જાણો વર્ષમાં કેટલી વખત આવે છે નવરાત્રીનો તહેવાર? વાંચો રોચક ઈતિહાસ
વર્ષમાં કેટલી વખત નવરાત્રી મનાવવામાં આવે છે? જો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈ કહેશે કે ચાર વખત. પહેલી નવરાત્રી ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે અને પછી આસો માસની, ત્યારબાદ શરદ નવરાત્રી અને અંતે માઘ નવરાત્રી. આમ આ ચાર નવરાત્રી છે. જેની ઉજવણી પાછળ કોઈને કોઈ હાર્દ જોડાયેલું હોય છે. આ ચાર નવરાત્રીમાં […]
વર્ષમાં કેટલી વખત નવરાત્રી મનાવવામાં આવે છે? જો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈ કહેશે કે ચાર વખત. પહેલી નવરાત્રી ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે અને પછી આસો માસની, ત્યારબાદ શરદ નવરાત્રી અને અંતે માઘ નવરાત્રી. આમ આ ચાર નવરાત્રી છે. જેની ઉજવણી પાછળ કોઈને કોઈ હાર્દ જોડાયેલું હોય છે. આ ચાર નવરાત્રીમાં લોકોને ખાસ કરીને 2 નવરાત્રી વિશે મોટેભાગે જાણકારી હોય છે.
નવરાત્રીનો ઉલ્લેખ દેવી ભાગવત અને ધાર્મિક ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે. ચૈત્ર મહિનામાં હિન્દુઓના નવા વર્ષની પણ શરુઆત થાય છે. 4 નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રી અને શરદ નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. જેના લીધે લોકો આ બંને નવરાત્રી વિશે જાણતાં હોય છે.
ચૈત્રી નવરાત્રી અને શરદ નવરાત્રી વખતે ઋતુઓમાં ભારે પરિવર્તન થાય છે. શિયાળીની ઋતુ એટલે કે ઠંડીની શરુઆત થાય છે. આમ પ્રકૃતિની સાથે લોકોની જીવનશૈલી પણ બદલાય છે. નવરાત્રી દરમિયાન વ્રત કરવાથી શારીરિક અને માનસિક સંતુલન પણ બની રહે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નવરાત્રીને લઈને એક ઉલ્લેખ પુરાણોમાં એવો પણ છે કે પહેલાં માત્ર ચૈત્રી નવરાત્રીની જ ઉજવણી કરવામાં આવતી હતી. ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કર્યું અને તેમાં ભવ્ય વિજય મેળવ્યો. આ બાદ નવરાત્રીના દિવસે આર્શીવાદ ભગવાને દુર્ગાપૂજા કરીને લીધા. જેના લીધે અન્ય એક નવરાત્રીના ઉજવણીની પરંપરા ચાલી છે. આમ શરદ નવરાત્રીની ઉજવણી પાછળ પુરાણોમાં આ કારણ આપવામાં આવ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]