AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમને પણ યુરિક એસિડ વધવાની સમસ્યા છે, તો આજે જ તમારા ડાયટમાંથી આ શાકભાજીને દૂર કરો

યુરિક એસિડનું (uric acid) પ્રમાણ વધાવાથી હાથ, પગમા સોજો આવી શકે છે અથવા તો સાંધાના દુખાવાની સમસ્યા ઊભી થાય છે અને કેટલાક લોકોને એકસાથે બન્ને સમસ્યા થઈ શકે છે.

તમને પણ યુરિક એસિડ વધવાની સમસ્યા છે, તો આજે જ તમારા ડાયટમાંથી આ શાકભાજીને દૂર કરો
Vegetables
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 8:14 PM
Share

કેટલાક લોકોના શરીરમાં યુરિક એસિડ વધવાની સમસ્યા જોવા મળે છે. જે લોકોને આ સમસ્યા હોય છે તેમના શરીરમાથી યુરિક એસિડ બહાર નિકળતુ રહે છે જેના કારણે તેમને સાંધાના દુખાવાની તકલીફ જોવા મળે છે. યુરિક એસિડની સમસ્યા ત્યારે જ થાય છે જયારે વધારે પડતા એસિડ પ્યૂરીનથી ભરપુર વસ્તુઓ ખાવામા આવે. જેથી આવા લોકોને આવા ખોરાકથી દૂર રહેવુ જોઈએ છતા પણ જો તે આવા ખોરાક ખાવાનુ પસંદ કરે છે તો તેમને શરીરમા યુરિક એસિડનુ પ્રમાણ વધી જાય છે. યુરિક એસિડનુ પ્રમાણ વધાવાથી હાથ, પગમા સોજો આવી શકે છે અથવા તો સાંધાના દુખાવાની સમસ્યા ઊભી થાય છે અને કેટલાક લોકોને એકસાથે બન્ને સમસ્યા થઈ શકે છે. તો આજે જાણીશું કે કયા શાકભાજીને તમે દૂર કરવાથી તમને યુરિક એસિડની તકલીફમા આરામ મળી શકે છે.

પાલક

શિયાળામા પાલકની ભાજી વધારે જોવા મળે છે અને લોકો શિયાળામા પાલકનુ સેવન વધારે કરે છે. પાલકમા પ્રોટીન અને પ્યૂરીન એસિડ બન્નેનુ પ્રમાણ જોવા મળે છે, જેથી યુરિક એસિડના દર્દીને પાલકથી દૂર રહેવુ જોઈએ.

કઠોળ

કઠોળમા યુરિક એસિડની માત્રા વધારે હોય છે, તેથી યુરિક એસિડ ધરાવતા વ્યક્તિ જો કઠોળ ખાતા છે તો તેમને સોજા આવવા અને સાંધા દુખવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.

અરબી

અળવી એક રેસાવાળું શાક છે જે જમીનની અંદર ઉગે છે. જેને મોટાભાગના લોકો અરબીને ખાવાનું પસંદ કરે છે. લોકો અલગ-અલગ કોમ્બિનેશનથી અળવીનુ શાક બનાવતા હોય છે પરંતુ, જે લોકોને યુરિક એસિડની સમસ્યા હોય છે તેમણે ભૂલથી પણ અળવીનું શાક ન ખાવું જોઈએ. તેનાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી છે અને સાંધાનો દુખાવો થાય છે.

ફ્લાવર

લોકોને ફ્લાવર પણ અતિપ્રિય છે લોકોને ફ્લાવરના શાકની સાથે ફ્લાવરના પરોઠા અને પકોડા પણ વધારે પસંદ આવે છે. જેથી જે લોકો ફ્લાવરનુ શાક વધારે ખાય છે તે લોકોમા યુરિક એસિડની સમસ્યામા વધારો થાય છે. તેથી આ લોકોને ફ્લાવરનુ શાક ખાવાનુ ટાળવું જોઈએ.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.

Follow Us
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">