AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક વળાંક, રાજ ઠાકરેએ એકનાથ શિંદે સાથે કરી મુલાકાત

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ શુક્રવારે સાંજે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. હાલમાં તો આ મુલાકાતને એક ઔપચારિક બેઠક હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. પરંતુ આ મુલાકાતથી અલગ રાજકીય સમીકરણ રચાઈ શકે છે.

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક વળાંક, રાજ ઠાકરેએ એકનાથ શિંદે સાથે કરી મુલાકાત
Eknath Shinde - Raj Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 8:02 PM
Share

મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) દરરોજ નવા બદલાવ અને ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી એવી એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને રાજ ઠાકરેની (Raj Thackeray) જોડી ફરી સાથે આવી શકે છે અને ભાજપને સંયુક્ત રીતે લડત આપશે. પરંતુ તેમા એક નવો વળાંક આવ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ શુક્રવારે સાંજે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી.

તમામ લોકોની નજર રાજ ઠાકરે પર હતી

હાલમાં તો આ મુલાકાતને એક ઔપચારિક બેઠક હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. પરંતુ આ મુલાકાતથી અલગ રાજકીય સમીકરણ રચાઈ  શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં જે પ્રકારની રાજકીય ઘટનાઓ બની રહી છે ત્યારબાદથી તમામ લોકોની નજર રાજ ઠાકરે પર હતી. જણાવી દઈએ કે રાજ ઠાકરેની પાર્ટી પાસે માત્ર એક જ ધારાસભ્ય છે.

સંજય રાઉતે એક થવાના આપ્યા હતા સંકેત

શુક્રવારે સંજય રાઉતે સંકેત આપ્યો હતો કે, ઉદ્ધવ અને રાજ ઠાકરેનું એક સાથે આવવું શક્ય છે. શિવસેના બાદ NCP પણ બે જૂથોમાં વિભાજિત થઈ છે. આ સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી હતી કે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બે ભાઈ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થઈ શકે છે.

આ પણ વાંચો : Maharashtra: ઉદ્ધવ ઠાકરેને ફરી એક ઝટકો, નીલમ ગોરહે શિંદે જૂથમાં જોડાયા, સંજય રાઉતે કર્યો આ મોટો દાવો

સંજય રાઉતે કહ્યું હતું કે ઉદ્ધવ અને રાજ ભાઈ છે તેથી બંને ગમે ત્યારે સાથે આવી શકે છે, તેના માટે કોઈ વચેટિયાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, રાજ ઠાકરે સાથે મારી મિત્રતા જગજાહેર છે, તેથી આ મામલે વધું કહેવાની જરૂર નથી.

મહારાષ્ટ્રમાં શું છે રાજકીય સ્થિતિ?

મહારાષ્ટ્રની હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો અજિત પવાર એનસીપીના તેના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપ-શિંદે સરકારમાં જોડાયા છે. અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 8 નેતાને મંત્રી બનાવાયા છે. અજિત પવારની આ બગાવતથી NCP બે જૂથમાં વહેંચાઈ ગઈ અને તેનાથી વિપક્ષની એકતાને મોટો ફટકો પડ્યો છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">