AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા પણ બદલી શકશો ‘બોર્ડિંગ સ્ટેશન’; મુસાફરો માટે ખુશખબર

શું તમે ક્યારેય ટ્રેન પકડવા માટે છેલ્લા સમયે સ્ટેશન બદલવાનું વિચાર્યું છે? ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે બોર્ડિંગ સ્ટેશનના નિયમોમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. ઉનાળાની રજાઓ અને લગ્નસરાની સીઝન પહેલા રેલવેનો આ નિર્ણય લાખો મુસાફરો માટે રાહતરૂપ સાબિત થશે.

હવે ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા પણ બદલી શકશો 'બોર્ડિંગ સ્ટેશન'; મુસાફરો માટે ખુશખબર
| Updated on: Mar 24, 2026 | 9:05 PM
Share

ભારતીય રેલવેએ મુસાફરોની મુસાફરીને વધુ લવચીક અને આસાન બનાવવા માટે ‘બોર્ડિંગ સ્ટેશન’ (જ્યાંથી ટ્રેનમાં ચઢવાનું હોય) ના નિયમોમાં સુધારો કર્યો છે. ખાસ કરીને વ્યસ્ત સીઝન અને ઇમરજન્સી પ્લાનિંગ માટે આ ફેરફાર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

શું બદલાયો છે નિયમ?

અત્યાર સુધી મુસાફરોએ ચાર્ટ બનતા પહેલા બોર્ડિંગ સ્ટેશન બદલવું પડતું હતું, જે સામાન્ય રીતે ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા થતું હતું. પરંતુ હવે નવા નિયમ મુજબ:

  • મુસાફરો ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા સુધી પોતાનું સ્ટેશન બદલી શકશે.
  • જો તમે અમદાવાદથી ટિકિટ લીધી હોય પણ હવે દિલ્હીથી ટ્રેનમાં બેસવું હોય, તો તમે છેલ્લા સમયે આ ફેરફાર કરી શકશો.
  • આ સુવિધા આવતા મહિનાથી તમામ રિઝર્વ ટ્રેનોમાં અમલી બનશે.

બોર્ડિંગ સ્ટેશન બદલવાના ખાસ નિયમો:

  • અધિકાર જશે: એકવાર બોર્ડિંગ સ્ટેશન બદલ્યા પછી, મુસાફર અગાઉના (મૂળ) સ્ટેશનથી ટ્રેનમાં ચઢવાનો અધિકાર ગુમાવશે.
  • દંડની જોગવાઈ: જો તમે બોર્ડિંગ સ્ટેશન બદલ્યા વગર અન્ય સ્ટેશનથી ટ્રેનમાં ચઢતા પકડાયા, તો મૂળ સ્ટેશનથી નવા સ્ટેશન સુધીનું ભાડું અને દંડ ભરવો પડશે.
  • રિફંડ: બોર્ડિંગ સ્ટેશન બદલવા પર ભાડામાં કોઈ રિફંડ મળવાપાત્ર રહેશે નહીં.

ક્યારે નહીં મળે આ સુવિધા?

  • જો તમારી ટિકિટ જપ્ત અથવા સીઝ કરવામાં આવી હોય.
  • જો PNR માં VIKALP (વિકલ્પ) યોજના પસંદ કરેલી હોય.
  • વિન્ડો (કાઉન્ટર) પરથી લીધેલી ટિકિટ માટે ઓનલાઇન સ્ટેશન બદલવાની સુવિધા મળશે નહીં.
  • જો બુકિંગ વખતે જ બોર્ડિંગ સ્ટેશન બદલાવેલું હોય, તો માત્ર એક જ વાર ફરીથી બદલવાની તક મળશે.

રેલવેનો આ નવો નિર્ણય એવા મુસાફરો માટે વરદાન છે જેઓ છેલ્લા સમયે મુસાફરીના પ્લાનમાં ફેરફાર કરે છે. હવે તમારે ટ્રેન પકડવા માટે દૂરના સ્ટેશન સુધી દોડવાની જરૂર નથી, જો ટ્રેન તમારા નજીકના સ્ટેશન પર ઉભી રહેતી હોય તો તમે ઘરે બેઠા જ સ્ટેશન ચેન્જ કરી શકો છો.

શું તમારી બાલ્કનીમાં પણ કબૂતરોએ મચાવ્યો છે આતંક ? આ 9 સિક્રેટ ટિપ્સ અપનાવો એક પણ કબૂતર ફરકશે નહીં

Follow Us
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
g clip-path="url(#clip0_868_265)">