મંત્રીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસ બેડામાં પણ લાગુ પડશે નો રિપીટ થિયરી

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિતના મોટા શહેરોના પોલીસ સ્ટેશનોમાં આ કાર્યવાહી થશે, રાઇટરથી માંડીને PI સુધીના બદલી નખાશે. ઉત્તરાયણ બાદ કવાયત હાથ ધરાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 12:33 PM

અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર સહિત મેગાસીટીમાં ટૂંક સમયમાં કવાયત હાથ ધરાશે. ગૃહ વિભાગે રાજ્યમાં તમામ જિલ્લામાં પોલીસ સ્ટેશનોની વિગતો મંગાવી હતી. તેમાં જે માહિતી પ્રાપ્ત થી છે તેના આધારે સૌથી બદનામ પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ સ્ટાફ બદલાશે.

પાલિકા પંચાયત અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં નો રીપીટની થીયરી (no repeat theory) લાગુ થયા બાદ ગુજરાત (Gujarat) સરકારે મંત્રીમંડળમાં અને અધિકારીઓમાં નો રીપીટ થીયરી લાગુ કરી હતી. આવી જ વ્યવસ્થા હવે પોલીસ વિભાગમાં પણ લાગુ કરાશે. સરકાર (government) એ રાજ્યમાં તમામ જિલ્લામાં પોલીસ સ્ટેશનો (police stations) ની વિગતો મંગાવી છે. જેના આધારે બે બદનામ પોલીસ સ્ટેશન હશે ત્યાં રાઇટર થી માંડીને PI સુધી થશે બદલી થશે.

ગૃહ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરના પોલીસ સ્ટેશનોની માહિતી એકઠી કરવામાં આવી રહી હતી જેના પણ જે પોલીસ સ્ટેશનમાંથી સૌથી વધુ ફરિયાદો રહી હતી તેની કેટેગીરી અલગ કરવામાં આવી છે અને આ ચોક્કસ વિસ્તારોના પોલીસ સ્ટેશનો સામે આવી રહેલી સતત ફરિયાદ બાદ આ નિર્ણય લેવાયો છે.

આ કેટેગીરીમાં જે પોલીસ સ્ટેશનોમાં સૌથી વધુ ફરિયાદો આવી છે ત્યા રાઈટરથી માંડીને પીએસઆઈ અને પીઆઈ સુધીનો તમામ સ્ટાફ બદલવામાં આવશે. આ માટેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે. આ કવાયત બાદ પણ જો આવા સ્ટાફની ફરિયાદ આવતી રહેશે તો તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ કરાશે.

સૌપ્રથમ આ કાર્યવાહી રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિતના મોટા શહેરોમાં આવતા પોલીસ સ્ટેશનોમાં આ કાર્યવાહી થશે ત્યાર બાદ રાજ્યના અન્ય ભાગોમાં તેને વિસ્તારવામાં આવશે. પોલીસ વિભાગની છબીને સ્વચ્છ કરવાના ઉદ્દેશ સાથે આ કવાયત હાથ ધરવામાં આવી છે. ઉત્તરાયણ બાદ આ કવાયત શરૂ કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી કરી તો થશે કાર્યવાહી, સરકારે કડક નિયમો જાહેર કર્યા

આ પણ વાંચોઃ Ahmedabad: અસારવા અને સોલા સિવિલમાં સ્ટાફમાં 29 લોકો કોરોના સંક્રમિત, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સમાં ફફડાટ

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">