તારક મહેતા કા ઉલટા ચશ્માના લેખકે કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં દર્શાવ્યુ આર્થિક કારણ, બ્લેકમેઈલનો શિકાર બન્યાનો પરિવારજનોનો આક્ષેપ
ટેલિવિઝન ઉપર પ્રસારીત થતી હાસ્ય ધારાવાહિક તારક મહેતા કા ઉલટા ચશ્માના લેખક પૈકીના એક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી લીધી છે. મુંબઈના કાદિવલી સ્થિત તેમના નિવાસસ્થાને અભિષેકે આત્મહત્યા કરી છે. પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં આર્થિક તંગીનું કારણ દર્શાવ્યું છે. જ્યારે અભિષેકના પરિવારજનો, તેને નાણાકીય ગેરરિતીનો ભોગ બન્યા હોવાનું અને કોઈ તેને બ્લેકમેઈલ કરતા હોવાનું જણાવ્યું છે. […]
ટેલિવિઝન ઉપર પ્રસારીત થતી હાસ્ય ધારાવાહિક તારક મહેતા કા ઉલટા ચશ્માના લેખક પૈકીના એક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી લીધી છે. મુંબઈના કાદિવલી સ્થિત તેમના નિવાસસ્થાને અભિષેકે આત્મહત્યા કરી છે. પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં આર્થિક તંગીનું કારણ દર્શાવ્યું છે. જ્યારે અભિષેકના પરિવારજનો, તેને નાણાકીય ગેરરિતીનો ભોગ બન્યા હોવાનું અને કોઈ તેને બ્લેકમેઈલ કરતા હોવાનું જણાવ્યું છે. પોલીસને અભિષેકના ઈમેલની કરેલી તપાસમાં નાણાકીય ગેરરીતિ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયુ છે. અને પોલીસ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો