AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Foods: હવે રાત્રે તમારી ઊંઘ ખરાબ નહીં થાય! આ ખોરાક ખાશો તો આવી જશે ધસધસાટ ઊંઘ

એક વાર જો ઉંધવાની સાયકલ બગડી ગઈ તો તેને યોગ્ય કરવી સરળ નથી. નીંદર ન આવવાની સમસ્યા ના કારણે કેટલાક લોકો માટે મેડિકલ ટ્રીટમેન્ટ લેવાની જરૂર પણ પડે છે.

Sleeping Foods:  હવે રાત્રે તમારી ઊંઘ ખરાબ નહીં થાય! આ ખોરાક ખાશો તો આવી જશે ધસધસાટ ઊંઘ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 11:44 AM
Share

શરીરને સ્વસ્થ રાખવા માટે આહારની સાથે સારી ઊંઘ પણ જરૂરી છે. જો પૂરતી ઊંઘ ન આવે તો તેની અસર સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. ટેક ગેજેટ્સના વધુ પડતા ઉપયોગને કારણે લોકોની ઊંઘનું ચક્ર બગડી ગયું છે. કેટલાક લોકો સૂવા માટે પથારીમાં જાય છે પરંતુ તેમને સૂવા માટે કલાકો સુધી સંઘર્ષ કરવો પડે છે.એકવાર ઊંઘનું ચક્ર ખોરવાઈ જાય તો તેને ઠીક કરવું એટલું સરળ નથી. ઊંઘ ન આવવાની સમસ્યાને કારણે કેટલાક લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ પણ લેવી પડે છે.

જો કે, તમે પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવીશું, જેના કારણે તમને ગાઢ ઊંઘ આવશે.

બદામ

જ્યારે પણ યાદશક્તિ વધારવાની વાત આવે છે ત્યારે બદામનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. પરંતુ આ સિવાય તે સારી ઊંઘ માટે પણ ફાયદાકારક છે. જે લોકોને રાત્રે ઊંઘમાં તકલીફ થતી હોય તેમણે બદામ જરૂર ખાવી જોઈએ. મોટાભાગના લોકો એ નથી જાણતા કે કેટલી બદામ ખાવી જોઈએ, તો તમારે સૂતા પહેલા 2 બદામ ખાવી જોઈએ.

દૂધ

દૂધને સંપૂર્ણ આહાર તરીકે ઓળખવામાં આવે છે. કેલ્શિયમની ભરપૂર માત્રાને કારણે દૂધ ઊંઘની સમસ્યાને પણ દૂર કરે છે. ઊંઘની સમસ્યામાં રાત્રે હળદરવાળું દૂધ પીવું. સૂવાના લગભગ 30 મિનિટ પહેલા હળદરવાળું દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.

કેળા

કેળામાં આર્યનની માત્રા વધારે હોય છે પરંતુ બોડીને મજબુત બનાવનાર આ ફળ ઊંધની સમસ્યામાં ખુબ ફાયદાકારક છે. રોજ સવાર કેળા ખાવાથી ઊંધ ન આવવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

કાજુ

કહેવાય છે કે સૂતા પહેલા કાજુ ખાવા જોઈએ. આ સારી ઊંઘ માટે મદદરૂપ છે. તમને જણાવી દઈએ કે કાજુ આપણી નસોને આરામ આપવામાં મદદ કરે છે. તેમાં રહેલું મેંગેનીઝ આપણને આરામથી ઊંઘવામાં મદદ કરે છે. કાજુમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોતી નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓ તેને રાત્રિ લઈ શકે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">