T-20: ગાવાસ્કરે બોલરોના દબાણને હળવુ કરવા બાઉન્સર માટે આપી આવી સલાહ, માકંડીંગ શબ્દ પ્રયોગને મહાન ક્રિકેટર વિનુ માંકડનું અપમાન ગણાવ્યુ
સુનિલ ગાવસ્કર પણ હવે બોલરોના દબાણના મામલે ફ્રન્ટ ફુટ પર આવ્યા છે, તેઓ બોલરના દબાણ ને દુર કરવા માટેની વાત કરી છે. ટી-20 ક્રિકેટમાં બોલરો પર પણ દબાણ વધતુ જતુ હોય છે અને તેને દુર કવા માટે સલાહ આપી છે. ભારતના પુર્વ મહાન બેટ્સમેન સુનિલ ગાવાસ્કરે કહ્યુ છે કે, ટી-20 ક્રિકેટ ખુબ સારી સ્થિતીમાં છે, […]
સુનિલ ગાવસ્કર પણ હવે બોલરોના દબાણના મામલે ફ્રન્ટ ફુટ પર આવ્યા છે, તેઓ બોલરના દબાણ ને દુર કરવા માટેની વાત કરી છે. ટી-20 ક્રિકેટમાં બોલરો પર પણ દબાણ વધતુ જતુ હોય છે અને તેને દુર કવા માટે સલાહ આપી છે. ભારતના પુર્વ મહાન બેટ્સમેન સુનિલ ગાવાસ્કરે કહ્યુ છે કે, ટી-20 ક્રિકેટ ખુબ સારી સ્થિતીમાં છે, તેમાં હાલમાં બદલાવની જરુર નથી. પરંતુ એક ઓવરમાં બે બાઉન્સરની અનુમતી આપી શકાય છે. તેમણે બોલરોના પર વધતા દબાણને હળવા કરવા માટેના પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં યુએઇમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યુ હતુ. તેમણે કહ્યુ કે તે ઝડપી બોલરોની ઓવરો દરમ્યાન ઓવર દીઠ બે બાઉન્સર બોલની છુટ રાખવી જોઇએ અને બાઉન્ડરી થોડીક મોટી હોવી જોઇએ.
પ્રથમ ત્રણ ઓવરમાં એક વિકેટ મેળવનારા બોલરને પણ એક વધારાની બોલીંગ કરવા માટે પણ છુટ આપી શકાય છે, પરંતુ જોકે હાલમાં આ ફોર્મેટમાં બદલાવની કોઇ આવશ્યકતા નથી. નિયમોની બાબતોમાં પણ કહ્યુ હતુ કે, ટેલીવિઝન અંપાયરો ને એ ચકાસવાનો અધીકાર હોવો જોઇએ કે, બોલર જ્યારે પણ બોલ નાંખે છે ત્યારે સામેના છેડે ઉભેલો બેટ્સમેન ક્રિઝથી બહાર તો નથી ગયો ને. ગાવાસ્કરે એમ પણ કહ્યુ કે, આમ થવા વેળા બોલર તે બેટ્સમેનને બોલ નાંખતા અગાઉ જ રન આઉટ કરી શકે છે. ટીવી અંપાયરને લાગે છે કે નોન સ્ટ્રાઇકર છેડા પર બેટસમેન આગળ વધુ નિકળી ગયો છે તો ચોગ્ગો હોવા પર પણ એક રન કાપી લઇને દંડ કરવો જોઇએ. ટીવી અંપાય એ પણ જુએ છે કે બોલર ક્રિઝ ની બહાર આવીને તો બોલ નથી નાંખ્યો ને, નો બોલ તો નથી ને. બસ આ જ રીતે નોન સ્ટ્રાઇકર બેટ્સમેન પણ ક્રિઝની બહાર તો નથી આવ્યો ને, એ પણ તો જોઇ શકાય છે.
ગાવાસ્કરે વારંવાર માંકડિંગ શબ્દના ઉપયોગ બતાવવા પર પણ વિરોધ કર્યો છે. કારણ કે તેમને લાગે છે ભારતના મહાન ક્રિકેટર વિનુ માંકડનુ આ અપમાન છે. માંકડ એ 1948 માં ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચે રમાયેલ એક ટેસ્ટ મેચ દરમ્યાન બીલી બ્રાઉન ને આજ પ્રકારે આઉટ કર્યા હતા. ઓસ્ટ્રેલીયાઇ કેપ્ટન સર ડોન બ્રેડમેન એ પણ એ મામલે કહ્યુ હતુ કે, માંકડ પોતાની જગ્યાએ સાચા હતા અને નિયમો ની મર્યાદામાંજ એણે તેમ કર્યુ હતુ. જોકે ઓસ્ટ્રેલીયાઇ મિડીયાએ તે વિકેટને માંકડિંગ શબ્દ ના ઉપયોગ થી ઓળખાવી ગણાવી હતી. ગાવાસ્કરે કહ્યુ હતુ કે, આવી રીતે વિકેટને કેમ નામ આપવામાં આવ્યુ હતુ.
આપણે ચાઇનામેન અને ફેંચકટના ઉપયોગ પર રોક લગાવવાની વાત કરીએ છીએ, તો આવા શબ્દનો પણ ઉપયોગ નહી કરવો જોઇએ. આરોન ફિંચના ક્રિઝ ની બહાર નિકળવા પર અશ્વિનની ચેતવણી અને હવે રન આઉટ કરવાનુ કહેવાની વાત ને પણ સમર્થન કર્યુ હતુ. આમ કરીને અશ્વિને કોચ રીકી પોન્ટીંગ પ્રત્યે સન્માન દર્શાવ્યુ હતુ. કારણ કે પોન્ટીંગે પણ આવી પ્રકારે વિકેટ મેળવવા ને લઇને નારાજગી પણ જતાવી ચુક્યા છે. અશ્વિને પણ હવે થી કોઇ આ પ્રકારે બહાર નિકળ્યા તો તે રન આઉટ કરશે તેમ પણ ચેતવણી આપી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો