Cardamom Health Benefits : નાનકડી એલચીના મોટા ફાયદા જાણવા માગતા હોવ તો વાંચો આ ખાસ લેખ
એલચી( Cardamom) નો ઉપયોગ ઘણીવાર લોકો માઉથ ફ્રેશનર તરીકે કરે છે, પરંતુ તે પોષક તત્વોથી ભરપૂર છે અને ઘણી મોટી સમસ્યાઓથી બચવામાં મદદરૂપ છે. જો એલચીને દૂધ સાથે લેવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે.
Cardamom : એલચી, જેનો ઉપયોગ તમે ખાવાનો સ્વાદ વધારવા અથવા માઉથ ફ્રેશનર તરીકે કરો છો, તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. એલચીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, વિટામિન B6, પ્રોટીન, ફાઈબર, રિબોફ્લેવિન, નિયાસિન વગેરે જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. જો તેને દૂધ (Summer)માં ઉમેરીને લેવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. ઉનાળા (Summer)માં એલચી તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે, તેથી દૂધ તમારા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે. જાણો એલચી (Cardamom)નું દૂધ પીવાના તમામ ફાયદાઓ વિશે.
એલચી વાળું દૂધ પીવાના ફાયદા
હાડકાની મજબૂતી માટે
દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જ્યારે એલચીમાં પણ કેલ્શિયમ હોય છે. આવી સ્થિતિમાં જ્યારે એલચીને દૂધમાં ભેળવવામાં આવે છે, ત્યારે તેના પોષક તત્વોમાં નોંધપાત્ર વધારો થાય છે. એલચીનું દૂધ હાડકાની મજબૂતી માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. વૃદ્ધોને ખાસ કરીને એલચી મિશ્રિત દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.
હાઈ બીપી ધરાવતા લોકો માટે ફાયદાકારક
જે લોકોને હાઈ બીપીની સમસ્યા હોય તેમના માટે પણ એલચીનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે. એલચી અને દૂધ બંનેમાં મેગ્નેશિયમ મળી આવે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.
પાચન તંત્ર
પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં ફાયબર બહુ મોટી ભૂમિકા ભજવે છે. દૂધ અને એલચી બંનેમાં ફાઈબર જોવા મળે છે. આવી સ્થિતિમાં જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય તેમણે ઈલાયચી સાથે ઠંડુ દૂધ પીવું જોઈએ.
ફોલ્લાઓની સમસ્યા દૂર થાય
પેટમાં ખરાબી અને પેટમાં ગરમી વધવાથી મોઢામાં ચાદા પડવાની સમસ્યા રહે છે. એલચીમાં ઠંડકની અસર હોય છે, જ્યારે દૂધમાં ગરમીને દૂર કરવાની ક્ષમતા પણ હોય છે. આવી સ્થિતિમાં એલચીનું દૂધ પીવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે.
કેન્સર સામે રક્ષણ આપે છે
એલચીનું દૂધ પીવાથી કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકાય છે. તેમાં એવા તમામ ઘટકો છે જે કેન્સરના જોખમને રોકવામાં મદદરૂપ છે. જો કે, તેનો ઉપયોગ કેન્સરની સારવાર તરીકે થઈ શકતો નથી.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)