Maharashtra Politics: ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં બળવાખોર ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી, એકનાથ શિંદે રહ્યા હાજર, વાયરલ થયો વિડિયો
Maharashtra Political News: ભંડારાના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરનો (Narendra Bhondekar) જન્મદિવસ ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં ઉજવવામાં આવ્યો.
Maharashtra Political Crisis: એકનાથ શિંદેના (Eknath Shinde) બળવા પછી મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર પર સંકટના વાદળો છવાય ગયા છે. ઉદ્ધવ ઠાકરે પણ અધવચ્ચે જ અટવાયા છે અને મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલથી એનસીપી અને કોંગ્રેસ પણ ડરમાં છે. આવી સ્થિતિમાં, ભંડારાના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકર (Narendra Bhondekar) નો જન્મદિવસ ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં ઉજવવામાં આવ્યો હતો. શિવસેનાના તમામ બળવાખોર ધારાસભ્યો આસામની આ હોટલમાં રોકાયા છે. ભોંડેકરના જન્મદિવસની ઉજવણીમાં બળવાખોર નેતા એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.
નરેન્દ્ર ભોંડેકરના જન્મદિવસની ઉજવણી સાથે સંબંધિત એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એકનાથ શિંદે અને તેમના જૂથના તમામ બળવાખોર ધારાસભ્યો જોવા મળે છે. એકનાથ શિંદે ભોંડેકરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને તેમને કેક ખવડાવી. તે જ સમયે, ભોંડેકરે શિંદેના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા.
આવા સમયે બર્થ ડે સેલિબ્રેશનનો આ વીડિયો સામે આવ્યો છે. જ્યારે શિંદેના બળવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. શિંદેના આ નવા વલણથી શિવસેનાના કાર્યકરો અને નેતાઓ ગુસ્સે છે અને તેમની અને બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ સતત પ્રદર્શન કરી રહ્યા છે.
#WATCH | Maharashtra’s Bhandara MLA Narendra Bhondekar’s birthday celebrated at the Radisson Blu Hotel in Guwahati in the presence of rebel Shiv Sena leader Eknath Shinde and other MLAs#MaharashtraPoliticalcrisis pic.twitter.com/rVq4GTkpGW
— ANI (@ANI) June 26, 2022
એમવીએની સરકાર માત્ર ‘બે-ત્રણ દિવસ’ માટે?
આ રાજકીય સંકટ પર અત્યાર સુધી મૌન સેવનાર ભાજપે પણ આજે મોટું નિવેદન જાહેર કર્યું છે. કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ રવિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર માત્ર “બે-ત્રણ દિવસ” જ ચાલશે. એનસીપી પાર્ટીના નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી રાજેશ ટોપેની હાજરીમાં અહીં કૃષિ વિભાગના બિલ્ડિંગના ઉદ્ઘાટન સમારોહમાં ભાષણ દરમિયાન ભાજપના નેતાએ કહ્યું કે એમવીએએ બાકીના વિકાસ કાર્યોને વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ કારણ કે અમે (ભાજપ) માત્ર બે-ત્રણ દિવસ માટે વિપક્ષમાં છીએ.’ તેમણે કહ્યું, સમય પૂરો થઈ રહ્યો છે. આ સરકાર બે-ત્રણ દિવસ ચાલશે. ભાજપને આ બળવા સાથે કોઈ લેવાદેવા નથી. શિવસેનાના બળવાખોરો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે.