મેડિકલ સ્ટાફની બેદરકારીએ 11 દર્દીનો જીવ લીધો, અહેમદનગર સિવિલ હોસ્પિટલ અગ્નિકાંડ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

અહમદનગરના SP મનોજ પાટીલે જણાવ્યુ કે, જ્યારે આગ લાગી ત્યારે કોઈ પણ સ્ટાફ મેમ્બર ત્યાં હાજર ન હતા અને બધા બહાર ચા-નાસ્તો કરી રહ્યા હતા.

મેડિકલ સ્ટાફની બેદરકારીએ 11 દર્દીનો જીવ લીધો, અહેમદનગર સિવિલ હોસ્પિટલ અગ્નિકાંડ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
Ahmednagar Hospital Fire ( File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 11:52 AM

Ahmednagar Hospital Fire : મહારાષ્ટ્રના અહેમદનગરમાં સિવિલ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં લાગેલી આગમાં 11 દર્દીઓના મોત થયા છે. આ કેસની તપાસમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના સંબંધીઓ અને સ્થળ પર હાજર અન્ય લોકોએ જણાવ્યું છે કે કોવિડ વોર્ડમાં આગ લાગ્યા બાદ જ્યારે દર્દીઓ મદદ માટે બુમ પાડી રહ્યા હતા ત્યારે હોસ્પિટલનો સ્ટાફ બહાર ચા-નાસ્તો કરવામાં વ્યસ્ત હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આગ લાગી ત્યારે ICU વોર્ડનો કોઈ પણ મેડિકલ સ્ટાફ (Medical Staff) હાજર ન હતો. આગ દરમિયાન વોર્ડના ઈન્ચાર્જની પણ ગેરહાજરીને કારણે દર્દીઓ મોતના મુખમાં ધકેલાયા.

ઘટના સમયે ICU વોર્ડનો કોઈ પણ મેડિકલ સ્ટાફ હાજર ન હતો

તપાસમાં એ વાત સામે આવી છે કે આગ લાગતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં રાખવામાં આવેલા અગ્નિશામક સાધનો આગને ઓલવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે આગ વધી ગઈ. જે સમયે આ આગ લાગી તે સમયે આઈસીયુ વોર્ડમાં (ICU Ward) 20 લોકો હાજર હતા. ICUમાં એવા ઘણા દર્દીઓ પણ હતા જેઓ વેન્ટિલેટર પર હતા. જે વોર્ડમાં આગ લાગી હતી તે હોસ્પિટલની બરાબર વચ્ચે છે, તેથી બચાવ કાર્યમાં પણ ઘણી મુશ્કેલી સર્જાઈ હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઘણા દર્દીઓના સંબંધીઓએ તેમની અગ્નિ પરીક્ષા વર્ણવી

વિવેક ખટીકે નામના યુવકે જણાવ્યું કે તેમના પિતાને પણ કોવિડ વોર્ડમાં (Covid Ward) દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનું પણ આ અકસ્માતમાં મોત થયું છે. તેણે કહ્યું કે તે દિવસે તેના પિતાએ તેને ટેબલ ફેન લગાવવાનું કહ્યું હતું. તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે આગ લાગી હતી અને ચારેબાજુ અરાજકતા અને ધુમાડો હતો. વોર્ડમાં દાખલ થતાં તેણે તેની માતાની ચીસો સાંભળી. વિવેકે પહેલા તેની માતાને ત્યાંથી બહાર કાઢી અને પછી પિતાને ખભા પર બેસાડી 200 મીટર દૂર જૂની બિલ્ડિંગમાં બીજા વોર્ડમાં લઈ ગયો, પરંતુ સારવાર દરમિયાન પિતાએ અંતિમ શ્વાસ લીધા.

મેડિકલ સ્ટાફ ચા-નાસ્તો કરવામાં વ્યસ્ત હતો !

અહમદનગરના એસપી મનોજ પાટીલે કહ્યું કે જ્યારે આગ લાગી ત્યારે વોર્ડમાં કોઈ પણ સ્ટાફ મેમ્બર ત્યાં હાજર ન હતા અને બધા બહાર ચા-નાસ્તો કરી રહ્યા હતા. હાલ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેના (Rajesh Tope) આદેશ પર તોફખાનમા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. એસપી મનોજ પાટીલે કહ્યું કે જો હોસ્પિટલ સ્ટાફે લોકોની મદદ કરી હોત તો મહત્તમ લોકોનો જીવ બચાવી શકાયો હોત.

આ પણ વાંચો: Maharashtra: આ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રનું ફરમાન, કોરોના વેક્સિન નહીં તો પેટ્રોલ અને રાશન પણ નહીં

આ પણ વાંચો: Sameer Wankhede Case: માનહાનિના કેસમાં કોર્ટે સમીર વાનખેડેના પિતાને કહ્યું- તમારો પુત્ર સરકારી અધિકારી છે, જનતા તેની સમીક્ષા કરી શકે છે

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">