તમારા દિવસની શરુઆત કરો આ નાસ્તાથી, ઝડપથી ઘટવા લાગશે તમારુ વજન

Weight Loss Diet : કોણ ઈચ્છે કે તે હંમેશા મોટા શરીરવાળો રહે. સ્થૂળતા એક એવી સમસ્યા છે, જે પોતાની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે.

તમારા દિવસની શરુઆત કરો આ નાસ્તાથી, ઝડપથી ઘટવા લાગશે તમારુ વજન
Diet for Weight LossImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 9:27 PM

કોણ ઈચ્છે કે તે હંમેશા મોટા શરીરવાળો રહે. સ્થૂળતા એક એવી સમસ્યા છે, જે પોતાની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. સ્થૂળતા ધરાવતા લોકોને જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ભારતમાં લોકો સ્થૂળતાને બીમારી માનતા જ નથી પણ આ એક એવી સમસ્યા છે, જે તમારા શરીરમાં અનેક સમસ્યાઓનું કારણ બની જાય છે. તેથી જ સ્થૂળતાને રોગોનું ઘર કહેવામાં આવે છે. જો તમારું વજન પણ વધારે છે તો તમારે તેને ઓછું કરવાનો પ્રયાસ (Weight Loss) કરવો જોઈએ, જેથી શરીરને અન્ય રોગોના જોખમથી સુરક્ષિત કરી શકાય.

સ્થૂળતા દૂર કરવા માટે સૌથી પહેલા તમારે તમારા ખરાબ આહારમાં સુધારો કરવો પડશે અથવા તે ખરાબ આહાર ખાવાનું ટાળવુ જોઈએ. નિષ્ણાતોના મતે જો ફક્ત ખાવાની આદતોમાં સુધારો કરવામાં આવે તો વ્યક્તિ તેના વજનને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. આ સિવાય કેટલીક હેલ્ધી વસ્તુઓને પણ ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. અહીં જાણો એવી કેટલીક વસ્તુઓ વિશે જેને ડાયટમાં સામેલ કરીને તમારું વજન ઝડપથી ઘટાડી (Weight Loss Diet) શકાય છે.

આપણે સવારે જે નાસ્તો કરીએ છે તે પણ પૌષ્ટિક હોવો જોઈએ. તેનાથી તમારો દિવસ પણ તાજગી ભરેલો રહે છે. અહીં તમે જાણી શકશો કે સવારે નાસ્તામાં કઈ વસ્તુના સેવનથી તમારુ વજન ઘટી શકે છે.

આ પણ વાંચો

નાસ્તામાં આ વસ્તુઓ ખાઓ

ઈડલીઃ સવારના નાસ્તા માટે ઈડલી વધુ સારો વિકલ્પ બની શકે છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જેઓ વજન ઘટાડવા માંગે છે, તેમના માટે આ એક સારો વિકલ્પ છે. તેનાથી તમારું પેટ ભરાય છે અને તમને એનર્જી મળે છે.

ઉપમા: જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે પણ સોજીવાળો ઉપમા ખૂબ સારુ માનવામાં આવે છે. તેને સવારના નાસ્તામાં ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તે તમારું વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.

ખીચડી : તે વસ્તુઓ ખાવી, જે તમને આખા દિવસ માટે એનર્જી આપે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારા નાસ્તાના ખીચડી ખાઓ. પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે ખાવામાં પણ હલકું છે. તેનાથી તમારું વજન પણ ઘટે છે.

અંકુરિત કઠોર : સવારના નાસ્તામાં અંકુરિત કઠોર પણ એક સારો વિકલ્પ છે. તેમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાધા પછી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તે તમારા શરીરને શક્તિ અને ઉર્જા પણ આપે છે, સાથે જ તમારું વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">