Beauty Tips : શું તમને પણ પિમ્પલની સમસ્યા સતાવે છે ? ચિંતા કરવાની જરૂર નથી આ ઘરેલું નુસ્ખાઓ અપનાવો

આ ટીપ્સનું પાલન કરતી વખતે કોઈ બ્યુટી ક્રિમનો ઉપયોગ ન કરવો જોઇએ. ત્વચાના આરોગ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઘણા કિસ્સાઓમાં, પિમ્પલ્સ થોડા કલાકોમાં અદૃશ્ય થઈ જાય છે

Beauty Tips : શું તમને પણ પિમ્પલની સમસ્યા સતાવે છે ? ચિંતા કરવાની જરૂર નથી આ ઘરેલું નુસ્ખાઓ અપનાવો
After adopting these homemade remedies you will get clear skin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 8:10 AM

હાલના સમયમાં જો મોટાભેગના નવ યુવાનોને ચહેરાની કોઇ સમસ્યા સતાવતી હોય તો તે છે ખીલની. બદલાયેલી જીવનશૈલી, ખાનપાનની રીત અને ફાસ્ટફૂડનું વધુ પડતુ સેવન અથવા તો ઉંઘ પૂરી ન થવાથી પણ પિમ્પલની સમસ્યા ઉભી થાય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે સુંદર લાગે, તેનો ચહેરો ડાઘ ધબ્બા વિનાનો હોય. ચાલો ત્યારે આજે નજર કરીએ ખીલ દૂર કરવાનાં દેસી અને એકદમ સસ્તા ઉપાય પર. જે માટે તમારે કોઇ કેમિકલ, દવાઓ કે ક્રિમનો ઉપયોગ કરવો નહીં પડે અને પિમ્પલ્સથી છૂટકારો પણ મળી જશે.

સૌ પહેલાં તો ખિલની (Pimples) સમસ્યા હોય અને સ્કિનની કેર (Skin Care) કરવાં માંગો છો તો પુષ્કળ પાણી પીવું. આહારમાં સંતુલન જાળવવું જરૂરી છે. જંક ફૂડ જો ખાતા હોવ તો તેનું સેવન સદંતર બંધ કરી દો. આમ કરવાથી પિમ્પલ્સ નહીં થાય, જો સ્કિન ખુબજ ખરાબ થઇ ગઇ હશે તો તે ધીમે ધીમે સુધરવા લાગશે.

ખીલની સમસ્યાથી છુટકારો મેળવા માટે આઇસ ક્યુબને સુતરાઉ કાપડમાં લપેટી લો અને તેને ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે પિમ્પલ્સ પર મૂકો. દરરોજ આ કરવાથી સારું પરિણામ મળશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મધ ત્વચાની સુંદરતા વધારવા માટે ઉત્તમ ઔષધી છે. તો મધ ખીલની સમસ્યા પણ હલ કરે છે. રાત્રે પમ્પલ્સ પર મધના બે ટીપા લગાવો અને હળવા હાથે મસાજ કરો. 20 મિનિટ બાદ તેને હુફાળા પાણીથી ધોઇ નાખો. મધના એન્ટીબેક્ટેરિયલ ગૂણ ખીલની સમસ્યા ઘટાડે છે.

ટી ટ્રી ઓઈલમાં પુષ્કળ એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ છે. તે થોડું ખર્ચાળ હોવા છતાં સારું કામ કરે છે. જો કે, ટી ટ્રી ઓઇલ સીધું પિમ્પલ્સ પર ન લગાવવું જોઈએ. તેને નાળિયેર તેલના બે ટીપાંમાં મિક્સ કરીને પિમ્પલ્સ પર માલિશ કરો. થોડા કલાકો પછી તે નવશેકા પાણીથી મો ધોઇ લો. ખીલની સમસ્યા દૂર થઇ જશે.

શું તમારા ઘરમાં એસ્પિરિનની ગોળીઓ છે? જો હા તો, તેને દબાવીને ભુકો કરી લો અને તેમાં થોડું પાણી ઉમેરી તેને પિમ્પલ્સ પર લગાવી લો. થોડી બળતરા થશે પણ તેનાંથી પિમ્પલ્સ અને તેની લાલાશ જતી રહેશે.

ગ્રીન ટીમાં સમાન ગુણધર્મો છે. ચાની થેલીને ગરમ પાણીથી ઉકાળો. એકવાર ઠંડુ થયા પછી, પિમ્પલ્સ પર તે ગ્રીન ટીની બેગ મુકી દો. થોડો સમય રહેવા દઇ હળવે હાથે માલિશ કરો. થોડા કલાકો પછી ચહેરો હળવા પાણીથી ધોઇ લો.

પિમ્પલ્સથી છુટકારો મેળવવા માટે ઉત્તમ ઉપાય છે એલોવેરા જેલ. તેનાંથી પણ ચહેરાની સુંદરતા ચમકશે એટલું જ નહીં તેનાં નિયમિત ઉપયોગથી પિમ્પલ્સ દૂર થઇ જશે.

આ ટીપ્સનું પાલન કરતી વખતે કોઈ બ્યુટી ક્રિમનો ઉપયોગ ન કરવો જોઇએ. ત્વચાના આરોગ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઘણા કિસ્સાઓમાં, પિમ્પલ્સ થોડા કલાકોમાં અદૃશ્ય થઈ જાય છે, જ્યારે અન્ય થોડા દિવસો સુધી ચાલે છે. તે બધાથી છૂટકારો મેળવવા માટે ધૈર્યની જરૂર છે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 16 સપ્ટેમ્બર: વ્યવસાયમાં, તમારે નવા પ્રયોગો અજમાવવા જોઈએ, વ્યવસાયિક દૃષ્ટિકોણથી સંજોગો તમારી તરફેણમાં

આ પણ વાંચો –

Hrithik Roshanના ફોટામાંથી ખુલ્લી ઘરમાં સીલનની પોલ, કરોડોમાં છે કમાણી તો પણ નાક કાપાવ્યું

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">