AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health tips: આ એક શાકભાજીના રસનું સેવન કરવાથી શરીરમાંથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા, જાણો તેના ફાયદાઓ

હાલમાં યુરિક એસિડની (Uric acid) સમસ્યા લગભગ દરેક ત્રીજા-ચોથા વ્યક્તિમાં જોવા મળી રહી છે અને યુરિક એસિડ બનવાની અને વધવાની સમસ્યા યુવાનોમાં પણ વધુ જોવા મળી રહી છે.

Health tips: આ એક શાકભાજીના રસનું સેવન કરવાથી શરીરમાંથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા, જાણો તેના ફાયદાઓ
calabash juice Image Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 5:21 PM
Share

દેશ અને દુનિયામાં મળતા દરેક શાકભાજી અને ફળ આપણા શરીર અને સ્વાસ્થ્યને કોઈકને કોઈક રીતે લાભ કરે છે.  દરેક શાકભાજી અને ફળમાં કોઈને કોઈ પૌષ્ટિક ગુણધર્મો હોય છે, જે શરીર અને આપણા આરોગ્યને અનેક લાભ મળે છે. હાલમાં યુરિક એસિડની (Uric acid) સમસ્યા લગભગ દરેક ત્રીજા-ચોથા વ્યક્તિમાં જોવા મળી રહી છે અને યુરિક એસિડ બનવાની અને વધવાની સમસ્યા યુવાનોમાં પણ વધુ જોવા મળી રહી છે. જ્યારે યુરિક એસિડ શરીરમાં વધુ પ્રમાણમાં જમા થાય છે, ત્યારે તે શરીરમાં બળતરા પેદા કરે છે. તેનાથી સાંધાનો દુખાવો પણ વધે છે. આમ તો સારા સ્વાસ્થ્ય માટે આપણને ઘણા શાકભાજી અને ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ તેમાં પણ અમુક શાકભાજીનું સેવન આપણા શરીરને નડતી ચોક્કસ સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે, જેમાંથી એક છે દૂધી.

યુરિક એસિડની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપચારનો (Home remedies) ઉપયોગ કરી શકાય છે. યુરિક એસિડથી રાહત મેળવવાનો એક ઉપાય છે દૂધીનો રસ પીવો. દૂધીનું જ્યૂસ પીવાથી યુરિક એસિડની સમસ્યા તો ઓછી થાય છે પણ બીજી ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

યુરિક એસિડમાં દૂધીના જ્યુસ કે રસનું સેવન કેવી રીતે કરી શકાય?

1.એક નાની દૂધી લો અને તેને છોલીને પાણીથી સાફ કરો.

આ પણ વાંચો

2. હવે દૂધીને બે ભાગમાં કાપીને તેના બીજ કાઢી લો. ત્યાર બાદ દૂધીના નાના ટુકડા કરી લો.

3. ત્યારપછી, એક જ્યુસરમાં અડધો લીટર પાણીમાં દૂધીના આ ટુકડાને નાંખીને બરાબર પીસી લો.

4. તેને ગાળીને તરત જ તેનું સેવન કરો.

5. દૂધીના રસના વધુ ફાયદા મેળવવા માટે, તેને સવારે ખાલી પેટ પીવો.

દૂધીના રસના ફાયદા

1.લો-કેલરી ફૂડ હોવાને કારણે દૂધીના રસનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે.

2.હાઈ બ્લડ શુગર લેવલની સમસ્યાથી પરેશાન લોકોને દૂધીનો રસ પીવાથી ફાયદો થાય છે.

3.ડાયેટરી ફાઇબરથી ભરપૂર હોવાને કારણે, દૂધીનો રસ પીવાથી પાચન તંત્રની કામગીરીમાં મદદ મળે છે.

4.તેનાથી એસિડિટી, કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ ઓછી થાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">