Paneer Benefits: રોજ નાસ્તામાં 100 ગ્રામ પનીર ખાઓ, હિમોગ્લોબિન ઝડપથી વધશે વજન પણ નિયંત્રણમાં રહેશે

પનીર માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે શરીર માટે પણ ફાયદાકારક છે. તેને ખાવાથી શરીરમાં તમામ પોષકતત્વો મળી રહે છે અને શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે. જો રોજ સવારે કાચું પનીર (Paneer) ખાવામાં આવે તો શરીરને તેના તમામ ફાયદાઓ મળે છે.

Paneer Benefits: રોજ નાસ્તામાં 100 ગ્રામ પનીર ખાઓ, હિમોગ્લોબિન ઝડપથી વધશે વજન પણ નિયંત્રણમાં રહેશે
હિમોગ્લોબિન વધારવા પનીર ખાઓImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 4:23 PM

Benefits Of Paneer : સવારનો નાસ્તો તમારા શરીરમાં એનર્જીનું કામ કરે છે. આ તમને આખા દિવસ માટે એનર્જી આપે છે, જે તમને દિવસભર કામ કરવાની તાકાત આપે છે. જો કે સારા સ્વાસ્થ્ય (Health) માટેની તમામ વસ્તુઓ તમારા રસોડામાં હાજર છે, પરંતુ આજે અમે તમને કાચા પનીર વિશે જણાવીશું. જો તમે દરરોજ તમારા નાસ્તામાં 100 ગ્રામ કાચું પનીર (Raw Paneer) લેવાનું શરૂ કરો છો, તો તે તમને આખા દિવસ માટે એનર્જી તો આપશે જ, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને જડમૂળથી દૂર કરી શકે છે. અહીં જાણો કાચા પનીર ખાવાના ફાયદા.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે

પાણી કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, વિટામિન્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સ વગેરે જેવા પોષક તત્વોથી ભરપૂર છે. તમારા શરીરમાં આ વસ્તુઓની ઉણપને પૂરી કરવાની સાથે તે સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

હિમોગ્લોબિન વધારે છે

સ્ત્રીઓના શરીરમાં ઘણીવાર હિમોગ્લોબીનની ઉણપ જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તેઓ કાચા પનીરનું સેવન કરે છે, તો શરીરમાં લોહીની ઉણપ ઝડપથી દૂર થાય છે. તેમાં રહેલું આયર્ન એનિમિયાને ઝડપથી દૂર કરે છે.

Salt : મીઠું અસલી છે કે નકલી? ઘરે સરળતાથી કેવી રીતે ઓળખવું
ભારતની રાજધાની રહી ચુક્યુ છે આ હિલ સ્ટેશન, વરસાદ આવતા જ બની જાય છે સ્વર્ગ
15 દિવસ સુધી વાસી મોંઢે ચાવો માત્ર 2 એલચી, મળશે ચોંકાવનારો ફાયદો
તમે 30 વર્ષના છો અને 40 વર્ષની ઉંમરે કરોડપતિ બનવા માગો છો, બસ કરો આ એક કામ
કાવ્યા મારનને લાગ્યો સૌથી મોટો ઝટકો, એક જ ઝાટકે 4000 કરોડ સ્વાહા
જે કામ સુનીલ ગાવસ્કર 30 વર્ષ સુધી ન કરી શક્યા તે હવે અજિંક્ય રહાણે કરશે

વજન સંતુલિત રાખે છે

પનીર ખાધા પછી પેટ ભરાઈ જાય છે. તમે લાંબા સમય સુધી બીજું કંઈપણ ખાવા માંગતા નથી. આવી સ્થિતિમાં, શરીર અતિશય આહારથી બચે છે અને તેનું વધારાનું વજન વધતું નથી. પનીર તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું પણ કામ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે

ડાયાબિટીસના દર્દીઓ માટે કાચું પનીર ફાયદાકારક માનવામાં આવે છે. તેને સવારે ખાલી પેટ ખાવાથી એનર્જી તો મળે જ છે સાથે જ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ દિવસ દરમિયાન તેને નાસ્તા તરીકે પણ ખાઈ શકે છે.

હાડકાં મજબૂત કરે

કાચા પનીર ખાવાથી હાડકા પણ મજબૂત બને છે. તે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. તે સ્ત્રીઓમાં ઓસ્ટીયોપોરોસિસનું જોખમ પણ ઘટાડે છે. 30 વર્ષની આસપાસ મહિલાઓએ કોઈપણ સંજોગોમાં તેમના આહારમાં કાચા પનીરને સામેલ કરવું જોઈએ.

ખાવાની રીત

પનીર સવારે ખાલી પેટ ખાવું જોઈએ. કસરત કર્યાના 10 મિનિટ પછી તમે 100 ગ્રામ પનીર ખાઈ શકો છો. તેને ખાધા પછી લગભગ એક કલાક સુધી બીજું કંઈ ન ખાવું જોઈએ. તેનાથી તમારા શરીરને પોષક તત્વો યોગ્ય રીતે મળી રહે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

ઘોઘા પોલીસ સ્ટેશન નજીક ડ્રગ્સ સાથે ત્રણ લોકો ઝડપાયા
ઘોઘા પોલીસ સ્ટેશન નજીક ડ્રગ્સ સાથે ત્રણ લોકો ઝડપાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ
પંચમહાલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો
પંચમહાલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો
દાહોદ પંથકમાં લાંબા વિરામ બાદ વરસ્યો ધોધમાર વરસાદ
દાહોદ પંથકમાં લાંબા વિરામ બાદ વરસ્યો ધોધમાર વરસાદ
ગુજરાતને ફરી એક વાર મેઘરાજા ધમરોળશે ! 12 જિલ્લાઓમાં અપાયુ એલર્ટ
ગુજરાતને ફરી એક વાર મેઘરાજા ધમરોળશે ! 12 જિલ્લાઓમાં અપાયુ એલર્ટ
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
g clip-path="url(#clip0_868_265)">