AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આશ્રમ એક્સપ્રેસ સહિતની 7 ટ્રેન દિલ્હી કેન્ટ સ્ટેશને 16 ઓકટોબર સુધી ઊભી નહીં રહે

અમદાવાદ ડિવિઝનથી આવતી અને જતી 7 ટ્રેન દિલ્હી કૅન્ટ સ્ટેશન પરનો સ્ટોપેજ અસ્થાયી રીતે રદ રહેશે.

Breaking News : આશ્રમ એક્સપ્રેસ સહિતની 7 ટ્રેન દિલ્હી કેન્ટ સ્ટેશને 16 ઓકટોબર સુધી ઊભી નહીં રહે
| Updated on: Jul 15, 2026 | 5:01 PM
Share

ઉત્તર રેલવેના દિલ્હી મંડળના દિલ્હી કેન્ટ સ્ટેશન પર આધારીય માળખાકીય સુવિધાઓના (મેજર અપગ્રેડેશન) કાર્ય અંતર્ગત પ્લેટફોર્મ નંબર 2 અને 3 (લાઇન નંબર 3 અને 4) પર 16 જુલાઈ, 2026થી 13 ઑક્ટોબર, 2026 (90 દિવસ) સુધી પાવર તથા ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. જેના પગલે, ગુજરાતથી દિલ્હી  જતી 7 ટ્રેન આગામી 16 ઓક્ટોબર સુધી દિલ્હી કેન્ટ સ્ટેશને નહીં ઊભી રહે.

આ બ્લોક દરમિયાન અમદાવાદ ડિવિઝનથી આવતી અને જતી 7 ટ્રેન દિલ્હી કૅન્ટ સ્ટેશન પરનો સ્ટોપેજ અસ્થાયી રીતે રદ રહેશેય

• 12915 અમદાવાદ–દિલ્હી આશ્રમ એક્સપ્રેસ: તા. 15.07.2026 થી 13.10.2026 સુધી. • 09425 સાબરમતી–હરિદ્વાર સ્પેશિયલ: તા. 21.07.2026 થી 13.10.2026 સુધી. • 14312 ભુજ–બરેલી આલા હઝરત એક્સપ્રેસ: તા. 15.07.2026 થી 13.10.2026 સુધી. • 14322 ભુજ–બરેલી એક્સપ્રેસ: તા. 17.07.2026 થી 13.10.2026 સુધી. • 12216 બાંદ્રા ટર્મિનસ–દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ: તા. 15.07.2026 થી 13.10.2026 સુધી. • 09523 ઓખા–શકૂરબસ્તી સ્પેશિયલ: તા. 15.07.2026 થી 13.10.2026 સુધી. • 09257 ભાવનગર–શકૂરબસ્તી સ્પેશિયલ: તા. 18.07.2026 થી 13.10.2026 સુધી.

મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સમય, સ્ટોપેજ તથા રેક રચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લે.

વિરમગામ યાર્ડ સ્થિત રેલવે ફાટક નં. 41-B (મીલ ની ફાટક) 22 જુલાઈ સુધી રહેશે બંધ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વિરમગામ યાર્ડ સ્થિત રેલવે ફાટક નં. 41-B (મીલ ની ફાટક) કિ.મી. 560/4-5 પર ટ્રેકના અત્યંત આવશ્યક સમારકામ અને જાળવણીનું કાર્ય હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે આ રેલવે ફાટક 17 જુલાઈ, 2026ના રોજ સવારે 08:00 વાગ્યાથી 22 જુલાઈ, 2026ના રોજ સાંજે 18:30 વાગ્યા સુધી માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ:આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તાઓને નીલકી ફાટક ફ્લાયઓવર મારફતે અવરજવર કરવાની વિનંતી કરવામાં આવે છે.

કલોલ અને આદરાજ મોતી વચ્ચેનો રેલવે લેવલ ક્રોસિંગ નંબર 04 (ટીંટોડા ગેટ) 17 અને 18 જુલાઈના રોજ બંધ રહેશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના કલોલ-ગાંધીનગર રેલ વિભાગ પર કલોલ અને આદરાજ મોતી સ્ટેશન વચ્ચે કિ.મી. 05/13-14 પર સ્થિત રેલવે લેવલ ક્રોસિંગ નંબર 04 (ટીંટોડા ગેટ) પર આવશ્યક સમારકામનું કામ હાથ ધરવામાં આવશે. આ કાર્યને કારણે, 17 જુલાઈ, 2026 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 18 જુલાઈ, 2026 ના રોજ સાંજે 06:00 વાગ્યા સુધી (બે દિવસ) લેવલ ક્રોસિંગ સંપૂર્ણપણે રોડ ટ્રાફિક માટે બંધ રહેશે.

વૈકલ્પિક રૂટ:

• પુંડરસણ ચોકડી – ટીંટોડા – ભોયણ રાઠોડ – કલોલ રૂટ પર RUB નંબર 3A (કિ.મી. 03/12-13) દ્વારા રોડ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. • રોડ ટ્રાફિકને રેલ્વે લેવલ ક્રોસિંગ નંબર 7 (km 08/3-4) દ્વારા પુન્દ્રાસણ ચોકડી – આદરજ મોતી – ધમાસણા – કાલોલ રૂટ પર વાળવામાં આવશે.

જો તમે IRCTC પરથી રેલવે ટિકિટ બૂક કરાવતા હશો તો 15 જુલાઈથી જોવા મળશે નવા ફેરફાર, એક જ ક્લિકમાં બધા જ ક્લાસની ખાલી ટિકિટ જોઈ શકશો

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">