Maharashtra: આ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રનું ફરમાન, કોરોના વેક્સિન નહીં તો પેટ્રોલ અને રાશન પણ નહીં

ઓછા રસીકરણવાળા 36 જિલ્લાઓની યાદીમાં ઔરંગાબાદ 26મા ક્રમે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં લગભગ 55 ટકા પાત્ર લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં તે 74 ટકા છે. પીએમ મોદીએ આ અંગે ભૂતકાળમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે પણ વાત કરી હતી.

Maharashtra: આ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રનું ફરમાન, કોરોના વેક્સિન નહીં તો પેટ્રોલ અને રાશન પણ નહીં
Corona Vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 9:50 AM

મહારાષ્ટ્રના (Maharashtra) ઔરંગાબાદમાં જિલ્લા વહીવટીતંત્રે કોરોના વાયરસની (Corona) રસી ન લેનારાઓ માટે ખૂબ જ કડક આદેશ આપ્યો છે. જિલ્લા વહીવટીતંત્રે બુધવારે જિલ્લાની તમામ રાશનની દુકાનો, ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપોને માત્ર એવા નાગરિકોને જ સામાન અને ઇંધણ સપ્લાય કરવા જણાવ્યું હતું જેમને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, જે લોકોને રસી નહીં લીધી હોય તેઓ જિલ્લાના પ્રવાસન સ્થળો પર પણ પ્રવેશ મેળવી શકશે નહીં.

આ આદેશ અનુસાર, રસી ન લેનારાઓને મુસાફરી પ્રતિબંધોનો પણ સામનો કરવો પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના રસીકરણની ઓછી ઝડપને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા 20 નવેમ્બર સુધી નિર્ધારિત 100 ટકા રસીકરણના લક્ષ્યને હાંસલ કરવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. વહીવટી આદેશ અનુસાર, તમામ હોટેલ, રિસોર્ટ, તમામ પર્યટન સ્થળો પર આવેલી દુકાનોમાં કામ કરતા લોકો માટે રસીકરણ કરાવવું જરૂરી બનાવવામાં આવ્યું છે. આ આદેશ જિલ્લામાં 9 નવેમ્બરથી અમલી બન્યો છે.

જિલ્લા અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના 36 જિલ્લાઓમાં રસીકરણની બાબતમાં તે 26મા ક્રમે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં લગભગ 55 ટકા પાત્ર લોકોને રસી આપવામાં આવી છે, જ્યારે રાજ્યમાં તે 74 ટકા છે. મંગળવારે રાત્રે જાહેર કરાયેલા આદેશમાં ઔરંગાબાદના કલેક્ટર સુનિલ ચવ્હાણે વાજબી ભાવની દુકાનો, ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપના અધિકારીઓને ગ્રાહકોના રસીકરણ પ્રમાણપત્રો તપાસવા માટે નિર્દેશ આપ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જિલ્લા વહીવટીતંત્રને કોરોના રસીકરણ માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં સરેરાશ રસીકરણ દર 74 ટકા છે, જ્યારે ઔરંગાબાદમાં રસીકરણ માટે યોગ્ય લોકોમાંથી માત્ર 55 ટકા લોકોએ રસીનો એક જ ડોઝ મેળવ્યો છે, 23 ટકા લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે. તહેવારોની સિઝનમાં કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને રસીકરણને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આદેશનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે અધિકારીઓએ કહ્યું કે જો આદેશનું પાલન કરવામાં નહીં આવે તો વહીવટીતંત્ર સંબંધિત વ્યક્તિ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરશે. કલેક્ટરે તાજેતરમાં એવો આદેશ પણ આપ્યો હતો કે જેમણે કોવિડ-19 રસીનો એક પણ ડોઝ લીધો નથી તેમને ઔરંગાબાદમાં ઐતિહાસિક સ્થળો અને સ્મારકોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં કારણ કે આ વિસ્તારમાં રસીકરણની ગતિ ધીમી હતી.

વહીવટીતંત્રના આદેશ અનુસાર, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમણે રસીનો પ્રથમ ડોઝ લીધો નથી અને જેમણે સમયસર બીજો ડોઝ આપ્યો નથી તેમને પ્રવાસન સ્થળોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમાં બીબી કા મકબરા, અજંતા, ઈલોરા ગુફાઓ અને દૌલતાબાદ કિલ્લો અને અન્ય પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે.

રાત્રે 8 વાગ્યા સુધી રસીકરણ કરવામાં આવશે અન્ય એક અધિકારીએ જણાવ્યું કે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માટે ઔરંગાબાદ જિલ્લા પરિષદે રસીકરણનો સમય સાંજ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. જિલ્લા પરિષદના આરોગ્ય અધિકારી સુધાકર શેકલેએ જણાવ્યું હતું કે, “ઘણા લોકો સવારથી સાંજ સુધી ખેતરોમાં કામ કરે છે. તેથી તેમના રસીકરણની સુવિધા માટે જિલ્લા પરિષદ દ્વારા સાંજે 5 થી 8 દરમિયાન જિલ્લામાં રસીકરણ કરવામાં આવશે.

આ પણ વાંચો : Jalaram Jayanti 2021: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222 મી જન્મજયંતિ ! જાણો તેમના જીવનમાં કેવા ચમત્કારો થયા ?

આ પણ વાંચો : Boney Kapoor Birthday: બોની કપૂર શ્રીદેવી સાથે કરવા માંગતા હતા લગ્ન, પરંતુ તેને રાખડી બંધાવવાની ફરજ પડી

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">