Maharashtra Corona Update: થાણેમાં કોરોનાના નવા 77 કેસ નોંધાયા, 1 દર્દીનું થયું મોત
આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત થયું છે. મૃત્યુઆંક વધીને 11,585 થઈ ગયો છે. આ સાથે જ કોવિડ-19થી મૃત્યુદર વધીને 2.03 ટકા થઈ ગયો છે.
અગાઉ જણાવ્યા મુજબ, દેશભરમાં કોરોનાની ઝડપ હવે ધીમી પડતી જણાઈ રહી છે. ત્યારે મહારાષ્ટ્ર (Maharashtra) ના થાણે (Thane) જિલ્લામાં શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના (Corona Virus Infection) 77 નવા કેસ આવ્યા છે. આ નવા કેસોના કારણે અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 5,69,553 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વધુ એક દર્દીના મૃત્યુ સાથે જિલ્લામાં કુલ મૃતકોની સંખ્યા વધીને 11,585 થઈ ગઈ છે.
આરોગ્ય વિભાગ (Department of Health) ના અધિકારીએ કહ્યું કે ગુરુવારે કોરોના સંક્રમણ અને મૃત્યુના નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત થયું છે. તેના કારણે થાણેમાં કોવિડ-19થી મૃત્યુદર વધીને 2.03 ટકા થઈ ગયો છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે પાલઘર જિલ્લામાં સંક્રમણના કેસ વધીને 1,38,676 થઈ ગયા છે. જ્યારે કોરોના મહામારીથી મૃત્યુઆંક વધીને 3300 થઈ ગયો છે.
7 દિવસ માટે સંસ્થાકીય ક્વોરન્ટાઈન ફરજિયાત
જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા મંગળવારે રાત્રે જાહેર કરાયેલ માર્ગદર્શિકા હેઠળ રાજ્ય સરકારે જોખમ વાળા દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે 7 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રહેવું ફરજિયાત બનાવ્યું છે. તેવી જ રીતે, મુસાફરોએ તેમના આગમનના બીજા, ચોથા અને સાતમા દિવસે RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી છે. જો વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળે છે, તો મુસાફરને હોસ્પિટલમાં મોકલવામાં આવશે. જો પેસેન્જર નેગેટિવ મળી આવે તો પણ તેણે 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.
માસ્ક લગાવવું ફરજિયાત છે, નહીં તો દંડ થશે
નોંધનીય છે કે રાજ્ય સરકારના નિયમો અનુસાર માસ્ક લગાવવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. જો કોઈ માસ્કનો ઉપયોગ કરતું નથી, તો 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો દુકાનોમાં માસ્ક વગર ગ્રાહકો જોવા મળશે તો દુકાનદારો પાસેથી 10 હજાર રૂપિયા વસૂલવામાં આવશે. તેવી જ રીતે, જો કોઈ મોલમાં માસ્ક વગર જોવા મળે છે, તો મોલ માલિક પાસેથી 50 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
જો રાજકીય સભાઓ, કાર્યક્રમોમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન જોવા મળે તો 50 હજાર રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવશે. ટેક્સી અથવા ખાનગી વાહનોમાં માસ્કનો ઉપયોગ ન કરવા પર, મુસાફરો પાસેથી 500 રૂપિયા અને વાહન માલિકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.