AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health tips: આ એક શાકભાજીના રસનું સેવન કરવાથી શરીરમાંથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા, જાણો તેના ફાયદાઓ

હાલમાં યુરિક એસિડની (Uric acid) સમસ્યા લગભગ દરેક ત્રીજા-ચોથા વ્યક્તિમાં જોવા મળી રહી છે અને યુરિક એસિડ બનવાની અને વધવાની સમસ્યા યુવાનોમાં પણ વધુ જોવા મળી રહી છે.

Health tips: આ એક શાકભાજીના રસનું સેવન કરવાથી શરીરમાંથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા, જાણો તેના ફાયદાઓ
calabash juice Image Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 5:21 PM
Share

દેશ અને દુનિયામાં મળતા દરેક શાકભાજી અને ફળ આપણા શરીર અને સ્વાસ્થ્યને કોઈકને કોઈક રીતે લાભ કરે છે.  દરેક શાકભાજી અને ફળમાં કોઈને કોઈ પૌષ્ટિક ગુણધર્મો હોય છે, જે શરીર અને આપણા આરોગ્યને અનેક લાભ મળે છે. હાલમાં યુરિક એસિડની (Uric acid) સમસ્યા લગભગ દરેક ત્રીજા-ચોથા વ્યક્તિમાં જોવા મળી રહી છે અને યુરિક એસિડ બનવાની અને વધવાની સમસ્યા યુવાનોમાં પણ વધુ જોવા મળી રહી છે. જ્યારે યુરિક એસિડ શરીરમાં વધુ પ્રમાણમાં જમા થાય છે, ત્યારે તે શરીરમાં બળતરા પેદા કરે છે. તેનાથી સાંધાનો દુખાવો પણ વધે છે. આમ તો સારા સ્વાસ્થ્ય માટે આપણને ઘણા શાકભાજી અને ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ તેમાં પણ અમુક શાકભાજીનું સેવન આપણા શરીરને નડતી ચોક્કસ સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે, જેમાંથી એક છે દૂધી.

યુરિક એસિડની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપચારનો (Home remedies) ઉપયોગ કરી શકાય છે. યુરિક એસિડથી રાહત મેળવવાનો એક ઉપાય છે દૂધીનો રસ પીવો. દૂધીનું જ્યૂસ પીવાથી યુરિક એસિડની સમસ્યા તો ઓછી થાય છે પણ બીજી ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

યુરિક એસિડમાં દૂધીના જ્યુસ કે રસનું સેવન કેવી રીતે કરી શકાય?

1.એક નાની દૂધી લો અને તેને છોલીને પાણીથી સાફ કરો.

આ પણ વાંચો

2. હવે દૂધીને બે ભાગમાં કાપીને તેના બીજ કાઢી લો. ત્યાર બાદ દૂધીના નાના ટુકડા કરી લો.

3. ત્યારપછી, એક જ્યુસરમાં અડધો લીટર પાણીમાં દૂધીના આ ટુકડાને નાંખીને બરાબર પીસી લો.

4. તેને ગાળીને તરત જ તેનું સેવન કરો.

5. દૂધીના રસના વધુ ફાયદા મેળવવા માટે, તેને સવારે ખાલી પેટ પીવો.

દૂધીના રસના ફાયદા

1.લો-કેલરી ફૂડ હોવાને કારણે દૂધીના રસનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે.

2.હાઈ બ્લડ શુગર લેવલની સમસ્યાથી પરેશાન લોકોને દૂધીનો રસ પીવાથી ફાયદો થાય છે.

3.ડાયેટરી ફાઇબરથી ભરપૂર હોવાને કારણે, દૂધીનો રસ પીવાથી પાચન તંત્રની કામગીરીમાં મદદ મળે છે.

4.તેનાથી એસિડિટી, કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ ઓછી થાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
g clip-path="url(#clip0_868_265)">