AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle : નારિયેળ તેલમાં આ બે વસ્તુઓ મિક્સ કરો અને ડાર્ક સર્કલને કાયમ માટે દૂર કરો

નાળિયેરનું તેલ ફક્ત વાળ માટે જ નહીં પરંતુ આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવા માટે પણ જાદુઈ કામ કરે છે. જરૂર છે તમારે તેની સાથે અમે જણાવેલી બે વસ્તુઓ ઉમેરવાની. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરીને પરિણામ જોઈ શકો છો.

Lifestyle : નારિયેળ તેલમાં આ બે વસ્તુઓ મિક્સ કરો અને ડાર્ક સર્કલને કાયમ માટે દૂર કરો
Dark Circles
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 4:11 PM
Share

વાળને સ્વસ્થ (Hair Care) રાખવાની સાથે નારિયેળ તેલ ત્વચાની અનેક સમસ્યાઓને પણ દૂર કરે છે. ઘણીવાર લોકો મોબાઈલ, લેપટોપ પર સતત કામ કરતા રહે છે, કલાકો સુધી ટીવી જોઈએ છે, ઓછી ઊંઘ લઈએ છે, વધુ કામ કરીએ છે, હેલ્ધી ડાયટ પણ લેતા નથી. આ સ્થિતિમાં આંખોની નીચે ડાર્ક સર્કલ બને છે. જો તમને પણ ડાર્ક સર્કલની (Dark Circles) સમસ્યા છે અને ઘણા ઉપાયો અજમાવવા છતાં પણ તે ઓછી નથી થઈ રહી તો તમે નારિયેળ તેલ લગાવી શકો છો.

જો તમે આ તેલમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને લગાવશો તો આંખોના ડાર્ક સર્કલ દૂર થઈ જશે. નાળિયેર તેલમાં મોનોસેચ્યુરેટેડ, પોલિસેચ્યુરેટેડ સંયોજનો હોય છે, જે ડાર્ક સર્કલ્સને દૂર કરે છે. જો તમે ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો નારિયેળના તેલમાં આ બે વસ્તુઓ મિક્સ કરીને લગાવો અને આંખોની નીચેના ડાર્ક સર્કલથી છુટકારો મેળવો.

નાળિયેર તેલમાં હળદરની પેસ્ટ ઉમેરો નારિયેળનું તેલ ડાર્ક સર્કલ સહિત ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. આ તેલમાં થોડી હળદરનો પાવડર ઉમેરીને ડાર્ક સર્કલ પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી પાણીથી ચહેરો સાફ કરો.

નાળિયેર તેલ સાથે બદામનું તેલ મિશ્રિત બદામના તેલનો ઉપયોગ ત્વચાના ઘણા ઉત્પાદનો બનાવવામાં પણ થાય છે. જો તમારે ડાર્ક સર્કલથી છુટકારો મેળવવો હોય તો નારિયેળના તેલમાં બદામના તેલના થોડા ટીપા ઉમેરો. તેને આંખોની નીચે ડાર્ક સર્કલ પર લગાવો અને એક કલાક માટે રહેવા દો. તમે આ તેલને રાત્રે સૂતા પહેલા પણ લગાવી શકો છો. સવારે ઉઠીને પાણીથી ચહેરો સાફ કરો.

નાળિયેર તેલ લગાવતા પહેલા સાવચેતી રાખો નાળિયેર તેલ એવી રીતે લગાવો કે તેલ આંખોમાં ન જાય, નહીંતર હળદરથી બળતરા થઈ શકે છે. નાળિયેરનું તેલ જ લગાવો, અન્ય તેલ નહીં. નાળિયેર તેલની કોઈ આડઅસર નથી.

નાળિયેરનું તેલ ફક્ત વાળ માટે જ નહીં પરંતુ આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવા માટે પણ જાદુઈ કામ કરે છે. જરૂર છે તમારે તેની સાથે અમે જણાવેલી બે વસ્તુઓ ઉમેરવાની. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરીને પરિણામ જોઈ શકો છો.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો: ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ સાથે ઝીકા વાયરસનું જોખમ પણ વધ્યું, આ લક્ષણોથી ઓળખો આ ત્રણેય રોગને

આ પણ વાંચો: Health : શિયાળાની સીઝનમાં દરરોજ આમળાનું સેવન આપશે ચમત્કારિક પરિણામ

g clip-path="url(#clip0_868_265)">