સ્વચ્છતાને લઈ રેલવે વિભાગ દ્વારા ઉજવાયો સ્વચ્છતા પખવાડા, અનેક લોકોએ લીધો ભાગ
રેલવે સ્ટેશન પર 50 માઈક્રોન પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે, તેમજ સ્વસ્છતાને લઈને પણ રેલવે સ્ટેશન પહેલ ચલાવી રહ્યુ છે, ત્યારે 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ઉજવાઈ રહેલા સ્વચ્છતા પખવાડામાં 20 હજાર કરતા પણ વધુ લોકો જોડાયા. મહાત્મા ગાંધી જન્મ જયંતીને લઈને કરાઈ રહેલી ઉજવણીમાં 15 જેટલા સ્થળો પર યોજાયેલા કાર્યક્રમમાં 64 એનજીઓ જોડાઈ અને […]
રેલવે સ્ટેશન પર 50 માઈક્રોન પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે, તેમજ સ્વસ્છતાને લઈને પણ રેલવે સ્ટેશન પહેલ ચલાવી રહ્યુ છે, ત્યારે 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ઉજવાઈ રહેલા સ્વચ્છતા પખવાડામાં 20 હજાર કરતા પણ વધુ લોકો જોડાયા.
મહાત્મા ગાંધી જન્મ જયંતીને લઈને કરાઈ રહેલી ઉજવણીમાં 15 જેટલા સ્થળો પર યોજાયેલા કાર્યક્રમમાં 64 એનજીઓ જોડાઈ અને તેમાં પણ શ્રમદાનના દિવસે 17 હજાર લોકોએ સ્વચ્છતા પખવાડામાં ભાગ લીધો. જે સૌથી મોટો આંકડો માનવામાં આવી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
એટલુ જ નહી પણ સ્વચ્છતા પખવાડા હેઠળ કાલુપુર રેલ્વે સ્ટેશન પર યોજાયેલા બે દિવસીય એક્ઝિબીશનમાં વિવિધ લોકો સાથે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો.
જે વિધાર્થીઓએ નાટક કરી, ગરબા રમી તેમજ સ્પર્ધામાં ભાગ લઈને લોકોમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક બંધને લઈને જાગૃતી આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. રેલવે વિભાગનું માનવુ છે કે તેમના આ પ્રયત્નોથી લોકો વધુને વધુ જાગૃત થશે અને રેલવે સ્ટેશન પર સ્વચ્છતા જાળવવાની સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ પણ બંધ થશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]