AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rose Water : ત્વચાની સંભાળ માટે ઘરે કઈ રીતે બનાવવું ગુલાબજળ? જાણો તેના અમુલ્ય ફાયદા

Rose Water : તમે તમારી સુંદરતામાં વધારો કરવા માટે લાભોથી સમૃદ્ધ ગુલાબજળનો સમાવેશ કરી શકો છો. ચાલો જાણીએ કે તેને ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય છે.

Rose Water : ત્વચાની સંભાળ માટે ઘરે કઈ રીતે બનાવવું ગુલાબજળ? જાણો તેના અમુલ્ય ફાયદા
Rose Water : How to make rose water at home for skin care
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 11:41 PM
Share

ગુલાબ જળ એક સુગંધિત પાણી હોય છે. તે ગુલાબની પાંખડીઓમાંથી બનાવવામાં આવે છે. તે તેના બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. તે ચામડીની બળતરા અને રોઝેસીયા, ખરજવું અને અતિશય શુષ્કતા જેવી સ્થિતિને શાંત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ત્વચાના પીએચ સ્તરને જાળવવામાં પણ મદદ કરે છે. તમે તમારી સુંદરતાની દિનચર્યામાં ત્વચા લાભોથી ભરપૂર ગુલાબજળનો સમાવેશ કરી શકો છો. ચાલો જાણીએ કે તેને ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય છે.

રોઝ વોટર

ગુલાબની પંખુડી – કેટલાક તાજા ગુલાબ ખરીદો, તેની ડાળ કાપી નાખો અને પાંખડીઓ ખેંચવાનું શરૂ કરો. આ માટે તમે ઓર્ગેનિકલી ઉગાડવામાં આવેલા ગુલાબનો ઉપયોગ કરી શકો છો, જે કોઈપણ જંતુનાશકો અથવા રસાયણોથી મુક્ત હોય.

તેમને ધોઈ લો – દરેક પ્રકારની ગંદકી દૂર કરવા માટે પાંખડીઓને સારી રીતે ધોઈ લો અને પછી એક વાસણમાં પાણી નાખો. તેમાં પાંદડીઓ મૂકો. પાંદડીઓ ડૂબે એ માટે પૂરતું પાણી ઉમેરો.

વાસણ ગરમ કરો – હવે વાસણને ઢાંકીને 10-15 મિનિટ માટે ધીમી આંચ પર ગરમ કરો. આ પ્રક્રિયામાં પાંખડીઓ પોતાનો આછો રંગ છોડશે.

પાણીને ગાળી લો – આ રીતે પાંખડીઓ હલકી બનશે. તે પછી પાણીને ગાળી લો. તમે પાંખડીઓ દબાવી પણ શકો છો. તેને થોડા સમય માટે ઠંડુ થવા દો અને ફ્રીજમાં લાંબા સમય સુધી રાખો.

ગુલાબ જળ શું હોય છે?

ગુલાબની પાંદડીઓ ગાળીને ગુલાબજળ બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઈરાનથી ઉદ્ભવ્યું છે. અહીં ગુલાબજળનો ઉપયોગ રસોઈ, ચામડીની સંભાળ, વાળની ​​સંભાળ અને અત્તર માટે કરવામાં આવતો હતો. ગુલાબ જળ એક કુદરતી એસ્ટ્રિજન્ટ છે. તે ત્વચાના પીએચ સ્તરને પુન:સ્થાપિત કરવામાં અને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે તમારી ત્વચાને તાજી અને ચમકદાર રાખે છે.

ગુલાબજળના ફાયદા- ગુલાબજળ બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. તે ત્વચાની બળતરા, ખીલ, ખરજવું ઘટાડવામાં મદદ કરે છે. તે શુષ્ક ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. તેનો ઉપયોગ તમારી ત્વચાને હાઇડ્રેટેડ, તાજી અને નરમ રાખે છે. ગુલાબજળમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ વધારે હોય છે. તે તમારા ચહેરા પર કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. કોઈપણ ફેસ પેક બનાવતી વખતે તમે 2 ચમચી ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. તે તમારા ચહેરાને હાઇડ્રેટ કરે છે. તેનાથી તમારો ચહેરો પણ ચમકતો રહે છે.

આ પણ વાંચો: Health Tip : જાણો રાત્રિભોજન પછી 15 મિનિટ ચાલવાના સ્વાસ્થ્ય લાભો, રહેશો હંમેશા સ્વસ્થ અને ફિટ

આ પણ વાંચો: જો બાળકને બે દિવસથી વધુ તાવ હોય તો તરત જ લો ડોકટરોની સલાહ, બેદરકારી સ્વાસ્થ્ય વધુ ખરાબ કરી શકે છે

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">