજારો ખેડૂતોની રેલીમાં માત્ર 23 સાક્ષીઓ જ કેમ?
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 6:56 AM
Share

Lakhimpur kheri violence: સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે ઉત્તર પ્રદેશ સરકાર (UP Government) ને લખીમપુર ખીરી હિંસા કેસમાં સાક્ષીઓને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે. આ હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. ચીફ જસ્ટિસ એનવી રમના (NV Ramna), જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે ઉત્તર પ્રદેશ સરકારને ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 164 હેઠળ કેસમાં અન્ય સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

આ મામલે વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને ગરિમા પ્રસાદે બેન્ચ સમક્ષ રાજ્ય સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. બેન્ચે કહ્યું, “અમે સંબંધિત જિલ્લા ન્યાયાધીશને સીઆરપીસીની કલમ 164 હેઠળ પુરાવા દાખલ કરવાનું કામ નજીકના ન્યાયિક મેજિસ્ટ્રેટને સોંપવા માટે નિર્દેશ આપીએ છીએ,”CrPC (કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર) ની કલમ 164 હેઠળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો નોંધવામાં આવે છે અને તે નિવેદનો માન્ય છે.

પત્રકારની હત્યા કેસમાં રિપોર્ટ દાખલ કરવા સૂચના ખંડપીઠે સાલ્વેને “ફોરેન્સિક” પ્રયોગશાળાઓને “ઇલેક્ટ્રોનિક” પુરાવાના અહેવાલ તૈયાર કરવા અંગેની તેમની ચિંતાઓથી માહિતગાર કરવા જણાવ્યું હતું. તેમજ પત્રકારના લિંચિંગ કેસને લગતી બે ફરિયાદોના સંદર્ભમાં રાજ્ય સરકારને રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.

ખંડપીઠે કહ્યું, “રાજ્યને આ બાબતોમાં અલગ જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.” કોર્ટ હવે આ મામલાની વધુ સુનાવણી 8 નવેમ્બરે કરશે. સુનાવણી દરમિયાન, બેન્ચે આ કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા સાક્ષીઓની સંખ્યા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું, “મામલો એ છે કે હજારો ખેડૂતો રેલી કાઢી રહ્યા હતા અને ત્યાં માત્ર 23 સાક્ષીઓ જ છે?”

સાલ્વેએ કહ્યું કે 68 સાક્ષીઓમાંથી 30ના નિવેદન સીઆરપીસીની કલમ 164 હેઠળ નોંધવામાં આવ્યા છે અને કેટલાક અન્ય લોકોના નિવેદન પણ નોંધવામાં આવશે. “30 સાક્ષીઓમાંથી, માત્ર 23 લોકોએ પ્રત્યક્ષદર્શી હોવાનો દાવો કર્યો છે. મોટાભાગના સાક્ષીઓ પુનઃપ્રાપ્તિ સાથે સંબંધિત ઔપચારિક સાક્ષીઓ છે.” તેમણે કહ્યું કે ઘણા ડિજિટલ પુરાવા પણ પ્રાપ્ત થયા છે અને નિષ્ણાતો તેમની તપાસ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે આ વાત કહી હતી સુપ્રીમ કોર્ટે 20 ઓક્ટોબરે કહ્યું હતું કે લખીમપુર ખીરી હિંસાની તપાસ “અંતહીન વાર્તા” ન હોવી જોઈએ. સાથે જ ઉત્તર પ્રદેશ સરકાર (UP Government) ને ઠપકો આપતાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટને લાગ્યું કે રાજ્ય પોલીસ (UP Police) ધીમી ગતિએ કામ કરી રહી છે. સાક્ષીઓને સુરક્ષા આપવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબરની હિંસાના કેસની સુનાવણી કરી રહી છે જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા (Ajay Mishra) ના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 27 ઓક્ટોબર: આવકના સ્ત્રોત વધશે, ગુસ્સાને તમારા પર હાવી ના થવા દો, નહીં તો નકારાત્મક અસર થશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 27 ઓક્ટોબર: કામમાં ધ્યાન આપવાથી ફાયદો થશે, મનોબળ દ્વારા પોઝિટિવ પરિણામો મળશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">