રાજ્યમાંથી કુપોષણ આ પ્રકારે દૂર થશે? બાળકોને છેલ્લા કેટલાક દિવસોથી મળે છે સડેલું ભોજન
રાજ્યમાંથી કુપોષણ દૂર થાય તે માટે સરકાર અનેક પગલાં ભરે છે. પરંતુ સરકારના આ પગલાં પર વચેટિયા પાણી ફેરવી રહ્યા છે. પંચમહાલની રાંકલી ગામે આવું જ થઈ રહ્યું છે. બાળકોને છેલ્લા કેટલાક દિવસોથી સડેલું ભોજન આપવામાં આવતું હતું. એટલે સુધી જે મધ્યાહન ભોજનના સંચાલકોને વાત કર્યા છતાં, તેઓ મનમાની કરતાં હતા. ત્યારે નાછુટકે ગામલોકો 3 […]
રાજ્યમાંથી કુપોષણ દૂર થાય તે માટે સરકાર અનેક પગલાં ભરે છે. પરંતુ સરકારના આ પગલાં પર વચેટિયા પાણી ફેરવી રહ્યા છે. પંચમહાલની રાંકલી ગામે આવું જ થઈ રહ્યું છે. બાળકોને છેલ્લા કેટલાક દિવસોથી સડેલું ભોજન આપવામાં આવતું હતું. એટલે સુધી જે મધ્યાહન ભોજનના સંચાલકોને વાત કર્યા છતાં, તેઓ મનમાની કરતાં હતા. ત્યારે નાછુટકે ગામલોકો 3 દિવસથી પોતાના ખર્ચે બાળકોને ભોજન પુરુ પાડે છે.
આ પણ વાંચોઃ વિધાનસભા ગૃહમાંથી કૉંગ્રેસનું વોકઆઉટ, ‘અધ્યક્ષ તેરી દાદાગીરી નહીં ચલેગી’ના લાગ્યા નારા
વાલીઓ તો ઠીક, પરંતુ શાળાના આચાર્યની વાત પણ માનવા સંચાલકો તૈયાર નથી. વાલીઓએ અનેક રજૂઆતો કર્યા છતાં, હજુ સુધી અહીં કોઈ તપાસ માટે આવ્યું નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વાલીઓની રજૂઆત બાદ મધ્યાહન ભોજનના સંચાલકને તો દૂર કરવામાં આવ્યા છે. પરંતુ સડેલું અને ખરાબ ભોજન રાંધતા રસોઈયાઓને દૂર કરવાની વાત સાથે અધિકારી પણ સંમત નથી.
સરકાર અનેક પગલાં ભરે છે. પરંતુ આ પગલાંને યોગ્ય દિશા આપનારાઓ ખોટા રસ્તા અપનાવી રહ્યા છે. ત્યારે આ કિસ્સામાં યોગ્ય અને કડક કાર્યવાહી જરૂરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો