Lakhimpur kheri violence: સુપ્રીમ કોર્ટે સાક્ષીઓની સુરક્ષા માટે આપ્યો નિર્દેશ, સરકારને પૂછ્યું હજારો ખેડૂતોની રેલીમાં માત્ર 23 સાક્ષીઓ જ કેમ?

ખંડપીઠે ઉત્તર પ્રદેશ સરકારને ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 164 હેઠળ કેસમાં અન્ય સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

Lakhimpur kheri violence: સુપ્રીમ કોર્ટે સાક્ષીઓની સુરક્ષા માટે આપ્યો નિર્દેશ, સરકારને પૂછ્યું હજારો ખેડૂતોની રેલીમાં માત્ર 23 સાક્ષીઓ જ કેમ?
Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 6:56 AM

Lakhimpur kheri violence: સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે ઉત્તર પ્રદેશ સરકાર (UP Government) ને લખીમપુર ખીરી હિંસા કેસમાં સાક્ષીઓને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે. આ હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. ચીફ જસ્ટિસ એનવી રમના (NV Ramna), જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે ઉત્તર પ્રદેશ સરકારને ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 164 હેઠળ કેસમાં અન્ય સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

આ મામલે વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને ગરિમા પ્રસાદે બેન્ચ સમક્ષ રાજ્ય સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. બેન્ચે કહ્યું, “અમે સંબંધિત જિલ્લા ન્યાયાધીશને સીઆરપીસીની કલમ 164 હેઠળ પુરાવા દાખલ કરવાનું કામ નજીકના ન્યાયિક મેજિસ્ટ્રેટને સોંપવા માટે નિર્દેશ આપીએ છીએ,”CrPC (કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર) ની કલમ 164 હેઠળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો નોંધવામાં આવે છે અને તે નિવેદનો માન્ય છે.

પત્રકારની હત્યા કેસમાં રિપોર્ટ દાખલ કરવા સૂચના ખંડપીઠે સાલ્વેને “ફોરેન્સિક” પ્રયોગશાળાઓને “ઇલેક્ટ્રોનિક” પુરાવાના અહેવાલ તૈયાર કરવા અંગેની તેમની ચિંતાઓથી માહિતગાર કરવા જણાવ્યું હતું. તેમજ પત્રકારના લિંચિંગ કેસને લગતી બે ફરિયાદોના સંદર્ભમાં રાજ્ય સરકારને રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.

ખંડપીઠે કહ્યું, “રાજ્યને આ બાબતોમાં અલગ જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.” કોર્ટ હવે આ મામલાની વધુ સુનાવણી 8 નવેમ્બરે કરશે. સુનાવણી દરમિયાન, બેન્ચે આ કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા સાક્ષીઓની સંખ્યા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું, “મામલો એ છે કે હજારો ખેડૂતો રેલી કાઢી રહ્યા હતા અને ત્યાં માત્ર 23 સાક્ષીઓ જ છે?”

સાલ્વેએ કહ્યું કે 68 સાક્ષીઓમાંથી 30ના નિવેદન સીઆરપીસીની કલમ 164 હેઠળ નોંધવામાં આવ્યા છે અને કેટલાક અન્ય લોકોના નિવેદન પણ નોંધવામાં આવશે. “30 સાક્ષીઓમાંથી, માત્ર 23 લોકોએ પ્રત્યક્ષદર્શી હોવાનો દાવો કર્યો છે. મોટાભાગના સાક્ષીઓ પુનઃપ્રાપ્તિ સાથે સંબંધિત ઔપચારિક સાક્ષીઓ છે.” તેમણે કહ્યું કે ઘણા ડિજિટલ પુરાવા પણ પ્રાપ્ત થયા છે અને નિષ્ણાતો તેમની તપાસ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે આ વાત કહી હતી સુપ્રીમ કોર્ટે 20 ઓક્ટોબરે કહ્યું હતું કે લખીમપુર ખીરી હિંસાની તપાસ “અંતહીન વાર્તા” ન હોવી જોઈએ. સાથે જ ઉત્તર પ્રદેશ સરકાર (UP Government) ને ઠપકો આપતાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટને લાગ્યું કે રાજ્ય પોલીસ (UP Police) ધીમી ગતિએ કામ કરી રહી છે. સાક્ષીઓને સુરક્ષા આપવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબરની હિંસાના કેસની સુનાવણી કરી રહી છે જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા (Ajay Mishra) ના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 27 ઓક્ટોબર: આવકના સ્ત્રોત વધશે, ગુસ્સાને તમારા પર હાવી ના થવા દો, નહીં તો નકારાત્મક અસર થશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 27 ઓક્ટોબર: કામમાં ધ્યાન આપવાથી ફાયદો થશે, મનોબળ દ્વારા પોઝિટિવ પરિણામો મળશે

Latest News Updates

સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ