વડોદરા: ફી મામલે શાળાઓની મનમાની યથાવત્, ફીમાં 10% વધારો કરવાથી વાલીઓમાં રોષ
સરકારે 25 ટકા ફી માફીની વાત કરી, છતાં શાળાઓની મનમાની યથાવત્ છે. વડોદરામાં કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય વાલીઓ પાસે ફી માટે દબાણ કરતી હોવાની ફરિયાદો ઉઠી છે અને વાલીઓ વિરોધ કરતાં શાળાએ પહોંચ્યા હતા. વાલીઓનો દાવો છે કે, સરકારે જાહેર કર્યા મુજબ 25 ટકા માફી તો દૂર, પરંતુ શાળા નિયમિત ફી કરતાં પણ 10 ટકાનો વધારો […]
સરકારે 25 ટકા ફી માફીની વાત કરી, છતાં શાળાઓની મનમાની યથાવત્ છે. વડોદરામાં કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય વાલીઓ પાસે ફી માટે દબાણ કરતી હોવાની ફરિયાદો ઉઠી છે અને વાલીઓ વિરોધ કરતાં શાળાએ પહોંચ્યા હતા. વાલીઓનો દાવો છે કે, સરકારે જાહેર કર્યા મુજબ 25 ટકા માફી તો દૂર, પરંતુ શાળા નિયમિત ફી કરતાં પણ 10 ટકાનો વધારો કરીને ફી ઉઘરાવી રહી છે. વાલીઓને સતત મેસેજ અને ફોન કરીને ફી ભરવા દબાણ કરવામાં આવે છે. સ્કૂલ સંચાલકોએ એવું કહીને છુટી રહ્યા છે કે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી તેમને 25 ટકા ફી માફી અંગે કોઈ સૂચના મળી નથી.
આ પણ વાંચો: કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ, નખત્રાણા અને અબડાસા બાદ ભુજમાં પણ ભારે વરસાદ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો